ઝળહળે ગામ આખું ઝળહળે
પણ કોઇ ખૂણે વાસમાં દીવો મુરઝાતો જોવા મળે,
ગામ, પાદર, સીમ, ચોરો, શ્વાસ લેતું જોવા મળે,
પણ છેવાડે પેલા વાસમાં જીવન રીબાતું જોવા મળે,
નદી વૃક્ષ મંદિર ઘટાટોપ વનરાઇ બધું અહીં હેમખેમ જોવા મળે,
પણ બાળ પેલી છેવાડાની વસ્તીમાં સૂનમૂન જોવા મળે,
વિકાસની વાતો કરી ચોરો આખો હરખાયા કરે,
પણ છેક છેવાડે પેલા વાસનું જર્જરિત ઝૂંપડું અભાવોની સાક્ષી પૂરે,
ભાવભીનું હરખઘેલું સ્વાગત થાય તમારું ગામમાં,
પણ વાસનો એ માણસ, માણસમાંથી લોપાતો જોવા મળે,
સાવ સઘળું, સૌનું બધું અહીં હેમખેમ જોવા મળે,
પણ એ માણસનું પેલા વાસમાં કશું કાંઇ ન જોવા મળે,
ઝળહળે ગામ આખું ઝળહળે,
પણ એકાદ ખૂણે વાસમાં દીવો મુરઝાતો જોવા મળે.
તા. ૧-૬-૨૦૧૪
e.mail : koza7024@gmail.com
![]()





હું થોડીક મોટી થઈ પછી એમણે મને આશ્રમ ભજનાવલિ ભેટ આપી હતી. એનું મૂલ્ય એ વખતે નહોતું સમજાયું જે હવે સમજાય છે. અલબત્ત, અમારી શાળામાં સર્વધર્મ પ્રાર્થના થતી હતી ત્યારે આશ્રમ ભજનાવલિની કેટલીક રચનાઓ ગવાતી હતી એટલે એ વિશે સામાન્ય સમજ હતી. ગાંધીજી કહેતા કે દરેક ધર્મની પ્રાર્થના એક જ પરમાત્માની ઉપાસના શિખવાડે છે. ભજનાવલિમાં એવા કોઈ ભજન નથી જે મૃત્યુનો ડર બતાવે, સાંપ્રદાયિક હોય કે સ્ત્રીઓની નિંદા કરનારા હોય. જે ભજનમાં ભક્તિભાવ ન હોય અથવા કૃત્રિમ હોય એવા ભજનો એમાં સમાવિષ્ટ નથી. વેદવાણીનું મહત્ત્વ સમજીને ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ ગાંધીજીનો પ્રિય મંત્ર હોવાથી સવાર-સાંજની પ્રાર્થનામાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક અગ્રેસર ભાષાનાં ભજન આશ્રમ ભજનાવલિમાં જોવા મળે છે. ખૂબ ગવાતાં ગુજરાતી ભજનોમાં હરિને ભજતાં હજી કોઈની લાજ, મારાં નયણાંની આળસ, પ્રેમળ જ્યોતિ, એક જ દે ચિનગારી, મંગલ મંદિર ખોલો તો પ્રખ્યાત છે જ પરંતુ આજે મૂળ બંગાળીમાં લખાયેલા સર્વોત્કૃષ્ટ ભજન વિશે વાત કરવી છે. એ ભક્તિ રચના છે : અંતર મમ વિકસિત કરો …!
ગાંધી કથા સાથે ૨૦૦૪થી જ જોડાયેલા ડો. નરેન્દ્ર શાસ્ત્રી કથાની લોકપ્રિયતા વિશે કહે છે કે, "ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી સૌપ્રથમ ગાંધી કથા દેથલી ગામમાં થઈ એ પછી સતત ત્રણ દિવસ ગૂજરાત વિદ્યાપીઠમાં જ એનું આયોજન થયું હતું. કથાની સફળતાથી પ્રેરાઈને નારાયણ દેસાઈએ દસ વર્ષ ગાંધી કથા કરી અનેક યુવાનોને પ્રેરણા આપી હતી. એ હંમેશાં કહેતા કે આપણા યુવાનોમાં હું ગાંધીજીને જોવા ઈચ્છું છું. નારાયણભાઈએ પ્રસંગો પ્રમાણે ગાંધી કથા માટે જ ૭૦ ગીતો લખી સ્વરબદ્ધ કર્યાં હતાં. અમુક ગીતો બંગાળી ઢાળ મુજબ, અમુક મરાઠી તથા આપણા ગુજરાતી ઢાળ તો ખરા જ. સરળ શબ્દોના ગીતોની ધારી અસર થઈ હતી. ગામડાં અને શહેરોના કેટલાય યુવાનોએ જાતજાતના સંકલ્પ લીધાં હતાં. નારાયણ દેસાઈએ ગાંધી કથા ગીતોની પુસ્તિકા પ્રગટ કરી હતી જે આજે ય ગુજરાતભરમાં ગવાય છે.