કેટલાયે જીવોને આ ઉદરે પચાવીને બેઠો છું,
હવે સમજાયું કૈંક ગુનાઓ છુપાવીને બેઠો છું.
મા-બાપ, અને બાળકોને અતિ ચાહવા છતાં,
કેટલાં ય મૂંગા જીવોને અનાથ કરીને બેઠો છું.
પત્ની તો સદા જીવથી યે અધિક છે મારા માટે,
કેટલી ય મૂંગી માદાઓને વિધવા કરીને બેઠો છું.
ઘરખૂણે પરિવાર સહિત સલામતી માંગતો રહું,
કેટલાં ય મૂંગા જીવોના હું ઘર ઉજાડી બેઠો છું.
કોરોના પ્રસરાવનાર જીવોને ક્રૂરતાથી કોસું છું,
ખરેખર હક છે કોસવાનો એ વિચારતા બેઠો છું.
‘મૂકેશ’ ધિક્કાર છે એ સહુ દયાહીન સંહારકોને,
હવે સદ્દબુદ્ધિ દેશે પ્રભુ એ આશ લઈને બેઠો છું.
કોરોના વાયરસ વેળા, એપ્રિલ ૨૦૨૦
e.mail : mparikh@usa.com
![]()







કુદરતનો એક અર્થ ઇશ્વરીશક્તિ એવો પણ છે, જે ઈશ્વર હોવાનો સંકેત કરે છે. ઈશ્વર કહીએ તો કયો ઈશ્વર અને કોનો ઈશ્વર એ પ્રશ્ન આવે. એ આવે એટલે ધર્મ આવે. ધર્મ અનેક છે ને એના સ્થાપકો પણ અનેક છે. વળી ધર્મ પહેલાં પણ મનુષ્ય હતો અને એના પહેલાં પણ કુદરત, પ્રકૃતિ ને સૃષ્ટિ હતી એ પણ એટલું જ સાચું છે. એટલે એ બધાંમાં પડવા કરતાં એટલું સ્વીકારીએ કે મનુષ્ય પહેલાં આ બ્રહ્માંડ હતું ને કોઈ વિરાટ શક્તિ એવી હતી અને છે જે એનું સંચાલન કરે છે. એને ઈશ્વર કહો કે કુદરત, બંને સ્વીકાર્ય છે. વળી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી એમ કહીએ તો પ્રશ્ન એ આવે કે ઈશ્વરની રચના કોણે કરી ને એનો જવાબ વળી પ્રશ્નો જન્માવે એમ બને. એટલે કોઈક રીતે આ વિશ્વ હતું એટલું સ્વીકારીએ તો પૂરતું ગણાય. એ ખરું કે મનુષ્ય પહેલાં પણ પશુપંખી, હવાપાણી હતાં, આ વિશ્વ હતું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો હતા, પણ એની કોઈ ઓળખ ન હતી. આ સૂર્ય છે કે આ તારા છે એવી ઓળખ મનુષ્યે આપી. મનુષ્ય પહેલાં ધર્મ ન હતો. મનુષ્ય આવ્યો તે પહેલાં ઈશ્વર પણ ન હતો. હોય તો એની ઓળખ ન હતી. એ બધું શક્ય બન્યું જ્ઞાનને કારણે. એમાં વિજ્ઞાન ઉમેરાયું ને સમય જતાં એણે મનુષ્યમાં અહંભાવ ઉમેર્યો. એ પ્રગટ્યો માલિકીભાવને કારણે. એણે સત્તા ને સંપત્તિનો લોભ જન્માવ્યો ને એ પછી અનેક દૂષણો ને પ્રદૂષણોએ આજે તો આ સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂક્યું છે.