એક નદી સાગરમાં ભળે, કુદરતનો નિયમ છે,
એક સ્ત્રી સાસરીએ ભળે, સમાજનો નિયમ છે.
નદી સાગરની ખારાશ પચાવે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સાસરીના રિવાજો પચાવે, સમાજનો નિયમ છે.
નદી પાછી પર્વતને ન મળે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સદાય પિયરે ન રહે, સમાજનો નિયમ છે.
નદી હંમેશાં બે કાંઠે વહે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી પણ બે કુટુંબ ઉજાળે, સમાજનો નિયમ છે.
નદી કિનારે શીતળતા મળે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સાન્નિધ્યે સંતોષ મળે, સમાજનો નિયમ છે.
ગાંડીતુર નદી ગામ ઉજાડે, કુદરતનો નિયમ છે,
માથાફરેલ સ્ત્રી કુટુંબ ઉજાડે, સમાજનો નિયમ છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com
![]()


રવિવારે લેખ પૂરો કરતાં પહેલાં આ પ્રશ્નો પૂછ્યા હતા : કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની પુત્રીની સ્વતંત્રતા અને પોતાનાં સંતાનોનું ભવિષ્ય ’કોઈક’ની વેદી ઉપર હોમી દે છે?
દરેક મનુષ્યે એના પ્રતિકાર માટે આખી રાત ધ્યાન – મંત્રોપાસના દ્વારા શિવની આરાધના કરવાની હોય છે. એટલે જ આ રાત જાગરણની નહીં જાગ્રત થવાની રાત છે. આ જાગૃતિ આપણા વેદ-ઉપનિષદ અને ભગવદ્દ ગીતામાં સરસ રીતે સમજાવાઈ છે. ’આત્મષટ્કમ્’માં પણ એ અત્યંત સહજ રીતે કહેવાઈ છે.
અમારા ઘરમાં પહેલેથી માનવ ધર્મને જ પ્રાથમિકતા આપવામાં આવી છે. ધર્મને અમે સૂક્ષ્મ અર્થમાં જ સમજ્યો છે. ઈશ્વરને કુદરત સ્વરૂપે જ પૂજ્યા છે. અંધશ્રદ્ધા અને ખોટાં રીત-રિવાજોને સ્થાને સત્કર્મને જ પ્રાધાન્ય અપાતું જોયું છે. એટલે આજના આ મહાપર્વે આ ઉત્તમ કૃતિ વાચકો સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ. આમે ય વેદ-ઉપનિષદ-ગીતાના શ્લોકો અને શાસ્ત્રોક્ત શિવસ્તુતિઓ અમને વિશેષ આકર્ષે છે. આપણા આલા દરજ્જાના સ્વરકાર-ગાયક આશિત દેસાઈના કંઠે આ સ્તુતિઓ સાંભળવી એ લહાવો છે. વાગ્ગેયકાર નિનુ મઝુમદાર રચિત અદ્દભુત ગીત સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ: પણ ઉત્તમ શિવસ્તુતિ છે. ઉદય મઝુમદાર એ સરસ પ્રસ્તુત કરે છે. પરંતુ, આજની રચના સાહિત્યિક કૃતિઓથી સાવ અલગ છે, એટલે જ એનું મહત્ત્વ વધી જાય છે. ’આત્મષટ્કમ્’ સંસ્કૃતમાં પંડિત સંજીવ અભ્યંકર સહિત અનેક કલાકારોએ ગાયું છે. ગુજરાતીમાં પિતાશ્રી જયન્ત પંડ્યાએ શિખરિણી છંદમાં શીખવ્યું હતું પરંતુ, પ્રયોગરૂપે એમના સંગીતપ્રેમી પુત્ર અસીમ પંડ્યાએ રાગ બૈરાગીમાં સ્વરબદ્ધ કર્યું અને યુવા કલાકાર રિષભ કાપડિયાએ રાગ બૈરાગીમાં જ ગાયું છે. ઉત્તમ શબ્દો અને સવારના ધીર ગંભીર રાગ બૈરાગીમાં તો આ રચના નિખરી ઊઠે છે છતાં કોઈ સિદ્ધહસ્ત સંગીતકાર આ ગુજરાતી ’આત્મષટ્કમ્’ સ્વરબદ્ધ કરે તો અનેક ગુજરાતીઓ એ આસાનીથી સમજીને ગાઈ શકે. એ રીતે આ કૃતિ કોઈ ગુજરાતી સ્વરકારના ઈન્તજારમાં છે.