ખુલ્લા પાડ્યા
આપણને
સંકુચિતતાના વાડા
કર્યા'તા સૌએ ખડા !
ખુલ્લા પાડ્યા
શાસકોને
મતોના થપ્પા
અને ઠપ્પા દીધા’તા ને આપણે !
ખુલ્લા પાડ્યા
નાગરિકોને
શિસ્તના લીરેલીરા
ઉડાડ્યાને ચોરે ને ચૌટે !
ખુલ્લા પાડ્યા
પરિવારોને
મહિલાઓના શ્વાસ
રૂંધ્યાને આપણે !
ખુલ્લા પાડ્યા
નેતાઓને
ભૂલી ગ્યા’તા ગરીબોને
રઝળાવ્યાને એ સૌને !
ખુલ્લા પાડ્યા
ધર્માંધોને
કર્યા’તા ને ભેદભાવ
એક કોમ ને બીજી કોમના !
ખુલ્લા પાડ્યા
વિકાસરસિયાઓને
શ્રમિકોના
શોષણના ચરખા ચલાવ્યા’તા ને !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020
![]()


આપણે જોયું કે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો અસ્ત શરૂ થયો અને અંગ્રેજોનું રાજ્ય મૂળિયાં જમાવતું ગયું ત્યારે મુસલમાનોનો અભિગમ મૂળ તરફ પાછા ફરવાનો હતો. મુસલમાનોએ ઇસ્લામનાં મૂળ તત્ત્વો છોડ્યાં એટલે રાજ ગુમાવ્યું એમ કહેવામાં આવ્યું. પૂર્વાશ્રમના હિંદુ સંસ્કાર ધરાવતા વટલાયેલા ભારતીય મુસલમાનોને પાક્કા મુસલમાન બનાવવાનું શરૂ કર્યું. ભારતીય ઇસ્લામની વેગળી ઓળખને નકારવાનું શરૂ થયું. ભારતના મુસલમાનો ઉપર ઈરાની પ્રભાવ હતો તેને પણ નકારવાનું શરૂ કર્યું. સૂફીઓના પ્રભાવને નકારવામાં આવ્યો. ભારતને દારુલ હર્બ જાહેર કરવામાં આવ્યું. હિજરત અથવા જેહાદનો માર્ગ અપનાવવામાં આવ્યો. ભારતની સીમાની બહાર મુસ્લિમ વિશ્વબંધુત્વ પર નજર નાખવામાં આવી. આ બધું મુસલમાનોની અંદર પુનર્જાગરણ માટેના એક, એક નહીં એક માત્ર ઈલાજ તરીકે કરવામાં આવ્યું હતું. જો ગયેલો સુવર્ણયુગ પાછો લાવવો હોય તો આ જ એક માર્ગ છે એમ વહાબીઓ અને શાહ વલીઉલ્લાહના અનુયાયીઓ કહેતા હતા.