ખળખળ વહેતું ઝરણું રણ બની જાય છે,
મઘમઘતું જીવન આમ મરણ બની જાય છે.
બેદરકાર પ્રજા જવાબદારી સમજતી નથી,
સરકાર જ નુકસાનીનું કારણ બની જાય છે.
ભૂલો શોધવા તો નીકળ્યા છે દૂરબીન લઈને,
સ્વયં કરવાનું આવે ત્યાં કાયર બની જાય છે.
ખૂબ જોખમી છે મહામારી સામે દુર્લક્ષ સેવવું,
તમારી સમજણ જ તમારું તારણ બની જાય છે.
દોષારોપણની હવે આદત પડી ગઈ છે ‘મૂકેશ’
રામ પણ પ્રજાની નજરમાં રાવણ બની જાય છે.
e.mail : mparikh@usa.com
![]()


લગભગ તે જ અરસામાં આપણે આ સ્થાનેથી લંડન, ન્યૂયોર્ક અને બેજિંગથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’નો હવાલો આપીને લખ્યું હતું કે ભારતની સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા કાયમ ચિંતાનો વિષય રહી છે. ભારતને વસ્તી જે સ્ફોટક રીતે વધી છે, તેની સરખામણીમાં તેના સ્વાસ્થ્ય માળખામાં સુધારો નથી આવ્યો. સામાન્ય સંજોગોમાં પણ આ વિશાળ દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાભરી સ્વાસ્થ્ય સારવાર મળતી નથી, તો કોરોના જેવો મહાકાય રોગચાળો અહી ત્રાટકે, તો દરદીઓ, ડોકટરો અને દવાઓની શી વલે થાય?
‘ધ લાન્સેટ’ જર્નલે એક વર્ષ પહેલાં લખ્યું હતું, “ભારતમાં તેની નબળી સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે પૂરતા પૈસા ખર્ચાતા નથી. દેશનાં અલગ-અલગ રાજ્યો વચ્ચે એટલી ભિન્નતા છે કે રોગચાળાને કાબૂમાં લેવાની દેશની વ્યૂહરચના માટે એ એક પડકાર છે. એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં દરદીઓ સરકારી હોસ્પિટલોના વિશેષ અઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટ્યા હોય અથવા તેમની વિદેશ યાત્રાની માહિતી છુપાવી હોય.”
અનામતનું શૂળ ફરી એક વખત ઉપડ્યું છે. સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને આપવામાં આવેલ અનામત રદ્દ કરી છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામતને સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવી છે. જો કે, જેમને એનો લાભ મળ્યો છે એમનાં પ્રવેશ કે નિમણૂક રદ્દ નહીં થાય, પણ મરાઠા અનામતના આધાર પર નવી વ્યક્તિને હવે કોલેજમાં પ્રવેશ કે નોકરીમાં નિમણૂક નહીં મળે. સુપ્રીમની પાંચ જજોની બેન્ચે ઠરાવ્યું છે કે મરાઠા સમુદાયને આરક્ષણ આપી ન શકાય. અનામત નકારવાનાં કારણો આપતાં સુપ્રીમે જણાવ્યું છે કે મરાઠા અનામત 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજા શબ્દોમાં, અનામત 50 ટકાથી વધવી ન જોઈએ એ કાયદાનું પાલન થતું નથી. એ જ કારણે સુપ્રીમે 1992ના નિર્ણયની સમીક્ષામાં જવાનું પણ સ્વીકાર્યું નથી. મહારાષ્ટ્ર સરકારે ઈમરજન્સી ક્લોઝ હેઠળ આરક્ષણ આપ્યું હતું, પણ સુપ્રીમને એવી કોઈ ઈમરજન્સી જણાઈ નથી. સુપ્રીમને એમ પણ લાગ્યું છે કે મરાઠા આરક્ષણને લીધે ટકાવારી લગભગ 75 ટકા જેટલી થઈ ગઈ છે. આમ તો 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ પછી આરક્ષણની ટકાવારી 52 ટકા થઈ ગઈ હતી, તેમાં 16 ટકા મરાઠાઓ માટેનું આરક્ષણ ઉમેરાતાં અનામતનો આંકડો નક્કી કરેલા 50 ટકાને વળોટી ગયો હોય તો તે બંધારણ મુજબ નથી એ નક્કી છે.