રશિયાની નજર યુક્રેનના બે પ્રાંતો ઉપર છે અને તેને તે ગળી જવા માગે છે. આની સામે યુક્રેનના શાસકોએ હોહા કરી મૂકી છે અને તેના પ્રતિસાદમાં અમેરિકા અને યુરોપના દેશો સક્રિય થયા છે. નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન – સોવિયેત રશિયાનો વિરોધ કરવા કેટલાક દેશોએ આપસમાં લશ્કરી સહયોગ કરવા માટે રચવામાં આવેલું જૂથ) જે સામ્યવાદી રશિયાના પતન પછી અપ્રસાંગિક બની ગયું હતું એ પાછું સક્રિય થયું છે. રશિયા સામે વ્યાપારિક પ્રતિબંધો, અસહકાર, યુનોમાં ઠરાવ અને વળતો લશ્કરી હુમલો કરવા સુધી વાત પહોંચી છે. જગતના દેશો સક્રિય થયા એટલે રશિયાએ પણ પારોઠનાં પગલાં ભર્યાં છે. દરમ્યાન રશિયા અને ચીનની ધરી રચાઈ રહી છે અને પાકિસ્તાન આ બે દેશોની પાંખમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ લખાય છે ત્યારે મોસ્કોમાં છે. ઇમરાન ખાન આ પહેલાં આ મહિનાના પહેલા સપ્તાહમાં ચીન ગયા હતા. પાકિસ્તાન અસમંજસમાં નથી. તેણે અમેરિકાનો હાથ છોડી દીધો છે અને ચીનનો પકડી લીધો છે. હવે તે રશિયાને ટેકો આપીને રશિયાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉપાધિ ભારતની છે. ભારતના શાસકો નક્કી જ નથી કરી શકતા કે ચીનની સામે રચાઈ રહેલી ધરીમાં અસમંજસ ફગાવીને અને જોખમ ઊઠાવીને જે થવું હશે એ થશે એમ વિચારીને જોડાઈ જવું જોઈએ કે પછી ચીનની સરસાઈ સ્વીકારીને ચીન સામે ટકાઉ સમજૂતી કરવી જોઈએ? અમેરિકા ઈચ્છે છે કે ભારત ખુલ્લીને આગળ આવે. હજુ પખવાડિયા પહેલાં અમેરિકન સરકારે જાગતિક સ્થિતિનો જે વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે એમાં ચોખ્ખું કહ્યું છે કે ભારત ઉપર ચીન તરફથી મોટું લશ્કરી સંકટ તોળાઈ રહ્યું છે. એક રીતે આ ઈજન હતું કે ચીન સામે ખુલ્લો મોરચો માંડ્યા વિના ભારત પાસે કોઈ વિકલ્પ નથી, માટે જે વિકલ્પ ઉપલબ્ધ છે એ સ્વીકારી લેવો જોઈએ. આ વિકલ્પ આસાન નથી. જોખમી છે અને ભારત ચીનનો પાડોશી દેશ હોવાથી એ વિકલ્પ ઘણો વધારે મોંઘો પડી શકે.
ચીન આ જાણે છે અને તેનો તે લાભ લઈ રહ્યું છે. તેને ખબર છે કે ભારત ચીન સાથે અથડામણમાં ઉતરતાં પહેલાં સો વાર વિચાર કરશે. અમેરિકા ભરોસાપાત્ર નથી એનો અનુભવ ભારતને અને જગતના બીજા દેશોને અનેકવાર થયો છે. ચીનના નેતાઓ આ ઉપરાંત એક બીજી વાત પણ જાણે છે. તેમને ખબર છે ભારતના પોતાને બહાદુર તરીકે ઓળખાવનારા રાષ્ટ્રવાદી શાસકો ચીનની સરસાઈનો જાહેરમાં સ્વીકાર કરવાના નથી. એમાં તેઓ નાનપ અને ભોંઠપ અનુભવે છે અને આ માનસિકતાનો પણ ચીન લાભ ઊઠાવી રહ્યું છે. ચીન છાતી પર ચડીને ગુદગુદી કરી રહ્યું છે અને આપણા શાસકો ભોંઠપના માર્યા ઊંહકારો કરતા નથી. સરહદ તરફ નજર કરતા નથી, એક શબ્દ બોલતા નથી અને પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીનને જેમજેમ આ માનસિકતાની ખાતરી થતી જાય છે એમ તે વધારે ને વધારે ગુદગુદી કરી રહ્યું છે.
જેમ ચીનને આ વાતની ખાતરી છે એમ ભારતના વર્તમાન શાસકોને પણ એક વાતની ખાતરી છે કે ચીન ભારતનું માર્કેટ ગુમાવવા માગતું નથી એટલે તે વધુમાં વધુ ભારતને સતાવશે, ગુદગુદી કરશે પણ ઘણું કરીને આક્રમણ નહીં કરે. ભારતનું માર્કેટ ગુમાવવાથી ચીનના અર્થતંત્રને બહુ મોટો ફટકો પડી શકે છે અને તે લશ્કરી કે ભૌગોલિક-રાજકીય લાભ કરતાં વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે ભારતના શાસકો સતામણી અને ગુદગુદી સહન કરે છે.
પણ ક્યાં સુધી? આ રોજેરોજની સતામણી અને ગુદગુદીનું શું? એ અપમાનજનક સ્થિતિ છે એ ન ભૂલવું જોઈએ.
છે કોઈ ઉપાય? ઉપાય છે વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો. દીવાલ પરના લખાણને વાંચવાનો. સરહદના પ્રશ્નને વાટાઘાટો દ્વારા બાંધછોડ કરીને ઉકેલવાનો. વિરોધ પક્ષોને અને પ્રજાને વિશ્વાસમાં લેવાનો. ચીન સાથે સર્વસંમતિ આધારિત સાતત્યપૂર્વકની ટકાઉ વિદેશનીતિ ઘડવાનો. પાડોશી દેશો સાથે ઝૂકતું માપ આપીને પણ સંબંધ સુધારવાનો. ચીન સામેના આર્થિક વ્યવહારમાં ધીરેધીરે હાથ ઉપર કરવાનો. અર્થતંત્ર મજબૂત કરવાનો. જો પક્ષીય રાજકારણ વચ્ચે લાવ્યા વિના બે દાયકા માટે વ્યવહારુ નીતિ સાતત્યપૂર્વક અપનાવવામાં આવે તો ચીનની રોજની ગુદગુદીથી મુક્તિ મળે. પણ આ બધા માટે દેશમાં પ્રજાકીય એકતા જરૂરી છે. એક પ્રજાને બીજી પ્રજા સામે ભડકાવવાથી તેમ જ લડાવવાથી માત્ર ચૂંટણી જ જીતી શકાય, બાકી દરેક મોરચે પરાજય અટલ છે. ચીનના શાસકો પ્રજા વચ્ચે વિખવાદ નથી પેદા કરતા. જગતના તમામ શક્તિશાળી દેશો તરફ નજર કરશો તો આ જ હકીકત નજરે પડશે. લડતી પ્રજા દેશને સમૃદ્ધ ન કરી શકે.
વાત ગળે ઉતરે છે? વિચારી જુઓ!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ફેબ્રુઆરી 2022
![]()


થોડા અઠવાડિયા પહેલાં ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર એક ફિલ્મ રિલીઝ થઇ, ‘ગેહરાઇયાં’. શકુન બત્રાની આ ફિલ્મને તેની બોલ્ડનેસ માટે ઘણી ચર્ચવામાં આવી. કોઇએ તેને વખોડી તો કેટલાકે વખાણી. જો કે ગેહરાયઇયાંને માથે માછલાં વધારે ધોવાયા. લોકોએ તેને ઇનફિડલિટી – બેવફાઇના વિષયને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મ તરીકે ખપાવી.
આ ફિલ્મ બેવફાઇ વિશે છે? હા અને ના. આ ફિલ્મ એક બહુ અગત્યના મુદ્દા અંગે છે – ચાઇલ્ડહુડ ટ્રૉમા. ઇન્ટરનેટની દુનિયામાં તરબોળ લોકો હશે તે અને ખાસ કરીને Gen-Zને આ શબ્દ વિશે ખબર હશે. આમ તો આપણી ભારતીય સમાજ વ્યવસ્થામાં આ બધી બાબતો પ્રત્યે લોકો બહુ સંવેદનશીલ નથી હોતા, બદલાતા સમય સાથે શહેરોમાં આ બાબતે થોડીઘણી જાગૃતિ આવી છે. જો કે આ જાગૃતિ એવા લોકોમાં આવે છે જે નવી પેઢીનાં છે અને પોતાના વર્તન, વહેવાર, સંબંધોમાં આવતી સમસ્યાઓને ચાઇલ્ડહુડ ટ્રોમા સાથે સંબંધ છે, એવું સમજી શકે છે. અંગ્રેજી ફિલ્મો જોવાની ટેવ હશે તેને ખ્યાલ હશે કે ત્યાંની સંસ્કૃતિમાં મોટે ભાગે બાળકો સામે માતા-પિતા એકબીજાં સાથે ઊંચા અવાજે બોલવાનું પણ ટાળે છે. ત્યાં છૂટાછેડા થાય જ છે, પણ તેની આસપાસનો ડ્રામા-તાણ-હુંસાતુંસી બધું છોકરાંઓની હાજરીમાં કરવાનું ટાળવામાં આવે છે. આનો અર્થ એમ નથી કે ત્યાં સમસ્યાઓ હોતી નથી, પણ આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને કારણે શારીરિક હિંસાના બનાવો, રોકકળના બનાવો, બોલાચાલી, ઝગડા બધું જ છડેચોક થાય છે. આ બધી બાબતોની બાળકોના મન પર ધાર્યા કરતાં વધારે ઊંડી અસર પડતી હોય છે. ફિલ્મના પાત્રોના સંદર્ભે ચર્ચા કરીએ તો દીપિકા – અલિશાએ નાનપણમાં માતાની આત્મહત્યા જોયા બાદ હંમેશાં પોતાના પિતા નસીરુદ્દીન શાહ – વિનોદ-ને આ ટ્રેજેડી માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેનું પાત્ર વયસ્ક થયું પછી પણ મનમાં ઘર કરી ગયેલા આ વિચાર અનુસાર જ તેનો વહેવાર પણ ઘડાયો. યોગ શિક્ષક હોવા છતાં તેને એન્ગ્ઝાયટી ઇશ્યૂઝ છે, આ માટે તે દવાઓ લે છે. તેને જિંદગીમાંથી બીજા લોકો તેને છોડીને ચાલ્યા ન જાય તેનો ડર રહે છે, એને લાગે છે કે જે રીતે તેની મમ્મીને લાગતું હતું કે પોતે ‘સ્ટક’ છે, ફસાયેલી છે એવી રીતે તે પણ સ્ટક થઇ જશે. તેનો વર્તમાનકાળ જેમાં તે જે રિલેશનમાં છે તેનાથી તે ખુશ નથી પણ ભૂતકાળનો બોજ તેને વર્તમાન બદલવાની હિંમત પણ નથી આપતો. આ તરફ સિદ્ધાંત ચતુર્વેદીનું પાત્ર છે તેણે નાનપણમાં ઘરમાં પોતાની માને માર ખાતા જોઇ છે, ટૉક્સિક રિલેશનશીપ ચલાવતા જોઇ છે અને બેજવાબદાર પિતા જોયા છે જેને કારણે ગરીબીમાં ઉછરેલા આ પાત્રને માટે આર્થિક સલામતી સૌથી અગત્યની બાબત છે, અને એ માટે તે કોઇપણ સ્તરે જવા તૈયાર છે. પછી ભલેને અનન્યા પાંડેને મારી નાખવાનો વિચાર આવે કે દીપિકાની હત્યા કરવાનો તે પ્લાન કરે. ફિલ્મના બીજા ભાગમાં જ્યારે અણધાર્યા વળાંકો આવી જાય છે પછી અનન્યા પાંડેનું પાત્ર – ટિયા દીપિકાને પોતાના પપ્પા અને તેની માતા વચ્ચેના સંબંધની વાત કરે છે. અચાનક જાણે ચોકઠાં ગોઠવાઇ જાય છે કે શા માટે બે ભાઇઓ છૂટા પડ્યાં, શા માટે માએ (ગિલ્ટમાં) આત્મહત્યા કરી. આખી જિંદગી પિતાને દોષી માનતી અલિશાને સમજાય છે કે વિક્ટિમ તો તેના પપ્પા પણ હતા, પણ તેમણે પોતાના ભૂતકાળને સ્વીકાર્યો. નસિરુદ્દીનનું વેર-વિખેર ઘર, પોતાની કાળજી ન રાખનારું પાત્ર એટલે કે એવી વ્યક્તિ જેને પ્રેમ નથી મળ્યો, દગો થયો છે અને માટે તેને પોતાની પરવા કરવામાં કોઇ ખાસ રસ નથી. એ દીકરીને ખાતર, જે દીકરી તેને ગુનેગાર માને છે, તેને ખાતર જિંદગી મેનેજ કરે છે કારણ કે તે ભૂતકાળમાંથી તેને ખાતર પણ ‘મુવ ઓન’ થયું છે. ફિલ્મનું હાર્દ અલિશા-વિનોદ વચ્ચેનો સંવાદ છે, જેમાં પિતા દીકરીને કહે છે કે, ‘આપણી ચોઇસ સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ તમારે તમારી જાતને એક મોકો તો આપવો જ પડે.’
દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ છીએ અને એક લાંબા પથ પર આપણને એમનું એક અજવાળું મળતું રહ્યું છે અને સદ્ભાગ્યે અજવાળું એવું છે કે sound, light put together કારણ કે બુલંદ અવાજ છે અને વિચારની બુલંદી છે. આમ, આ રીતે શરૂઆત કરાય કે નહીં તે હું જાણતો નથી. પણ એકવાર અસગરઅલી એન્જિનિયરે સૈયદ શાહબુદ્દીન વિશે પ્રશ્ન કર્યો હતો, કે તમે ‘મુસ્લિમ ઇન્ડિયન’ છો કે ‘ઇન્ડિયન મુસ્લિમ’ છો? અને પછી કહ્યું, “હું ઇચ્છું કે તમે ઇન્ડિયન મુસ્લિમ હો.” દાઉદભાઈ આ બધા સવાલની બહાર છે, કારણ કે એક નાગરિક તરીકેનું એમનું વ્યક્તિત્વ જે રીતે વિકસ્યું છે એ રીતે એ આ છેડે કે પેલે છેડે કોઈ પણ કુંડાળું કે કોઈ પણ પ્રકારનું exclusion, એમાં તે જઈ શકે નહીં. એમની એ એક મોટી વિશેષતા છે. ખરું પૂછો તો આ સહજ છે, અને એમને માટે આપણે આવો જુદો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરવો પણ પસંદ ન કરીએ. પણ જે દોરમાંથી, જે દિવસોમાંથી, આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં this needs to be stressed એમ મને લાગે છે.

નારાયણભાઈને બહુ સ્પર્શી ગયો હતો. અને દાઉદભાઈનું જે આખું વિશ્વદર્શન, મેં બે કે ત્રણ વાર એમને સાંભળ્યા એ જે વિશ્વદર્શન છે તે આ સંકલિત લેખોમાં પણ દેખાય છે. સંકલિત-સંપાદિત લેખોમાં પણ એ એક ન્યાયી દુનિયાનું છે, નવી દુનિયાનું છે અને જ્યાં ઊભા છીએ ત્યાં સાંકડામાં સમાવાનું નથી એટલે કે દિલ સાંકડા કરવાનું નથી, ચિત્ત સાંકડું કરવાનું નથી. જગ્યા સાંકડી હોઈ શકે પણ એક વ્યાપકતા એટલે કે ઉપનિષદ પરંપરામાં કહીએ કે ભૂમાથી મોટું કોઈ સુખ નથી એ તમને આમાંથી પસાર થતાં પણ દેખાશે.