આખી દુનિયાને; એક ખૂણો નિરાંતનો બસ છે,
હો ભલે જગતનાં સુખ તમામ નિત્ય ખ્વાબમાં.
આ જિંદગી કેવી ઉતાવળથી જીવાતી જાય છે,
યુગયુગોની ક્ષણ ગણું છું ફજરની નમાઝમાં.
કિંતુ હજી ય દિલચસ્પ છે મનોરમ્ય જીવનની કથા,
ચશ્માં જેવી આંખથી વાંચે અનેક નકશા નકાબમાં
ૐ તત્સત્ સ્વયંભૂ જેમાંથી પત્રકમળ ખીલેલાં,
બહાર અંદરથી એક જ નકશો સફરના માર્ગમાં.
હું જર્જરિત છું ને સઘળા બંધનથી મુક્ત છું,
હળવો ફૂલ બની ફરું છું; ચમનની ફૂલછાબમાં.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()



નૂપુરના કર્કશંકાર વચ્ચે લખવા બેઠો છું, ત્યારે ખરેખર તો ચિત્તમાં રમતી બે તારીખો, પચીસમી જૂન અને પહેલી જુલાઈ છે. ૧૯૭૫માં ચાલુ પખવાડિયે બંધારણ સભાએ નહીં કલ્પેલ રીતે કટોકટીરાજ લાદવામાં આવ્યું હતું અને સ્વરાજ પણ જાણે તહસનહસ થતું લાગ્યું હતું. ૧૯૪૬ના જુલાઈની પહેલીએ, સ્વરાજ વરસેકમાં આવવાનું હતું અને વસંત-રજબની શહાદત સાથે સ્વરાજ સમક્ષનો રક્તભીંજ્યો એજન્ડા સહસા ઊઘડી આવ્યો હતો.