એક મહિનાથી શહેર આખામાં સ્નૉ-બરફનાં તોફાનો થયાં. દેશભરમાં ઍરપોર્ટ પર હજ્જારો ફ્લાઇટસ બંધ. શહેરના રસ્તા પર આડીઅવળી અકસ્માતમાં ફસાયેલી મોટરો, બસો, ટેક્સીઓ બધી ફીટાંશ કરેલી બોર્ડગેમની બાજીના કૂટા જેવી દેખાતી હતી. ચિંતા ફક્ત એક જ હતી કે બસ હવે મારા ઘરની લાઇટ ના જાય.
પણ જો ખરેખર લાઇટ જાય તો ?
તો. ઓ ગૉડ ! ઘરમાં શું શું થઈ શકે તે વિચારો મારા દીમાગમાં ફ્લેશ થવા માંડ્યા. આ ગરમ હવા જે મારા બેઝમેન્ટમાંથી આવે છે તે સંપૂર્ણ બંધ થશે. તો પાછાં ત્રણ ચાર પડ થાય તેવાં કપડાં, બબ્બે જોડ મોજાં, બન્ને હાથે અને પગે, અરુણાચલના નક્સલવાદીઓ જેવી કાનટોપી – એ બધા વાઘા પહેરવા પડશે. ફ્રીઝરમાંથી આઇસ્ક્રીમના રેલા થઈને ઊતરશે, પછી એ ફીણાતાં ફીણાતાં બધા કીચનના સેન્ટરમાં જમા થશે. કોઇને ફોન નહીં કરવાનો, રખે ને ફોનની બેટરીનો ચાર્જ જતો રહે. ઇન કેસ, જીવ નીકળતો હોય તો 911 ડાયલ કરવા બચાવવો પડશે. ગરાજનું ઇલેક્ટૃિક ડોર નહીં ઊઘડે. ડૃાઇવ વે ઉપર ચાર ફૂટનો સ્નો પડ્યો છે તેનું શું કરીશું ? ગેરકાયદે ઘૂસી આવેલા મેક્સિકન છોકરાઓ બચાડા એ સ્નો સાફ કરવા તો આવશે પણ મારો ડોરબેલ જ કેવી રીતે વગાડશે? નો ઇલેક્ટૃિસિટી ! નાઇટ આઉટ ઇન ધિસ પંચવટી કે અશોકવાટિકા ? આ ઘર સુધી ઍમ્બ્યુલંસ કેવી રીતે આવી શકશે? શું મારે મારા બેડમાં જ લોન્લી લોન્લી મરવાનું ?
શું સાચે જ મારે બહાદુર શાહ ‘ઝફર’ ની જેમ દાઢી વધારીને મરચલા થઈને આ ગાવું પડશે ?
ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન,
દો આરઝૂ મેં કટ ગયે, દો ઇંતઝાર મેં.
ઉંમરને કારણે હશે કદાચ કે હવે કાળજું મારું એટલું નાજુક થઈ ગયું છે કે આ જરા સી આહટ હોતી હૈ યે બારણાકી, ને થાય છે કે ,
કહીં યે વો તો નહીં ?
આ વો એટલે કોણ ? વો એટલે પેલો રીત સરમનો બરછીધારી મહા મૂછ્છાળો ખુલ્લા બદનવાળો, બાંવડાં પર કડાં પહેરેલો ચિઠ્ઠીનો ચાકર યમ. યસ યમ ઉર્ફે જમ. યસ. ધી ડેથ ! બીજું કોણ ? મારું મોત. મોત. ને મોત જ. એ આવશે ને કોઈ અજાણ પળે એનાં હાથમાં આઈ-પૅડ લઇને મને કહેશે,
‘આરપી ? કમ વીથ મી. નો.નો. પાસપોર્ટની કે વીસા કાર્ડની આવશ્યકતા નથી. ચલો પહેરેલે કપડે જ..’
*
મારો એક મિત્ર છે દેસાઈ કરીને. એનો હંમેશાં ફોન આવે, ‘બોલ, સામે એક સાઉથ ઇંડિયન નવો રહેવા આવ્યો.
તે સવારે ઊઠ્યો ને ન્હાવા ગયો ને બહાર નીકળ્યો તો એને એકદમ પરસેવો થયો. એટલે એ બેડમાં જરા ટેંપરરી આડો પડયો. હવે તે જ વખતે ઘરમાં ફોન વાગ્યો. તો વાઇફ એ રૂમમાં ગઈ ને એઝ યુઝ્વલ તડૂકી,
‘ફોન નથી લેતા ? ઈંડિયાનો નંબર છે.’
‘ડૉન્ટ નો .. સારું નથી લાગતું. જો આ મારા બોડી પર પરસેવો પરસેવો .. !’
‘એ તો તમે ઊકળતા પાણીએ શાવર લો છો એટલે. વાઇફનું એ નિદાન સાંભળે તે પહેલાં એ માણસ મરી ગયો. બોલ.’
દેસાઈને આવા તો અનેક ભેદભરમી િકસ્સાઓ મ્હોંઢે છે. ‘પેલો પંચાલ .. તું ઓળખે એને. એની વાઇફને ચા વગર ના ચાલે માટે. ચા વગર એને નંબર બે .. થાય જ નહીં, ઊતરે જ નહીં. એટલે એના માટે પંચાલ માઇનસ ટેન ડિગરી વેધરમાં દૂધ લેવા ગયો. ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરવા ગયો ને ત્યાંને ત્યાં જ ખલાસ !’
‘ઍક્સિડેન્ટ ?’ મેં પૂછેલું.
‘ના. છાતીમાં પેસ મેકરનો વાયર તૂટી ગયો .. તે હાર્ટ બંધ પડી ગયું.’ દેસાઈએ મને હિચકોકની સિફતથી કહ્યું.
*
બહાદુર શાહ જેવો ઇંતઝાર મારાથી હવે વેઠાતો નથી. પાછું મારે તો બીજું પણ એક ઑબ્સેશન છે. યૉર્સ ટૃલીને યાને કે મારે યાર મરણનો મોભો જોઈએ છે. અંદરખાનેથી મારી એવી ઈચ્છા ખરી કે હું કોઈ હોસ્પિટલના આઇ.સી.યુ.માં હોઉં ને સાહેબ ! મારા નાકમાં ઑક્સિજનની ટોટી હોય, કોણી આગળ ગ્લુકોઝની ટ્યૂબ હોય, વચ્ચે લંબગોળ નલિકાની અંદર ક્રમશ: ભરાતું હોય તેવું ક્લિયર ડૃીપ હોય અને પછી એ ડૃીપ ટેરવે લટકી લટકીને ટપકે. આઇ ડોન્ટ લાઇક નમાલું મોત ઇન માય હાઉસ. મારું મોત એવું જટિલ હોવું જોઈએ કે સમસ્ત વિશ્વના મહાબલી ડૉક્ટરો અંદરોઅંદર એક બીજાને પૂછે,
‘ડૉક્ટર ! તમને શું લાગે છે ?’ બધા એક જ વાક્ય મહાપતિને પૂછે છે,
‘આઇ ડૉન્ટ નો … બ્લડ ટેસ્ટ, કેટ સ્કેન, એમારાઈ, બાયોપ્સીઝ અને બધી જાતની સ્કોપીઝ ઑલ નોર્મલ છે.’
બધું નોર્મલ હોય ને હું મરું તો જ ભડવીર ગણાઉં. સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ જેમ મને ઑર્ડિનરી મોત ના ખપે. મોત પછીનું પણ મારું સ્ટેટસ હોવું જોઈએ. મારું બોડી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાય અને પછી એક ભવ્ય ફ્યૂનરલ હોમમાં વ્યૂઈંગ થાય. સફેદ કડક કોલરની વચ્ચોવચ્ચ લાલ બૉ ટાઈ ને ટક્સીડો પહેરીને મને સૂવડાવ્યો હોય ને હું ઠાવકો લાગતો હોઉં. બે-ચાર જણ મારા વિષે બોલે, પાછળ પાવર પોઇન્ટથી મારી જીવન ઝરમરની સ્લાઇડઝ બતાવે. લોકો તે વખતે સિસકારા બોલાવે,
‘માય ગૉડ, લૂક એટ હીમ, તે જમાનામાં એ કેવો પ્રિન્સ જેવો દેખાતો’તો. શર્ટનું સૌથી ઉપલું બટન પણ એ વાસતો!’
મને એવો અભરખો પણ ખરો કે મારી થોડી વિડીઑ ક્લિપ્સ પણ બતાવે. તે વખતે લોકો ચડીચૂપ બેઠા હોય. પાછળ ચર્ચના ઘંટ વાગતા હોય. વાટિકનની બારીમાંથી ધુમાડો નીકળતો હોય.
એવો સિનેમાસ્કોપ નઝારો મારે જોઈએ. મારી બાયોગ્રાફીની ડી.વી.ડી. પણ સાહિત્ય અકાદમી-ફકાદમી તરફથી બહાર પડે. જેમાં તમારે લોકોએ મારી લાઇફનું કશું પણ છુપાવવાનું નહીં, કારણ મરી ગયા પછી સર્વે પાપ ધોવાઈ જાય છે. એટલે એમાં પેલો પ્રસંગ પણ ટાંકજો :
સેવન્ટીઝમાં એક ગુજરાતી નટી મિસ કુંજબાલાને મેં મારા વરદ હસ્તે અમારા ફલાણા સમાજ ઑફ નોર્થ અમેરિકા તરફથી એક પ્લૅક આપેલી. ત્યારે ગ્રુપ ફોટો પડાવેલો. તેમાં મારો જમણો હાથ મિસ કુંજબાલાના સ્લીવલેસ જમણા ખભા પર હતો અને મેં મારી એ હથેળીની આંગળીઓ કોકડું વાળીને એના મસૃણ શોલ્ડર પર મારી પકડ લીધેલી. ત્યાં ઊભેલા ભોળા લોકોને એમાં કશું પાપ દેખાયેલું નહીં. પણ એ િવડીઑ ક્લિપને વારંવાર જો જો કરવાથી મારી પત્ની અનસૂયા ‘હર્ટ’ થયેલી. પછી તો એણે એની એ જ ક્લિપ સ્લો મોશનમાં હજાર વાર જોઈ હશે. એકવાર તો મને એવો શક પણ પડ્યો કે એણે દેશભરની અન્ય નામાંકિત સ્ત્રી લીડરોને પણ એ વિડીઅૉ મોકલી છે ને એ બધી મારા મગજનું પૃથક્કરણ કરી રહી છે. એક હાઈ સોસાયટીની નાજુક સ્ત્રી મારા એ ધૃષ્ટ ચાળાને ટકી શકી. એ નેજા હેઠળ અનસૂયાને કોઇ રાષ્ટ્રીય ઍવોર્ડ પણ મળ્યો. એના ફોટા સાથે પેપરમાં કોલમો લખાઈ. એમાં વાચકોએ એને ઝાંસીની રાણી કરતાં ય વધારે બોલ્ડ છે, એમ કહેલું. (ઝાંસીની રાણી પાસે તલવાર હતી, ઘોડો હતો, બખ્તર હતું. બિચારી અનસૂયા પાસે તો ફોન પણ નહતો.)
મેં પત્નીને જોકમાં કહ્યું, ‘હની ! એ ઍવોર્ડમાં મારો હાથ છે. તું મને એક સિંપલ થેંક્યુ કહીશ તો ચાલશે.!’ તો એણે મારી એ કોમેંટ કોઈ પીટક્લાસના મિલ મજદૂરના મહુડાના દારૂ જેવી ચીપ લાગી માટે ફગાવી દીધી.
હવે એવી ગિન્નાયેલી પત્ની આ સ્નો સ્ટૉર્મમાં મારી રૂમમાં છે. હું ખાટલે પડ્યો છું ને એકલો છું. ધારો કે એ મને અત્યારે કુંજબાલા કેસની શિક્ષા કરે તો? અહીં આ ડાક બંગલામાં છે કોઈ એને રોકનાર ? માટે જ આઈ વોન્ટ માય મોત ઇન આઇ.સી.યુ. મારા અગ્નિસંસ્કારનો પણ એક ફેસ્ટીવલ થવો જોઈએ હોલિકા જેવો. એના ફોટા ફેસબુકમાં જવા જોઈએ. કમસે કમ એ દસ બાર કરોડ લોકો જુએ. તો મારો આ જન્મારો પણ વસૂલ થયો ગણાશે.
સુજ્ઞ વાચકને રેફરંસ તરીકે કહું કે આપણાં સર્વોત્તમ લેખકો (નર્મદથી શરૂ કરો તે સુરેશ જોષી સુધી) અને કવિઓ (દલપતરામથી સિતાંશું ), ગઝલકારો (બાલાશંકર સે ચિનુ મોદી તક) કે વિવેચકો (નવલરામથી ટોપીવાલાને લઈ લો) એ બધાની સારી કે કચરો બધી જ કૃતિઓ ભેગી કરીએ અને ધારો કે પ્રજાજનોને ફરજિયાત રાત-દિવસ વંચાવડાવીએ (અલબત્ત, મફત ડિનરની કૂપનો આપીને) તો પણ મારા બાર કરોડના રેકોર્ડને ક્યારે ય આંબી નહીં શકે. ચેલેંજ.
તમને હવે લાગશે કે મેં મારું કાળજું મજબૂત કર્યું છે. ઉપર મુજબ ફેસબુકનો દાખલો મેં ટાંક્યો ને મારો જન્મારો કેવો વસૂલ થયો ગણાશે એમ પણ ફુલાઈને લખ્યું. છતાં સિક્રેટ કહું ? જેવી આ પંક્તિ સાંભળુ છું :
જરા સી આહટ હોતી હૈ, કે દિલ સોચતા હૈ,
કહીં યે વો તો નહીં ?
કે પાછી પગમાં કંપારી છૂટે છે. શું યમ પોતે હવે ફેન્સી વિગ પહેરીને મારી સામે માશૂકાના રૂપે આવીને છળકપટથી મને ઊપાડી જશે ? આ બારણાની સામે તાકીને બેઠો છું .. રખે એ આવે, અજવાળાં પહેરીને ઊભા શ્વાસ.
March 30, 2014
***
e-mail: rpshah37@hotmail.com
![]()


UPSCની પ્રવેશપરીક્ષામાં હિન્દી અને અંગ્રેજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોઈ અંગ્રેજી પુસ્તકના પ્રકાશનની આખું પાનું ભરીને ઍડ્વર્ટાઇઝમેન્ટ આપવામાં આવે એ બદલાતા યુગનો સંકેત આપે છે. ફ્લિપકાર્ટ નામના ઑનલાઇન સ્ટોરે ચાર દિવસ પહેલાં “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”ના કવરપેજ પર ચેતન ભગતનાં પ્રકાશિત થઈ રહેલાં પુસ્તકોની એડ્વર્ટાઇઝમેન્ટ આપી હતી. “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા” ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે ભારતનું સૌથી મોંઘું અખબાર છે. એના પહેલા પાના પર ઍડ્વર્ટાઇઝમેન્ટ છપાવવા પાછળ ફ્લિપકાર્ટે ઓછામાં ઓછા ૮૦ લાખથી એક કરોડ રૂપિયા ખર્ચ્યા હશે. આ તો મુંબઈ શહેરની વાત થઈ. બીજાં મહાનગરોમાં કરવામાં આવેલી જાહેરખબરોનો ખર્ચો જોડો તો ફ્લિપકાર્ટે ત્રણેક કરોડ રૂપિયા ખર્ચ્યા હોવા જોઈએ. ચેતન ભગતની પ્રકાશિત થઈ રહેલી અંગ્રેજી નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ની ઓછામાં ઓછી ૩૦ લાખ નકલ વેચાય તો જ ઍડ્વર્ટાઇઝમેન્ટનો ખર્ચો પોસાય અને એટલી પહોંચ આજે અંગ્રેજી પલ્પ લિટરેચરે મેળવી લીધી છે એમ આ ઍડ્વર્ટાઇઝમેન્ટ સૂચવે છે.
“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”
ઈચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટીશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા. અને છતાં તેમના ૧૮૯૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે અને તેથી તેમણે રાજદ્રોહનો ગુનો કર્યો છે. પોલીસે મલબારીના છાપખાનાની ઝડતી લીધી. સરકારમાં ચર્ચા ચાલતી રહી, પણ અદાલતમાં કેસ જ મંડાયો નહિ. કારણ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝમાં કેટલાક બ્રિટીશ આગેવાનોએ મલબારીનો જોરદાર બચાવ કર્યો હતો.
નીરખવાના પોતાના પ્રયાસ રૂપે રમણલાલે ‘દિવ્યચક્ષુ’ને ઓળખાવી છે. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી અને તોછડાઈ, જેવી એ જમાનાની ઘણી બધી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓને રમણલાલે આ નવલકથામાં પ્રણય કથાની ઓથે અસરકારક રીતે નિરૂપી છે. ‘દિવ્યચક્ષુ’ પૂરી થઈ તે પછી તરત જ રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદી’ માસિકમાં છપાવી શરૂ થઈ. આ નવલકથા તે ‘ભારેલો અગ્નિ.’ ૧૮૫૭ની ક્રાંતિનું ખૂબ જ પ્રભાવક ચિત્રણ આ નવલકથામાં તેમણે કેટલાંક ઐતિહાસિક અને કેટલાંક કાલ્પનિક પાત્રો દ્વારા નિરૂપ્યું છે. પોતે નવલકથા લખી રહ્યા છે, ઇતિહાસ લખવા બેઠા નથી, એ વાતનો લેખકને સતત ખ્યાલ રહ્યો છે એટલે ૧૮૫૭ની ક્રાંતિ આખી નવલકથામાં સતત અસરકારક પાર્શ્વભૂમિ તરીકે રહે છે, પણ કથાના રંગમંચ પર આપણી નજર સમક્ષ રહે છે તે તો તેનાં ગૌતમ, મંગલ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી, અને રુદ્રદત્ત જેવાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ. નવલકથાનાં બધાં પાત્રો અને પ્રસંગો પર રુદ્રદત્તના પાત્રની છાયા પથરાયેલી રહે છે, અને રુદ્રદત્ત પર સતત ગાંધીજીની છાયા પથરાયેલી રહી છે. આપણા કેટલાક વિવેચકોને આ અંગે લેખક સાથે વાંકુ પડ્યું છે. ગાંધીજીની જેમ જ રુદ્રદત્ત પણ અહિંસાના પ્રખર પૂજારી છે.
પણ નવલકથા કરતાં ય વધુ ઉત્કટતાથી સ્વાતંત્ર્ય ભાવના ઝીલાઈ હોય તો તે આપણી કવિતામાં. ગાંધી યુગનો ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેણે સ્વાતંત્ર્યની લડત વિષે કે ગાંધીજી વિષે એક પણ કાવ્ય લખ્યું ન હોય. ૧૯૩૦થી ૧૯૫૦ સુધીના સમયગાળામાં આ પ્રકારનાં ઢગલાબંધ કાવ્યો આપણી ભાષામાં લખાયાં. પણ તેમાં સૌથી વધુ લાંબો સમય ટકી રહ્યાં હોય તો તે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો. મૂળ જીવ લોક જીવન અને લોક સાહિત્યનો. પણ ગાંધીજી, તેમની ચળવળ, અને દેશની ઉજળી આવતી કાલમાં મેઘાણીને પારાવાર આસ્થા. તેમનો ‘યુગવંદના’ કાવ્ય સંગ્રહ તો ૧૯૩૫માં પ્રગટ થયો, પણ તે પહેલાં ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયેલા ‘સિંધુડો’ નામના ૩૦ પાનાંના સંગ્રહમાં જે ૧૬ કાવ્યો હતાં તે લોકોમાં અગ્નિ જ્વાળાની જેમ પ્રસરવા લાગ્યાં. બ્રિટીશ સરકાર ચોંકી ઊઠી અને આ સંગ્રહની બધી નકલો જપ્ત કરી. પણ સરકાર જાગી તે પહેલાં તો તેની દસ હજાર જેટલી નકલો વેચાઈ ચૂકી હતી! એ જ વર્ષે ધંધુકામાં કરેલા એક ભાષણને નિમિત્ત બનાવી સરકારે મેઘાણી પર રાજદ્રોહનો ખટલો માંડ્યો અને મેઘાણીને બે વર્ષની જેલની સજા થઈ. ૧૯૩૦ના એક જ વર્ષમાં મેઘાણીએ લખેલાં કેટલાં કાવ્યો આજ સુધી તાજાં રહ્યાં છે!
“તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!