૩૩ : Me By Me અર્થાત્ સેક્સવર્કર બહેનોને ફોટોગ્રાફીની તાલીમ. દેહવ્યાપાર કરતી બહેનોને સમાજની મુખ્ય ધારામાં જોડવા જ્યોતિ સંઘે એક દાયકા સુધી અનેક પ્રયત્નો કર્યા. તેમનો એક મહત્ત્વનો અને પ્રયોગશીલ પ્રયત્ન એટલે બહેનોને ફોટોગ્રાફીની તાલીમ. UNDPના ઉપક્રમે અને TAHA (Prevention of Trafficking, HIV and AIDS in Women and Girls) દ્વારા તારીખ ૫થી ૮ ફેબ્રુઆરી, ૨૦૦૭ દરમિયાન એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું.
દિલ્હીના જાણીતા ફોટોગ્રાફરને નિમંત્રણ આપવામાં આવ્યું. ૩૦થી વધુ બહેનોને દરેકને એક કૅમેરા અને રોલ્સ ભેટ આપવામાં આવ્યા. કૅમેરાની રચના અને કાર્ય સમજાવવામાં આવ્યા. ફોટા કેવી રીતે પાડવા એ માટે લાઇટ, ઍંગલ વગેરે પાસાંઓની પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી. ત્યાર બાદ દરેક બહેનને કહેવામાં આવ્યું કે તેઓ તેમના એક દિવસને કૅમેરામાં કેદ કરે તેમ જ તેઓને મનપસંદ તસ્વીર ખેંચે. પ્રાકૃતિક ફોટોગ્રાફી માટે અમદાવાદ નજીકના સ્થળે લઈ જઈ તાલીમ આપવામાં આવી.
૪ દિવસ દરમિયાન બહેનોએ ખેચેલી સેંકડો તસ્વીરોમાંથી પસંદ કરી તસ્વીરોનું એક પ્રદર્શન જ્યોતિ સંઘમાં આયોજિત કરવામાં આવ્યું. અમદાવાદનાં જુદાં-જુદાં ક્ષેત્રોની વ્યક્તિઓને પ્રદર્શન જોવા બોલાવ્યાં. તે સૌએ બહેનોનાં આ નવીન કામને વખાણ્યું. આમ, બહેનોએ પોતાનાં જીવનને તસ્વીર દ્વારા જીવંત કર્યું. એટલે એ પ્રોજેક્ટને Me By Me તરીકે નવાજવામાં આવ્યું. એ સમયના ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના ડિરેક્ટર ડૉ. સક્સેનાસાહેબે વર્કશૉપનું ઉદ્ઘાટન કર્યું હતું.

૩૪. : નિખાલસ પ્રતિભાવો સેક્સવર્કર બહેનોના : સેક્સવર્કર બહેનો સાથેની વાતચીત કે તેઓ વિશેના એમ.ફિલ, પીએચ.ડી. અભ્યાસો દરમિયાન મળેલા કેટલાક પ્રતિભાવો તેઓની જિંદગીને સમજવા ઉપયોગી છે.
(૧) મારા ધંધાને કારણે છોકરાંઓને ભણાવી શકતી નથી. સમય જ મળતો નથી.
(૨) તમે મારી વાત કોઈને ના કરશો. મેં જિંદગીમાં જે પણ કઈ કર્યું છે, તેનો મને ખૂબ અફસોસ છે. મારી મૂંઝવણ કોને કહેવી ?
(૩) સ્કૂલમાં હું શિક્ષિકા હતી. ત્યાં પગાર બહુ ઓછો મળતો હતો અને વધારે રૂપિયા જોઈતા હોય. તો આચાર્ય કહે એમ કરવું પડતું. પછી વિચાર્યું કે સોબસો રૂપિયા માટે આવું કરવું પડતું હોય, તો હું જ આ કામ ન કરું જેથી વધારે રૂપિયા તો મળે. એમ વિચારી આ લાઇન પકડી.
(૪) મારો એક મિત્ર છે એ મારા માટે જીવ આપી દે એવો છે. એ પરણેલો છે, પણ મારા માટે એનાં બૈરી-છોકરાં છોડવા તૈયાર છે. મને ખૂબ પૈસા મોકલે છે. એ મને કહે, હું પૈસા મોકલું છુંને! તું ઘરે રહી છોકરાંઓનું ધ્યાન રાખ. પણ મેં એને કહ્યું કે તું તારાં બૈરી-છોકરાં છોડીને જોખમની નોકરી કરે છે. દિવસો સુધી તેમનાથી દૂર રહે છે. એ રૂપિયા પર એ લોકોનો હક્ક છે, એ રીતે હું એને સમજાવું છું.
(૫) મેં તમને જે વાત કરી એ તમે બિન્દાસ લખજો. મને કોઈ વાંધો નથી. લોકોને ખબર તો પડે કે અમને કેવી-કેવી તકલીફો પડે છે! આ કામ કરીએ છીએ તો શું થયું, અમારી પણ જિંદગી અને તકલીફો સામાન્ય માતા, પત્ની કે ગૃહિણી જેવી જ હોય છે.
(૬) મેં હજુ સુધી લગ્ન જ નથી કર્યાં. હું કૉલેજમાં હતી ને મારો હસબન્ડ મને પ્રેમ કરીને લાવ્યો હતો. એણે પહેલાં પણ લગ્ન કરેલાં હતાં પણ મને પછીથી ખબર પડી. તે બહુ જ રંગીન મિજાજનો અને શોખીન હતો. હું એને બહુ સમજાવતી કે આવા ધંધા છોડી દે. પણ તે બિન્દાસ હતો. હું કહું એની કશી અસર જ થતી ન હતી. બે છોકરાંઓના જન્મ પછી હું તેનાથી અલગ થઈ ગઈ. ત્યારથી છોકરાંઓ મારી પાસે જ છે. મેં જ ઉછેરીને મોટાં કર્યાં.
(૭) મારા વ્યવસાયને કારણે હું દીકરાઓની કારકિર્દી ના બનાવી શકી. મારા લીધે આ લોકોએ પણ ભોગ આપ્યો. આ વ્યવસાયને કારણે મારે બહુ જ ઘર બદલવા પડ્યાં છે. તેથી છોકરાંઓને ના ભણાવી શકી.
(૮) દીકરાઓનાં લગ્નમાં અપાર મુશ્કેલી પડી છે. કોઈ છોકરી જ આપતા નહોતા. બધા કહે, મા આ ધંધો કરે છે, તો આપણી દિકરીની એ ઘરમાં શુ સલામતી ! કારણ કે બધાને મારા ધંધાની ખબર હતી.
(૯) તમારે જો ફિલ્મ બનાવવી હશે, તો હું મુખ્ય પાત્ર ભજવીશ. મને કોઈનો ડર નથી. સમાજ વચ્ચે હું મારી હકીકત કહેવા તૈયાર છું.
(૧૦) મારા આખા કુટુંબને મારા કામની ખબર છે, પણ બધા મારી કદર કરે છે. સાસરીમાં બધા કહે છે કે તારા પર તો અમારું કુટુંબ ચાલે છે
(૧૧) હું જે પણ કરું છું, તે ઘર માટે કરું છું અને મારી જાત પર કરું છું. કોઈની પાસેથી એક પાઈ પણ લેતી નથી. મરી જઈશ તો ખાપણના રૂપિયા પણ મૂકીને જઈશ. મારા રૂપિયાથી જ ખાપણ ખરીદવાનું. કોઈનું કશું જ ના જોઈએ.
(૧૨) જો મારે છોકરી હોત, તો છોકરા કરતાં પણ વધારે માથાભારે બનાવું. પંજાબી તો પહેરાવું જ નહીં, પૅન્ટશર્ટ પહેરાવું અને શર્ટના ઉપલાં બે બટન ખુલ્લાં રાખીને ફરે એવી બનાવું. કરાટે અને બૉક્સિંગ શિખવાડું.
(૧૩) આપણો સમાજ મારા કામને સ્વીકારતો નથી. પણ હું એવું નથી માનતી કે આ લાઇન ખરાબ છે. બધા મજબૂરીને કારણે જ અહીં આવે છે. એમને એમ કોઈ આવતું નથી. કોઈ પણ સ્ત્રી પોતાનાં અરમાનોનું ગળું ઘોંટીને આ કામ કરે છે. આ કામ કરવામાં એને બહુ જ માનસિક તકલીફ પડે.
૩૫ : સેક્સવર્કર બહેનોએ સર્જ્યાં દિવાળી કાર્ડ : જ્યોતિ સંઘના અમારા પ્રોજેક્ટમાં સલામત જાતીય સંબંધો અંગે અદ્દભુત જાગૃતિ દર્શાવી બહેનો રાષ્ટ્રીય કક્ષાએ રોલમૉડેલ બની રહી હતી. દેશભરમાંથી તેઓના અનુભવોના બોધપાઠ લેવા અનેક રાજ્યોના પ્રતિનિધિમંડળો આવવા લાગ્યાં. તેને સમાંતર આ બહેનોને એ અનિવાર્ય લાગ્યું કે તેઓ સમાજની મુખ્ય ધારામાં તેઓની પ્રભાવી હાજરી નોંધાવે અને પોતાની નવી ઓળખ સર્જે. આ દિશામાં તેઓએ પ્રતિ વર્ષ સ્વહસ્તે તૈયાર કરેલાં દિવાળીકાર્ડ અને નવા વર્ષનાં કાર્ડ બનાવવાનું શરૂ કર્યું.


અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરના એલિસબ્રિજના નાકે આવેલી આર્ટગેલેરી એક અઠવાડિયા માટે આ બહેનોને આપી. ત્યાં જ બેસીને મનપસંદ રંગબેરંગી કાર્ડ બનાવવાનો સામૂહિક આનંદ સેક્સવર્કર બહેનોએ અનુભવ્યો. દિવાળીના ૧૫ દિવસ પહેલાં આ સેંકડો કાર્ડનું પ્રદર્શન અને વેચાણ પણ આ જ ગૅલેરીમાં કરવામાં આવ્યું. તેઓની દીકરીઓ-દીકરા અને કેટલાકના પતિ પણ આ કામમાં જોડાયાં.
દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિથી માંડી અનેક મહાનુભાવોને દિવાળીકાર્ડ મોકલવામાં આવ્યાં. તેઓમાં રહેલી કલાને પ્રદર્શિત કરવાનો સામૂહિક મોકો પ્રાપ્ત કરી પોતાનું અસ્તિત્વ સમાજ સામે રજૂ કર્યું.
૩૬ : સેક્સવર્કર બહેનોના ચાતુર્માસ : તમને કદાચ આ વાંચી આશ્ચર્ય થશે કે સેક્સવર્કર બહેનોના તો વળી કેવા ચાતુર્માસ! પણ હા કેટલીક સેક્સવર્કર બહેનો ધંધા માટે ચાર મહિના ધાર્મિક સ્થળોની મુલાકાતે જતી અને પછી અમદાવાદ પરત આવતી. આપણાં ધાર્મિક સ્થળો પછી કોઈ પણ ધર્મનાં હોય એ પ્રવાસનસ્થળો પણ છે. ગુજરાતમાં દેશનાં કેટલાંક મહત્ત્વના ધાર્મિક સ્થળો આવેલાં છે. જ્યાં દેશ અને દુનિયામાંથી પણ પ્રવાસીઓ, દર્શનાર્થીઓ આવતા હોય છે. જુલાઈથી દિવાળી સુધી અમદાવાદની કેટલીક બહેનો આ તમામ સ્થળોએ ઘૂમી વળતી. ત્યાં પણ તેઓને ગ્રાહકો મળતા. ત્યાં ગેસ્ટ હાઉસ અને હોટેલોમાં તેઓ જતા ઉપરાંત ઘરઘરાઉ ગ્રાહકો પણ હોય.
ચાર મહિના પછી પાછી આવે, ત્યારે તેઓ ગમ્મતમાં કહેતા કે સર અમે ચાતુર્માસ કરી આવ્યા. છેલ્લાં વર્ષોમાં ટૂરિઝમના વિકાસ સાથે દારૂના વ્યસનથી શરૂ કરી દેહવ્યાપાર પણ અનેક ગણો વિકસ્યો છે. મોબાઇલ અને ઓટોમોબાઇલ બંનેએ અનેક ધંધાની સૂરત બદલી એમ સેક્સઈન્ડસ્ટ્રીની દશા અને દિશા પણ બદલાઇ. સેક્સવર્કર અને ગ્રાહક વચ્ચેથી વચેટિયા ઓછા થવા માંડ્યા અને મોબાઇલે ત્વરિત સંપર્કો સર્જ્યા અને ઑટોમોબાઇલ દ્વારા મળવાનું હાથ વગું થયું.
ગુજરાત સરકારની એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ ગુજરાતભરમાં એન.જી.ઓ. ને સેક્સવર્કર માટેનાં એઇડ્સ સંક્રમણ રોકવા માટેના પ્રોજેક્ટ આપ્યા. આવા કેટલાક પ્રોજેક્ટના મૂલ્યાંકન અને માર્ગદર્શક તરીકે કામ કરવાનો મોકો મળ્યો અને લગભગ આખું ગુજરાત ઘૂમી વળ્યો. દ્વારકા અને મીઠાપુરમાં એક એન.જી.ઓ.એ આ કામ ઉપાડ્યું. એક વર્ષ. પછી હું દ્વારકા ગયો, ત્યારે ૩ દિવસ આ સંસ્થાના કાર્યકરો સાથે રોકાયો. તેઓએ મને કહ્યું કે અમે પ્રોજેકટ લીધો પણ દ્વારકા તો ધાર્મિક સ્થળ છે, એટલે અહીં સેક્સવર્કર મળતી નથી. મેં કહ્યું કે વાત સાચી પણ ધાર્મિક સાથે દ્વારકા ભારતનું એક મહત્ત્વનું ઐતિહાસિક પર્યટનસ્થળ પણ છે, એટલે સેક્સવર્કર બહેનો તો હોય. પ્રવાસીઓ ગ્રાહક પણ હોઈ શકે.
બીજા દિવસે કાર્યકરો સાથે દ્વારકાની ગહન મુલાકાત લીધી અને મેં સેક્સવર્કર બહેનોને શોધી. તેઓ સાથે કેમ ઘરોબો કેળવવો તેની તાલીમ પણ આપી અને તેઓને આ સરકારી પ્રોજેક્ટ સાથે જોડી તેઓમાં સલામત જાતીય સંબંધો વિશે જાગૃતિ આવે એવા પ્રયત્નો પણ શરૂ કર્યા. (ક્રમશઃ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 14-15
![]()


પ્રૉફૅસર યુવલ નોઆ હરારીની વૅબસાઇટ 


હરારી : ના તો હું રાજકારણી છું કે ના તો રાજનૈતિક વૈજ્ઞાનિક. વળી, ઇઝરાયેલી સમાજનો તજ્જ્ઞ પણ નથી એટલે શું કરવું જોઈએ એ અંગે હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી, પરંતુ સામાન્યત: — અને આ ઘણા દેશોના સંદર્ભમાં સાચું છે ના કેવળ ઇઝરાયેલના સંદર્ભમાં, જેમ મેં કહ્યું તેમ, સરમુખત્યારીથી વિરુદ્ધ લોકશાહીમાં વિશ્વાસની જરૂર હોય છે. વધુમાં, રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના પણ આવશ્યક છે, પરંતુ ખોટી સમજણવાળી રાષ્ટ્રવાદની ભાવના નહીં જે ઘણી વખત લોકોમાં જોવા મળે છે. સાંપ્રત સમયમાં મોટા ભાગના લોકો માને છે કે રાષ્ટ્રવાદનો અર્થ છે પરદેશીઓ અને લઘુમતીઓને ધિક્કારવા. પરદેશીઓને અને લઘુમતીઓને હું જેટલો વધુ ધિક્કારું એટલો વધુ રાષ્ટ્રભક્ત ગણાઉં. વિશ્વના ઘણા બધા નેતાઓ આવો સંદેશ આપી રહ્યા છે. આ સંપૂર્ણપણે ભૂલ છે. રાષ્ટ્રવાદનો અર્થ પરદેશીઓને ધિક્કારવાનો નહીં, પરંતુ તમારા દેશબંધુઓને પ્રેમ કરવાનો થાય છે. ઘણાં બધાં નેતાઓ જે પોતાને રાષ્ટ્રભક્તો ગણાવે છે તે એનાથી સાવ વિરુદ્ધ હોય છે. એ લોકો કેવળ પરદેશીઓ પ્રત્યે ઘૃણા કરવાની ઉશ્કેરણી નથી કરતાં, પરંતુ આંતરિક ઘૃણા કરવા પણ ઉશ્કેરણી કરે છે, એમના રાજનૈતિક વિરોધીઓને લોકતાંત્રિક રમતમાં કાયદેસરના હરીફ તરીકે જોવાને બદલે એમને દુશ્મન અને રાષ્ટ્રવિરોધી તરીકે જુએ છે. આના લીધે લોકશાહીનો વિનાશ થાય છે. સારી રીતે કાર્યરત રહેવા માટે લોકશાહીને સારા રાષ્ટ્રવાદની તીવ્ર ભાવનાની આવશ્યક્તા હોય છે. હું મારા રાજનૈતિક વિરોધીઓ સાથે સંમત ના હોઉં, એ લોકો ખોટા છે એવું હું માનતો હોઉં પરંતુ એ મારા દુશ્મન નથી, એ રાષ્ટ્રવિરોધી નથી. જો મને ચૂંટણી દ્વારા પદ હાંસલ થયું હોય તો મારે એમના હિતનું પણ ધ્યાન રાખવું પડે, ના કેવળ મારા સમર્થકોના હિતનું. આ પ્રકારના સ્વસ્થ રાષ્ટ્રવાદની આપણને તાતી જરૂર છે, જે તમામ બાબતોમાં દેખાય — રાજનૈતિક વાર્તાલાપથી લઈને ટૅક્સ ભરવાની મૂળભૂત બાબત સુધી. જો તમે યુ.એસ.નો દાખલો લો અને તાજેતરનાં પ્રકાશનો જુઓ તો કહેવાતા રાષ્ટ્રવાદી પ્રૅસિડન્ટ છે જે અબજોપતિ પણ છે જેમણે $૭૫૦નો વાર્ષિક ટૅક્સ ભર્યો છે, પ્રૅસિડન્ટ તરીકે. મારા મત મુજબ રાષ્ટ્રવાદની ખરી કસોટી ટૅક્સ ભરવામાં છે. અનેકમાંની એક મોટી કસોટી છે. પરદેશીઓને ધિક્કારવામાં નથી. તમે જે ટૅક્સ ભરો છો એનો અર્થ છે કે દેશના અન્ય ભાગમાં અજાણ્યા લોકોને, મને ખબર નથી, ઇઝરાયેલમાં લગભગ ૮ મિલિયન લોકો વસે છે, એમાંથી હું ૨૦૦ને અંગત ધોરણે ઓળખું છું, એટલે લગભગ ૭ મિલિયન ૮૦૦ જેટલા લોકોને હું ઓળખતો નથી. પરંતુ હું ટૅક્સ ભરીશ તો એમને સારું શિક્ષણ ને સારી આરોગ્ય સેવાઓ મળશે. આ રાષ્ટ્રવાદી કાર્ય કહેવાય. આધુનિક રાષ્ટ્રવાદનો આ ચમત્કાર છે કે એ પર્યાપ્ત પ્રેરણા પૂરી પાડે છે, કે જે અજાણ્યા લોકોને મળ્યા ના હોય તેમ છતાં બીજા લોકો એમની પર્યાપ્ત દરકાર કરે છે. હવે જો આ કકડભૂસ થઈ જાય, કેવળ એટલું જ નહીં કે તમે તમારા દેશમાં અમુક લોકોને તમારા દુશ્મન ગણો છો, પરંતુ તમે એમની દરકાર કરવાનું છોડી દો છો એટલે તમે ટૅક્સ ભરતા નથી. સરમુખત્યારી આવી રીતે કાર્યરત રહી શકે છે, લોકશાહી આ રીતે કામ ના કરી શકે.
ષડ્યંત્ર-સિદ્ધાંતો ઘડીને એમનો પ્રસાર કરીને તમે પ્રતિક્રિયા આપી શકો છો — બિલ ગેટ્સે વિશ્વ પોતાને હસ્તક કરવા લૅબૉરૅટરીમાં આ મહામારી સર્જી છે અથવા તમે શાણપણને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી શકો છો — વિજ્ઞાનમાં વિશ્વાસ રાખીને, એ સમજણ કેળવીને કે આ કટોકટીના સમયે વિજ્ઞાનને અનુસરવું યોગ્ય છે, નહીં કે આ ષડ્યંત્ર-સિદ્ધાંતોને માનીને. તમારે ઘૃણા નહીં પરંતુ કરુણા પેદા કરીને તમારા દેશમાં અને આખા વિશ્વમાં લોકોને સહકાર આપવાના માર્ગ શોધવા જોઈએ કારણ કે વાયરસની સરખામણીમાં મનુષ્યો પાસે જે લાભ છે તે આ છે — આપણે સહકાર આપી શકીએ છીએ, વાયરસ એવું કરી શકતા નથી. લોકોને ચેપ કેવી રીતે લગાડવો એ અંગે ચીનનો વાયરસ યુ.એસ.ના વાયરસને સલાહ નથી આપી શકતો, પરંતુ ચીન, યુ.એસ., ઇઝરાયેલ અને બ્રાઝીલના ડૉક્ટરો માહિતીની, એમનાં નિરિક્ષણોની, એમનાં પ્રયોગોની આપ-લે કરી સારવાર કરવા, વૅક્સિન તૈયાર કરવા માટે એકબીજાનો સહયોગ કરી શકે છે. માત્ર વાયરસ અંગેની સૂઝ વિકસાવવા સુધી વાત સીમિત નથી, વાત મનોવૈજ્ઞાનિક સૂઝ, આર્થિક સૂઝની છે. વિશ્વભરમાં દેશો એક સરખી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરેક દેશે એક સરખી ભૂલ શા માટે કરવી જોઈએ? ધારો કે એક દેશે કોઈ પ્રયોગ કર્યો ને પછી એના ખોટા નિર્ણયને લીધે થયેલા મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાનનો ખ્યાલ આવ્યો તો એ દેશે વિના સંકોચે બીજા દેશોને આ માહિતી આપવી જોઈએ. આવા વૈશ્વિક સહકારની આપણને જરૂર છે. માનવજાતિના સૌથી નિર્બળ સભ્યોને, માત્ર મહામારીથી નહીં, પરંતુ આર્થિક પરિણામો સામે રક્ષણ પૂરું પાડવા માટે આપણને વૈશ્વિક સુરક્ષા જાળની જરૂર છે. જો આપણે આટલું કરીશું તો ના કેવળ આ મહામારીનો સામનો કરી શકીશું પરંતુ ભવિષ્યમાં આવનારા આથી ય મોટાં સંકટોનો, જેવાં કે પ્રવર્તમાન હવામાન પરિવર્તન કટોકટી, આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ (એ.આઈ.) અને ઑટૉમેશનનો વધતો પ્રભાવ, સામનો વધુ સારી રીતે કરી શકીશું. બીજી તરફ … ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જોઈએ તો કોવિડ સરખામણીમાં નાનું સંકટ છે, રોગ તરીકે સરખામણીમાં ઓછો તીવ્ર છે. નાની મહામારી છે, મૃત્યુદરના સંદર્ભે ૧%થી પણ ઓછાં મૃત્યુ થાય છે. બલૅક ડૅથ કે ૧૯૧૮નો બીગ ઇન્ફ્લુએન્ઝા કે એડ્સ. ૧૯૮૦માં તમને ઍડ્સ થાય તો તમારું મૃત્યુ નિશ્ચિત હતું, મૃત્યુદર ૧૦૦% હતો. આની સરખામણીએ કોવિડ બહુ ઓછી તીવ્રતા ધરાવતો રોગ છે. આ જાણે એવું છે કે કુદરતે આપણને પ્રૅક્ટિસ બૉલ નાખ્યો છે, જોઈએ તમે કેવો સામનો કરો છો, હું ખરેખર મોટી બંદૂકો કાઢું તે પહેલાં — જેવાં કે હવામાન પરિવર્તન અને એ.આઈ. જો આપણે આ વાયરસ સામે એક પ્રજાતિ તરીકે એકતા નહીં કેળવીએ તો પર્યાવરણીય કટોકટી, ટૅકનૉલૉજીની દેન એવાં એ.આઈ. અને બાયો-ઍન્જિન્યરીંગને કેવી રીતે પહોંચી વળીશું એ વિચાર માત્ર ખૂબ ચિંતાજનક છે.
કૉંગ્રેસની સ્થિતિ એવી છે કે તે પોતાના બળે તો ઊભી થઈ શકતી નથી, પરંતુ જે રાજ્યોમાં અન્ય વિરોધ પક્ષો સાથે સમજૂતિ કરે છે ત્યાં તે સાથી પક્ષોને પણ ડૂબાડે છે. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને હવે બિહારમાં પણ આવો જ અનુભવ થયો છે.