મનિયો; સાચેસાચું બોલ બાપુ !
‘હિંસા’
એટલે
કે
‘‘યુદ્ધ એ જ કલ્યાણ' સર્વોચ્ચ પરમ્ ધર્મ’’ની
વિચારધારાથી અંતરાઈને
ક્યાં છૂપાઈ બેઠો છે ?
કોઈએ કહ્યું;
કે – એ
ઉત્તર-દખણ, પૂરબ-પશ્વિમ
'સત્ય-અહિંસા એ જ ધર્મ’ની
આડ લઈ બેઠો છે,
મનિયો; તે આટલી બીક કોની હેં, બાપુ !
બાપુ; હું છૂપાયો નથી
પણ હા …
મને છૂપાવાઈ છે
સત્ય અને અસત્ય વચ્ચે
હિંસા અને અહિંસા વચ્ચે
એથી જ
હું, ડરું છું,
ગોડસેની હિંસકવાદી ગોળીથી
રાજકારણની અસત્યવાદી બોલીથી
ને
પૈસો મારો પરમેશ્વરા'દીથી
એ…એ… મારી અહિંસા સાથે
બળજબરીથી
દુષ્કર્મ આચરી
એને ગર્ભવતી કરી
હિંસાના સંતાનો ઉત્પન્ન કરવા મથે છે.
e.mail : Shiyalmanish1996@gmail.com