ચરણની ગતિ કહેશે તમારું ભાવિ કેવું હશે?
તમારી જ મતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?
નથી જરૂરત કુંડળી કે હસ્તરેખા સમજવાની,
એ તમારા વતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?
નથી જરૂરત ગ્રહદોષ નિવારણ કરવાની વળી,
વિષયોમાં જ રતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?
નથી જરૂરત પાણી પીવડાવવાની વૃક્ષમૂળમાં,
તમારી નિજી નીતિ કહેશે તમારું ભાવિ કેવું હશે?
નથી જરૂરત વ્રત – જપ – તપ કરીને દેહદમનની,
ધર્મમાં થતી પ્રગતિ કહેશે તમારું ભાવિ કેવું હશે.
નથી જરૂરત કોઈના પદ પખાડી ચરણરજ તણી,
તમારી વાણી વદતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?
પોરબંદર.
e.mail : joshichaitanya568@gmail.com