Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાનું વસિયતનામું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 June 2025

ઉમેશભાઈ આમ તો રોજ સવારે છ વાગે ઊઠી જતા, અને નિત્યક્રમ પતાવીને ઓફિસે જતા; પણ આજનો દિવસ તેમને માટે ખાસ દિવસ હતો. આજે ઉમેશભાઈ સવારે ચાર વાગે ઊઠીને નિત્યક્રમ પતાવી, છ વાગે નીચે ડ્રોઈંગરૂમમાં આવ્યા. આજે ઓફિસે નહીં પણ બહારગામ, વારાણસી જવાનો પ્રોગ્રામ હતો. આજનો દિવસ તેમણે વારાણસી જવા માટે રિઝર્વ રાખ્યો હતો. આજના દિવસે આ સિવાય કોઈ કામ કરવાના નહોતા.

વિમળાબહેનને ખબર હતી કે આજે ઉમેશભાઈ વારાણસી જવા માટે છ વાગે તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવશે.

ઉમેશભાઈએ વિમળાબહેન સામે જોઇને પૂછ્યું, “કેમ, વિમળા, શું સમસ્યા છે? તારો ચહેરો કહી રહ્યો છે કે તારે કંઈક પૂછવું છે?”

“તમારું અનુમાન સાચું છે. મને તમારી ઉપર પૂરતો ભરોસો અને વિશ્વાસ છે પણ આજે જિજ્ઞાસાવસ એક સવાલ પૂછવાનું મન થાય છે. તમે નારાજ ન થાવ તો પૂછું?”

“અરે! એમાં નારાજ થવાની શું વાત છે. મને ખબર હતી કે તું એક દિવસ મારી આજના દિવસે વારાણસી જવા વિશે જરૂર પૂછીશ. હું, તું સામેથી એ વાત પૂછે તેની રાહ જોતો હતો. તારા પ્રશ્નના જવાબ માટે તારે મારી સાથે વારાણસી આવવું પડશે. તું જલદીથી તૈયાર થઈ જા. આપણે વારાણસી દશ વાગ્યા પહેલાં પહોંચવું પડશે.”

વિમળાબહેન જાણતાં હતાં કે એવી કોઈ વાત જરૂર હશે; જે વાત ઉમેશ મને બતાવીને સમજાવવા માંગતો હશે. વિમળાબહેન ફટાફટ તૈયાર થઈ ગયાં અને ઉમેશભાઈ સાથે કારમાં વારાણસી જવા માટે નીકળી ગયાં.

સાડા નવ વાગે ઉમેશભાઈની કાર વારાણસીમાં એક સોસાયટી વિસ્તારમાં એક નાના એવા ટેનામેન્ટ પાસે જઈને ઊભી રહી. ટેનામેન્ટ વન બેડરૂમ, હોલ અને કિચનવાળું હતી. ટેનામેન્ટ બહાર નેમપ્લેટ હતી, જેમાં ફક્ત ‘જમનાબા વિલા’ લખેલું હતું. ટેનામેન્ટને ફરતી કમ્પાઉન્ડ વોલ હતી અને આંગણામાં નાનો એવો બગીચો હતો. વિમળાબહેન નામ વાંચીને આશ્ચર્ય પામી ગયાં. આ નામ ક્યારે ય તેમણે ઉમેશભાઈના મોઢેથી સાંભળ્યું નહોતું કે તે વિશે કોઈની સાથે ચર્ચા કરતા કે વાત કરતા સાંભળ્યા નહોતા. પણ ત્યારે વિમળાબહેને કંઈ પૂછ્યું નહીં એમ માનીને કે જે હકીકત હશે એ ઉમેશ કહેશે.

વિમળાબહેન ઉમેશભાઈ સાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયાં. ડ્રોઈંગરૂમમાં એક મંદિર હતું અને મંદિરમાં ફૂલ સાઇઝનો એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્રીનો ફોટો હતો. થાળમાં મોંઘો ગુલાબનો હાર હતો. બાજુમાં મોટી દિવીમાં દિવો હતો. ડ્રોઈંગરૂમમાં થોડાક માણસો સફેદ વસ્ત્ર પહેરીને બેઠા હતા. સામાન્ય રીતે ઉમેશભાઈ સફેદ વસ્ત્ર નહોતા પહેરતા. તેમને સફેદ વસ્ત્રો પહેરવા બહુ ગમતા નહીં, પણ આજે એકદમ સાદા સફેદ વસ્ત્રો પહેર્યા હતા. વિમળાબહેનને સવારે નવાઈ તો લાગી હતી ત્યારે પણ તેમણે ઉમેશભાઈને કંઈ પૂછ્યું નહોતું.

ઉમેશભાઈએ વિમળાબહેનને કહ્યું, “અત્યારે દશ વાગ્યા છે આપણે જમના બાની પૂજા કરી લઈએ પછી તારે જે જાણવું હોય તે વિશે વાત કરશું.” બંને જમનાબાનાં ફોટા પાસે ગયા; જમનાબાને ફૂલસાઇઝનો અસલી ગુલાબનો હાર પહેરાવ્યો, પૂજા કરી વંદન કર્યાં. ત્યાં હાજર લોકોને પ્રસાદ પીરસવાની સૂચના આપી દીધી.

બધું કામકાજ પૂર્ણ કરી. બાનો પ્રસાદ લઈને ઉમેશભાઈ અને વિમળાબહેન ડ્રોઈંગરૂમમાં જમનાબાના ફોટા સામે બેઠા.

“વિમળા, તને સવાલ છે ને? આ જમનાબા કોણ છે? હું આજના દિવસે અહીંયા વારાણસી આવીને તેમની પૂજા શું કામ કરું છું? તો, સાંભળ…….”

“હું જ્યારે પાંચ વરસનો હતો ત્યારે મમ્મીપપ્પા સાથે વારાણસી ભોલેનાથના દર્શન કરવા ગયો હતો. વારાણસીમાં ઘણાં મંદિરો છે, એટલે પપ્પાની ઈચ્છા એવી હતી કે મુખ્ય મુખ્ય મંદિરે દર્શન કરીએ; પણ મમ્મી તો જે મંદિર રસ્તામાં આવે તેમાં દર્શન કરવા પહોંચી જતી હતી. એક મોટા મંદિરમાં હું આમથી તેમ આંટા મારતો હતો અને રસ્તો ભૂલી મંદિરમાં અટવાઈ ગયો. મને કોઈ રસ્તો જડતો નહોતો કે કંઈ સૂઝ પડતી નહોતી. મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં. હું રડતો રડતો મંદિરના એક ખૂણામાં ઊભો હતો, ત્યાં ગુંડા જેવી બે વ્યક્તિ આવીને મને ઢસડીને લઈ જતી હતી. મેં બૂમાબૂમ કરી મૂકી એટલે જમનાબા દોડીને આવ્યાં. એ પણ દર્શન કરવા આવ્યાં હતાં.”

“જમનાબાએ કહ્યું, `છોડી દ્યો એ છોકરાને, શું કામ તેને પકડ્યો છે?` એટલે એ ગુંડાએ કહ્યું, `તમે તમારું કામ કરોને, શું કામ બીજાના ઝમેલામાં પડો છો. આ છોકરો અમારા સંબંધીનો છોકરો છે. તેને પાછો તેના ઘરે લઈ જવા માટે પકડ્યો છે.` મેં હિંમત કરી કહ્યું, `આ લોકોને હું ઓળખતો નથી. મારું અપહરણ કરવાની દાનતથી મને પકડી જાય છે.`

ગુસ્સા સાથે જમનાબા અમારી પાસે આવ્યાં અને બંને ગુંડાને મારીને ભગાડી દીધા. પછી મને પૂછ્યું, `કે બેટા, તારા મમ્મીપપ્પા ક્યાં છે? તું કેમ તેમનાથી વિખૂટો પડી ગયો? ક્યાંનો રહેવાસી છો?` વગેરે વગેરે પ્રશ્ન પૂછ્યાં. પછી મમ્મીપપ્પાની રાહ જોતા મંદિર બંધ થાય ત્યાં સુધી મારી પાસે મંદિરે બેઠાં. પણ મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં એ ફરી મંદિરમાં શોધવા ન આવ્યાં.

જમનાબાએ વિચાર્યું કે જો અત્યારે મને પોલીસ સ્ટેશને જઈને પોલીસને સોંપશે તો એ ગુંડાઓ જો બહાર ધ્યાન રાખતા હશે તો ફરીથી મને પોલીસ સ્ટેશનેથી પોલીસને અષ્ટમ પષ્ટમ સમજાવી કે બીજા કોઈ રસ્તા લઈને કે પોલીસ સાથે વાટાઘાટ કરી ઉપાડી જશે એટલે મને તેમના ઘરે લઈ ગયાં.

હું ખૂબ ડરી ગયો હતો. બીકથી ધ્રૂજતો હતો. મને ખૂબ જ તાવ ચડી ગયો. જમનાબા માથે ભીનાં પોતાં મૂકીને મારી પાસે આખી રાત બેસી રહ્યાં. બીજે દિવસે સવારે મને પોલીસ સ્ટેશને લઈ ગયાં. ત્યાં પપ્પાએ મારા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી એટલે મમ્મીપપ્પાને પોલીસ સ્ટેશને બોલાવી મને સોંપી દીધો.

મમ્મીપપ્પાએ જમનાબાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને અમે દિલ્હી પાછા આવતા રહ્યાં. હું મારા અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. સમય પસાર થતો ગયો. મેં પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. વચ્ચે વચ્ચે સમય મળે હું જમનાબાને વારાણસી મળવા જતો રહેતો. સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પછી મેં જમનાબાને મારી સાથે રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ ન માન્યાં. જમનાબા પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં. લગ્ન નહોતા કર્યાં. કુટુંબ જેવું કંઈ હતું નહીં પણ એકલા સ્વમાનથી જીવતા હતાં. તેમને સ્વમાનથી જીવવું ગમતું હતું એટલે જિંદગીભર એકલા જ જીવ્યાં.

છેલ્લે જમનાબાનો એક દિવસ ફોન આવ્યો કે તું તાત્કાલિક મળવા આવી જા. હું તુરત જ વારાણસી આવ્યો; જાણે જમના મારી જ રાહ જોતા હોય એમ મને એક કવર આપીને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધાં. મેં અગ્નિ સંસ્કાર સાથે બધી જ ધાર્મિક વિધિ કરી અને જમનાબાએ આપેલ કવર ખોલ્યું તો તેમાંથી એક કાગળ નીકળ્યો, જેમાં લખ્યું હતું.

“બેટા, ઉમેશ.

“માતાપિતા સંતાનો માટે મિલ્કત છોડી જાય છે પણ હું આ વસિયતથી તને એક જવાબદારી સોંપતી જાવ છું. આ મકાન તારું જ છે. તું અહીંયા નહીં રહી શકે જ્યારે હું તો અહીંયા જ રહેવાની છું એટલે દરરોજ મકાનની સાફસૂફી થાય તેની અને મારી પુણ્યતિથિને દિવસે તારે આવીને મને હાર ચડાવીને દિવો કરવાનો; આખો દિવસ મારી સાથે પસાર કરવાનો. મને ખાતરી છે કે બેટા, તું આટલું જરૂર કરીશ.”

“જમનાબાના…આશીર્વાદ.”

જમનાબાના વસિયતનામાને આશીર્વાદ સમજી હું છેલ્લા પાંચ વરસથી નિયમિત અહીંયા આવું છું. સોસાયટીના લોકો સાથે પ્રસાદ લઈને આખો દિવસ જમનાબાના ફોટા પાસે બેસું છું અને જમનાબાની હાજરીની અનુભૂતિ કરું છું.

“તને એમ થશે કે આવી સામાન્ય વાત મેં તને કેમ ન કરી. તો હું તને વાત કરવા યોગ્ય સમયની રાહ જોતો હતો. મેં જો આ વાત તને પહેલાં કરી હોત; તું એ વાતને તું સામાન્ય વાત સમજત. મને ખબર હતી કે એક દિવસ તું મને મારા ચોક્કસ દિવસે વારાણસી આવવા માટેનું કારણ જરૂર પૂછીશ. આજે એ દિવસ આવીને ઊભો રહ્યો.”

“હા ઉમેશ, તમારી વાત સાચી છે. આજે મને જમનાબાનું વ્યક્તિત્વ સમજાયું તેમ જ તમારા જીવનમાં જમનાબાનું સ્થાન શું છે એ સમજાઈ ગયું.”

વિમળાબહેન ઊભા થયાં. જમનાબાના ફોટાને પગે લાગીને કહ્યું, “બા, તમારા વસિયતનામામાં સહભાગી થવા હું પણ આપની પુણ્યતિથિ પર ઉમેશ સાથે આવીશ. તમારી સાથે રહીને તમારી હાજરીની અનુભૂતિ કરીશ.”

ઉમેશભાઈને જમનાબાના ફોટામાં જમનાબાના મુખ પર આનંદની રેખા અંકિત થતી દેખાઈ. જાણે કહેતા હોય, હા દીકરા, મેં તો એક રાતનો ઉજાગરો કર્યો હતો પણ તેં તો મારા વસિયતનામાને સંપૂર્ણ પણે સ્વીકારી લીધું. 

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848gmail.com 

Loading

24 June 2025 નરેન્દ્ર ત્રિવેદી
← ફ્રેડરિક ફોસાઇથ : કેવી રીતે એક દેવાદાર યુવક બેસ્ટસેલર જાસૂસી લેખક બન્યો!
શું મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીનો અધિકાર છે? →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved