હરિ, તમારું નામ રટણ તો ચાલ્યું સાંજ સવારે,
તો ય છે તમને એમ કે નાખ્યા છે મેં છેક વખારે …
હરિ, જેટલા તારા એટલાં ફૂલ ચડાવ્યાં ચરણે,
તો ય મને ક્યાં તમે લીધો છે, હરિ, તમારે શરણે?
તમે નકારો ને ઉપરથી દુનિયા ઠોકર મારે …
હરિ, તમે છો ત્યાં તો તમને અશ્રુજળથી ધોયા,
તે ઓછું હો તેમ તમે જ્યાં ના હો ત્યાં પણ જોયા.
હવે તમે જો છો જ તો એ તો કો’કે મળશો ક્યારે …
હરિ, તમારા નામનો એવો થયો ભીતર સરવાળો,
નામ તણખલાં હોત તો બનતે પૃથ્વી જેવો માળો.
હવે કહો કે માણસ આનાથી શું કરે વધારે ?
e.mail : ravindra21111946@gmail.com
![]()


જાણીતા સામાજિક આગેવાન અને ગુજરાતના યુવક સેવા-રમતગમત વિભાગના પૂર્વમંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સમાજકલ્યાણ અધિકારી હસમુખ પરમાર અને યુવાઅગ્રણી હરેશ મકવાણાની ત્રિપુટી દ્વારા સંપાદિત ‘લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ’ આવો જ એક ઉત્કૃષ્ટ સ્મૃતિગ્રંથ છે.
વાચકો માટે એકલો આ પત્ર ભીમાભાઈના જીવનઆદર્શનો પરિચય મેળવવાને પર્યાપ્ત બની રહેશે. જાણે કે જગતકલ્યાણ માટે સંસાર છોડવાનો નિર્ધાર કરતા સિદ્ધાર્થ(ભગવાન બુદ્ધ)માંથી પ્રેરણા લઈ, ભીમાભાઈ પણ પોતાના દલિતસમાજ માટે લગ્ન જેવાં દુન્યવી સુખોને ફગાવી દેવાનો નિર્ધાર ન કરી રહ્યા હોય !