આપણે જવાનું છે,
શું બીજું થવાનું છે!
હાથ જો તું ફેલાવે,
કેદ થૈ જવાનું છે.
તું ઊભી છે ઠોકરશી !
તો, તો વાગવાનું છે.
કામ તારું ભીંતોને,
બૂમ પાડવાનું છે.
ક્યાં બીજા વિકલ્પો છે?
માત્ર જીવવાનું છે.
શું કરીશ શ્વાસો થૈ?
કામ એ હવાનું છે.
જાતની ગડી કરતાં,
ઊકલી જવાનું છે …
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


દેશમાં બેકારીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. એમ કહી શકાય કે દેશમાં રોજગારીનો દુકાળ પ્રવર્તે છે. આ સ્થિતિમાં પોતાના પ્રદેશમાં રોજગારીની પૂરતી તકો સર્જવામાં નિષ્ફળ નીવડેલી રાજ્ય સરકારોએ ટૂંકો માર્ગ અપનાવ્યો છે. તેમણે પોતાના રાજ્યમાં સર્જાતી રોજગારીનો મોટો હિસ્સો રાજ્યના નાગરિકો માટે અનામત રાખવાનો કાયદો કર્યો છે. હરિયાણામાં ખાનગી ક્ષેત્રમાં સર્જાતી રોજગારીના ૭૫ ટકા રોજગારી હરિયાણાના નાગરિકો માટે અનામત રાખતો કાયદો ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. તેલંગણામાં કુશળતા માગતી રોજગારીના ૬૦ ટકા અને અન્ય રોજગારીમાં ૮૦ ટકા રોજગારી સ્થાનિકોને આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં જે ઉત્પાદન એકમોને રાજય સરકારની સબસિડી મળતી હોય તેવા ૮૦ ટકા રોજગારી સ્થાનિક નાગરિકો માટે અનામત રાખવાની હોય છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીએ તમામ સરકારી નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખતો કાયદો તાજેતરમાં કર્યો છે.