છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને,
સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળ વટાવીને.
સીધાની નથી આશા, ત્રાંસાની નરી અટકળ,
ફેંકે છે દડો કેવો ફરતો એ લટાવીને.
બોલે છે હવે એક જ એ નામ રટાવેલું,
રાખ્યો છે નજર સામે પોપટને રટાવીને.
નરસિંહને કહે નાચો, મીરાંને કહે ગાઓ,
પરજા છે! લખે હૂંડી કૈં ગટ્ટગટાવીને.
બે-જણને જમાડે બે, બાજોઠ બિછાવીને,
રૈયતને કરે રાજી, કોણીઓ ચટાવીને.
27/2/2021

Image courtesy : "The Deccan Chronicle", 26 February 2021
![]()


વણછાથી માંડીને વળ અને આમળાની શક્યતાઓ સાફ છે.



આઝાદી એ આ યુવકો સામે ફક્ત ભાવનાશીલતાનો સવાલ ન હતો. રશિયન રાજ્યક્રાંતિ બાદ ભારતીય યુવકોમાં સમાજવાદ માટે જિજ્ઞાસા પેદા થવા માંડી હતી. ઠેઠ આરંભ વખતે જે જ્યેષ્ઠ નેતાઓમાં સમાજવાદ અંગે વિચાર પેદા થયો તેઓમાં સુભાષ-નહેરુ હતા. મીરત કાવતરા કેસથી સમાજવાદનો વિચાર વધુ ગંભીરતાથી થવા માંડ્યો. રશિયાની મુલાકાત પછી પંડિતજી વધુ સમાજવાદી બન્યા હતા, અને સમાજવાદના સવાલો અંગે સુભાષ નહેરુ કરતાં વધુ કટ્ટર હતા. આઝાદીના ઠરાવ પછી એક મોટું આંદોલન થયું અને સંપૂર્ણ આઝાદીનું કૉંગ્રેસનું ધ્યેય વધુ દૃઢ બન્યું છતાં નહેરુ અને સુભાષ બંનેને પણ પૂર્ણ સમાધાનકારક પરિસ્થિતિ ન હતી. તેથી જ ૧૯૩૧માં આ બંનેએ મળીને કરાંચી કૉંગ્રેસ સમક્ષ આર્થિક કાર્યક્રમ અંગેનો ધોરણ વિષયક પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઠરાવમાં ‘સમાજવાદ’ શબ્દ મૂકવામાં આવ્યો ન હતો. પણ આઝાદ હિંદના બધા મહત્ત્વના ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણની ઘોષણા હતી. આ જ અધિવેશનમાં જનતાના મૂળભૂત હકો અંગે ઠરાવ રજૂ થયો. એ જ ઠરાવ આજે અલગ શબ્દોમાં ભારતીય બંધારણમાં સામેલ કરવામાં આવ્યો છે. ૧૯૨૯માં નહેરુજીને અધ્યક્ષ બનાવવા માટે સુભાષનો આગ્રહ હતો. ૧૯૩૬ અને ૩૭માં પણ પંડિતજી જ અધ્યક્ષ થાય તે માટે સુભાષે પોતાની તાકાત વાપરી હતી. ૧૯૩૮માં પંડિતજીના પીઠબળથી જ સુભાષબાબુ વિવાદ વગર કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. ૧૯૩૯માં પટ્ટાભિ સીતારામૈયાનો પરાભવ કરી સુભાષબાબુ ફરી અધ્યક્ષ ચૂંટાયા, ત્યારે પંડિતજીનો ટેકો ન હતો. ગાંધીજીનો વિરોધ હતો. છતાં પંડિતજીનો ટેકો સુભાષને છે એની જ છાપ હતી. તેથી જ સુભાષ જીતી શક્યા એ વાત ત્યારનાં સામયિકો વાંચવાથી પણ સ્પષ્ટ થાય છે. ૧૯૩૬થી જ કૉંગ્રેસમાં એક નવો સંઘર્ષ શરૂ થયો હતો. સ્વાતંત્ર્યવાદી કૉંગ્રેસને સમાજવાદી બનાવવા માટેનો આ સંઘર્ષ હતો. કૉંગ્રેસને સમાજવાદી બનાવવા સામે પોતાનો સંપૂર્ણ વિરોધ વ્યક્ત કરવા વર્કિંગ કમિટીના ૭ જ્યેષ્ઠ નેતાઓએ રાજીનામાં આપ્યાં. ૧૯૩૬ની આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર સરદાર પટેલ હતા. ગાંધીજીના એમને આશીર્વાદ હતા. કૉંગ્રેસને તત્કાલ સમાજવાદી રૂપ આપવાની વાત અશક્ય છે પણ ધીરે-ધીરે એ માટે પ્રયત્ન કરવો જોઈએ, એવી પંડિતજીની ભૂમિકા હતી. સુભાષબાબુ આ બાબતમાં વધુ ઉદ્દામ હતા એટલો જ અર્થ આમાંથી તારવી શકાય. સુભાષ બોઝના ફૉરવર્ડ બ્લૉકના સાથીઓ સમાજવાદી જ હતા. કેટલાક તો સીધા કમ્યુનિસ્ટ હતા. ફૉરવર્ડ બ્લૉકના જે અવશેષો આજે બંગાળમાં છે, તે કાયમ કમ્યુનિસ્ટોના સહપ્રવાસી રહ્યા છે.
તમને કદાચ જાણ હશે કે પડોશમાં નેપાળમાં રાજાશાહી પાછી લાવવા માટે આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનને લોકોનો પ્રચંડ ટેકો તો નથી પણ ઠીકઠીક પ્રમાણમાં ટેકો છે. એક દાયકાના અસ્થિર અને ભ્રષ્ટ લોકતંત્રથી લોકો કંટાળી ગયા છે. તમને એ વાતની પણ જાણ હશે કે પડોશમાં મ્યાનમારમાં લશ્કરી અધિકારીઓએ ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સરમુખત્યારી લાગુ કરી છે. શ્રીલંકા આઝાદ થયું ત્યારથી બૌદ્ધ રાષ્ટ્રવાદ અને બંધારણીય રાષ્ટ્રવાદ વચ્ચે ગોથાં ખાઈ રહ્યું છે અને બંધારણ બદલતું રહે છે. બંગલાદેશ ઇસ્લામિક રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે ગોથાં ખાઈ રહ્યું છે.