કાવ્યકૂકીઝ
0
હું પાનમાવા ખાતો નથી,
પણ એક્ટરોને જોઈને
મને પણ જીભ કેસરી કરવાનું મન થયું
આ લોકો મસાલામાં પણ કેસર ખાતાં હોય
તો આપણે શું ગુનો કર્યો?
મારા બાપાને ખબર પડી તો
એમણે ય કહ્યું : એક પડીકી મારી પણ લાવજે.
મારો છોકરો બોલ્યો : હું પણ ખાવાનો.
છોકરી : ભાઈ ખાય તો હું પણ ખાવાની.
પત્ની પણ ટહુકી :
મસાલાથી પેટ ભરાતું હોય તો મારે રાંધવું મટે !
ને આખું ખાનદાન ઉપડ્યું માવાવાળાની દુકાને –
ઓર્ડર આપ્યો : પાંચ પડીકી !
દુકાનદાર બોલ્યો : પડીકી નહીં, પડીકાં આપું.
એટલે પાનમાવા નથી? – મેં પૂછ્યું.
એ બોલ્યો – પાનમાવો નથી, દૂધનો માવો છે.
અમે પાનવાળાને પહોંચ્યાં : પડીકી છે? પાંચ આપ !
એ બોલ્યો : આ છોકરી પણ ખાય છે, પડીકી?
: ના, એ પહેલીવાર ટ્રાય કરવાની છે.
પાનવાળો બોલ્યો : અક્કલ ઘાસ ચરવા ગઈ છે?
: કેમ એવું કહે છે? પડીકી તો એકટરો પણ ખાય છે.
: એ ખવડાવે, ખાય તો ગુજરી જાય !
: એટલે?
: એને તો પૈસા મળે એટલે ખાવાનું નાટક કરે.
: એટલે એ લોકો પૈસા માટે કરે આવું?
: હા.
: આપણને ખબર નહીં કે એકટરો પણ ગરીબ હોય !
: એક્ટર જેટલો મહાન એટલો વધારે ગરીબ !
: ભગવાન ભલું કરે એમનું …
0
અટપટું ચટપટું
0
– પપ્પા, નાની ગુજરી ગઈ, પછી નાના અહીં જ રહે છેને.
– હા, બેટા. એ હવે અહીં જ રહેવાના છે.
– એ તમારા કોણ થાય?
– સસરા.
– તમે એમને ત્યાં પણ રહેતા હતાને ?
– હા, હું ઘરજમાઈ હતો.
– તો એમને ઘરસસરા કહેવાય?
0
પત્ની : જરા મિસકોલ મારોને !
પતિ : કેમ મોબાઈલ જડતો નથી?
પત્ની : ના, ચશ્માં જડતાં નથી.
0
– પેટ્રોલ-ડીઝલ જી.એસ.ટી.માં નહીં લવાય.
– સારું. અમે કાર-સ્કૂટરમાં લાવીશું, બસ !
0
– સોરી, મહિલાઓને પ્રવેશ નથી.
– પણ, આ તો મહિલા મંત્રાલય છે.
– હા, પણ તાલિબાનનું છેને !
0
– તમને આ લોકોએ ગધેડા કહ્યા?
– હા.
– એમણે ગધેડા કેમ કહ્યા?
-એ તો કોઈ માણસને પૂછો તો ખબર પડે.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


જાણીતા ઉર્દૂ ગઝલકાર અને હિન્દી ફિલ્મો માટેના પટકથાલેખક જાવેદ અખ્તરે તાજેતરમાં હિન્દુત્વવાદીઓની તુલના તાલેબાનો સાથે કરી ત્યારે વિવાદ જાગ્યો હતો. ઘણા લોકોએ તેમણે કરેલી તુલના યોગ્ય ગણાવી હતી અને હિન્દુત્વવાદીઓનાં સંકુચિત વિચારો અને વ્યવહારનાં ઉદાહરણ આપ્યાં હતાં તો હિન્દુત્વવાદીઓએ તેમની ભાષા(એ કેવી છે એ તો તમે જાણો જ છો)માં જાવેદ અખ્તરની આકરી નિંદા કરી હતી.
મૂળભૂત સિદ્ધાંતોની બાબતમાં બાંધછોડ કરતા નથી, આકંઠ નિષ્ઠા ધરાવે છે અને ખરેખર એમ માને છે કે સંસાર અત્યારે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે એનું કારણ ધર્મના માર્ગેથી ફંટાઈ જવાનું છે. તમે તમારા ઈશ્વર માટે શ્રદ્ધા ધરાવતા હો તો તેના આદેશની અવગણના કેવી રીતે કરી શકો? બધાને એક ખીલે બાંધવા જોઈએ, બાકી સંખ્યાના ધોરણે બળાબળની રમત રમવી એ ધર્મનો દુરુપયોગ છે. તાલેબાનો અને બીજા અનેક મુસલમાનો આ રીતે મૂળભૂતવાદીઓ છે.
તાજેતરમાં જ યુનાઇટેડ કિંગ્ડમની જાહેરાતને પગલે હોબાળો થઇ ગયો. યુ.કે.એ પોતાના દેશમાં આવનારા બીજા રાષ્ટ્રના નાગરિકો માટે ગાઇડલાઇનની જાહેરાત કરી. યુ.કે. દ્વારા ટ્રાફિક લાઇટ એટલે કે લાલ, લીલી અને પીળી એમ ત્રણ કેટેગરીમાં કયા રાષ્ટ્રોને પ્રવેશ આપવો અને ન આપવોની નીતિ નક્કી કરાઇ હતી, અને ઑક્ટોબરમાં, આ નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી થયું. આ નિયમો અનુસાર પીળી એટલે કે એમ્બર સિગ્નલ મળેલા દેશોની લિસ્ટને ગ્રીન સિગ્નલ મળેલા દેશોના લિસ્ટ સાથે ભેળવી દેવાની વાત હતી અને રેડ સિગ્નલ મળ્યું હોય તેવા દેશોને અલગ રાખવાના. આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવાના હેતુથી યુ.કે. સરકાર આ ગડમથલમાં હતી. નવા નિયમો અનુસાર રાષ્ટ્રોના વેક્સિનેશન સ્ટેટસને આધારે ત્યાંના નાગરિકોને વિઝા આપવો કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ અનુસરવાનું નક્કી થયું. પણ વેક્સિનને મામલે યુ.કે.એ જે જાહેરાત કરી તેનાથી હોબાળો થઇ ગયો અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અણધાર્યું દબાણ આવી ગયું.
કોવિશીલ્ડ વળી યુ.કે.ના ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાનું જ ભારતીય વર્ઝન છે પણ છતાં ય આ ભેદભાવની નીતિને કારણે સરકારથી માંડીને આમ જનતામાં રોષ ભભૂકી ઊઠ્યો. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂણે પ્લાન્ટમાં એસ્ટ્રાઝેનેકાના ભારતીય વર્ઝનનું ઉત્પાદન થયું છે છતાં ય ભારતને યુ.કે.એ વેક્સિનનું બહાનું કરી માન્ય રાષ્ટ્રોની યાદીમાંથી બહાર રાખ્યો. આ વર્ષની શરૂઆતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી યુ.કે.ને મોકલવાના ૧૦ મિલિયન એસ્ટ્રાઝેનેકાના ડોઝમાંથી પાંચ મિલિયન તો મોકલવામાં પણ આવ્યા. (આ લખાઇ રહ્યું છે ત્યારે જાહેરાત બદલાઇ ચૂકી છે, તેની વાત આગળ ઉપર કરીએ, પણ મુદ્દો પહેલેથી સમજવો રહ્યો.)