ચારે તરફ
સુસવાટાબંધ ફૂંકાતી
બાગી હવાએ
ફંગોળી દીધા છે બાપુને …
બચી ગયાં બાપડાં
લાકડી, ઘડિયાળ ને ચશ્માં !
હવે
એ ય તે જોખમી છે હોં !
સમજુઓ
સૂતક રાખીને
આઘે
ઠૂંઠું થઈને ઊભા છે
દૂર
ગોડસેના મંદિરમાં
અપૂર્વ ઘંટારવ થઈ રહ્યો છે
‘રઘુપતિ રાઘવ’ની ધૂને
રસ્તો બદલી નાખ્યો છે!
•
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 02
![]()


એવું નથી લાગતું કે આખા દેશમાં શિક્ષિત બેકારોની ભરપટ્ટે મજાક થઈ રહી છે? બેકારી વધારે હોય તો એક જગ્યા માટે અનેક અરજીઓ આવે એવું બનવાનું, પણ એ અરજીઓ હવે કમાણી કરાવતી થઈ હોય એવું પણ લાગે છે. માત્ર થોડી જગ્યાઓ ભરવાની છે, એવી જાહેરાત આપો કે ઢગલો નોકરી ઈચ્છુકો અરજી કરવા માટે કે ઇન્ટરવ્યૂ આપવા લાઇન લગાવશે. હાથમાં નોકરી ન હોય ને કોઈ રીતે પણ તે મળવાની શક્યતા ઊભી થતી લાગે તો શિક્ષિતો અરજી કરવાની મહેનત કરશે જ ! આ અરજી હવે સાદા કાગળો પર ભાગ્યે જ થાય છે. તેને માટે તો હવે નક્કી કરેલું ફોર્મ ભરવાનું હોય છે.
સરકાર ભલે વારંવાર ઈન્કાર કરતી રહે પણ તેના પગલાં સૂચવે છે કે રેલવેનું ધીરેધીરે ખાનગીકરણ થઈ રહ્યું છે. કેટરિંગ, ટિકિટ બુકિંગ, પાર્કિંગ અને અન્ય સેવાઓ તો ક્યારની ય ખાનગી હાથોમાં છે. અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે આંશિક ખાનગી ધોરણે તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કર્યા પછી, ૧૦૯ રૂટ્સ પર ૧૫૧ ખાનગી ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દેશનાં સવાસો રેલવે સ્ટેશનોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના નામે ખાનગી કંપનીઓને સોંપી દેવાનાં છે. નીતિ આયોગ અને ૨૦૧૪માં રચાયેલી વિવેક દેબરોય સમિતિ પણ રેલવે પરનો સરકારનો એકાધિકાર ખતમ કરી દેવાનો મત ધરાવે છે.