કરી વિચારને વિદાય અહીં ઘોંઘાટ બોલે છે
કવિતા સાવ નેપથ્યે ને ચારણ ભાટ બોલે છે
ઊકળતો હોય માણસ કાં બરફ શો મૃત જાણે કે,
નથી શાંતિ,નથી સંગીત,લઈ કકળાટ બોલે છે
કદી હિમાલયે પ્હોંચી ધરેલું ધ્યાન ધરબાયું,
ન લાધ્યું શાણપણ,જોગી જુઓ પૂરપાટ બોલે છે
નદી વહેતી હતી ખળખળ,ને બુલબુલ ગીત ગાતીતી,
સૂકાયાં નીરનાં તકદીર,ખારોપાટ બોલે છે.
પ્રજા ને શાસકોનું ગાંડપણ રસ્તા ઉપર જોશો,
નિયમ નેવે મૂકાયા,રાતદિન રઘવાટ બોલે છે.
સમર્પણ,ત્યાગ ને બલિદાન ભારતખોજ છે મિત્રો,
સતત આરોપની ભાષા અહીં સમ્રાટ બોલે છે
![]()


૨૦૧૨ના મે માસની ૪ તારીખે આ 'વિચરતા વિચારો' લેખશ્રેણી શરૂ કરેલી.

તમે ટ્રેડ્સ (Trads) અને રાઈતાઝ (Raitas) વિષે કાંઈ સાંભળ્યું છે? આ શું છે એ વિષે તમે કાંઈ ન જાણતા હોય તો જાણી લેવું જરૂરી છે. ખાસ કરીને હિન્દુત્વવાદીઓએ આ જાણી લેવું ખાસ જરૂરી છે.