કરી વિચારને વિદાય અહીં ઘોંઘાટ બોલે છે
કવિતા સાવ નેપથ્યે ને ચારણ ભાટ બોલે છે
ઊકળતો હોય માણસ કાં બરફ શો મૃત જાણે કે,
નથી શાંતિ,નથી સંગીત,લઈ કકળાટ બોલે છે
કદી હિમાલયે પ્હોંચી ધરેલું ધ્યાન ધરબાયું,
ન લાધ્યું શાણપણ,જોગી જુઓ પૂરપાટ બોલે છે
નદી વહેતી હતી ખળખળ,ને બુલબુલ ગીત ગાતીતી,
સૂકાયાં નીરનાં તકદીર,ખારોપાટ બોલે છે.
પ્રજા ને શાસકોનું ગાંડપણ રસ્તા ઉપર જોશો,
નિયમ નેવે મૂકાયા,રાતદિન રઘવાટ બોલે છે.
સમર્પણ,ત્યાગ ને બલિદાન ભારતખોજ છે મિત્રો,
સતત આરોપની ભાષા અહીં સમ્રાટ બોલે છે
![]()


‘દરેક કામમાં જોખમો તો હોય જ છે. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે, પણ તે અગત્યનું નથી. તમે તેની સાથે શી રીતે તાલ મિલાવો છો એ જ ખરો પડકાર છે.’
થોડો વખત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યા બાદ ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજૂર સંઘમાં જોડાયાં અને અનસૂયા સારાભાઈ સાથે ઘણું કામ કર્યું. ૧૯૫૬માં તેમનાં લગ્ન રમેશ ભટ્ટ સાથે થયાં. ગુજરાત સરકારમાં થોડાં વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજૂરસંઘની મહિલા પાંખનાં વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાઈલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટિવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી, મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો.


