લ્યો, નાવ કિનારે આવી!
મઝધારે મ્હાલી એ મસ્તી એક ઈશારે લાવી.
ક્યાંક સાંજનો પવન
ને જળની માયા મમતા
સૂર્ય-ચંદ્રનાં કિરણ
હજી તો હૈયે રમતાં
જનમજનમની વાતો સઘળી સઢમાં દઈ સમાવી..
લ્યો, નાવ કિનારે આવી!
એક કિનારો મળ્યો
હવે તો સાવ નિરાંતે
રાત પછીના કોઈ
ઊઘડતા એક પ્રભાતે
નાવ ઊડશે નકી હવે તો સઢને પાંખ લગાવી
લ્યો, નાવ કિનારે આવી!
• સંગીત : અમર ભટ્ટ • ગાયક : હિમાલી વ્યાસ-નાયક • તબલાસંગત : દીપક ગુંદાણી • કીબૉર્ડસંગત : બ્રિજ જોશી
https://drive.google.com/file/d/1DtFkwiFjoh8BYb4IIUid4XCGKSGHTmWC/view?ts=5b999867
![]()


ગિરીશભાઈ પટેલ (૧૯૩૨-૨૦૧૮), ગુજરાતના એક ખ્યાતનામ માનવ-અધિકાર કાર્યકર અને લોકાર્ભિમુખ વકીલ, એક ટૂંકી માંદગી પછી, ઑક્ટોબર ૬ના દિવસે સવારે ૪ઃ૩૦ વાગ્યે તેમનું નિધન થયું. આ સમયમાં, જ્યાં “Survival of the fittest” એટલે કે જે શક્તિશાળી છે તે જ ટકે, જ્યાં સત્તા અને સંપત્તિ યેનકેન પ્રકારે (ગમે તે ભોગે) મેળવવાની હોડ, બીજાને પછાડી આગળ નીકળી જવાની આવડતને કહેવાય હોંશિયારી, ત્યાં ગિરીશભાઈ જેવા વકીલ જ્વલ્લે જ મળે. ગિરીશભાઈએ, એમની જિંદગી માનવતા, સહકાર, બલિદાન, આ સૌ મૂલ્યોનું એક ઉત્તમ ઉદાહરણ … ગિરીશભાઈ, કે જે નીચલામાં નીચલા સ્તરે જીવતાં માનવસમાજના લોકોનું, એક મોટું આશાનું કિરણ તેમણે હંમેશાં જીવન અર્પણ કર્યું હતું.
ગુજરાતમાં સ્થળાંતરિત મજદૂરોનું જીવનપાયન હું છેલ્લાં ૩૫ વર્ષથી જોઈ રહ્યો છું. સાંગઠનિક કામે વારંવાર સુરત, મુંબઈ જવાનું થાય. સુરતમાં પાવરલૂમ-હીરા ઉદ્યોગમાં તેમની સંખ્યા વધુ. ગુજરાતમાં હીરાઉદ્યોગના કારણે જે આંતરિક સ્થળાંતર થયું, તેના લીધે સૌરાષ્ટ્રમાં જે પરિવર્તનો આવ્યાં તેનો પણ હું સાક્ષી છું. આ સ્થળાંતરિત મજદૂરોની અમાનવીય પરિસ્થિતિની વાતો ક્યારેક છાપામાં આવે. બાકી તો આપણે અજાણ જ રહીએ.