Opinion Magazine
Number of visits: 9449313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાદમી અંગે વધુ. …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 December 2019

‘નિરીક્ષક’નાં સોળમી નવેમ્બરના અંકમાં ‘રે, સરકાદમી !’ વિભાગમાં (આવો વિભાગ પણ ‘નિરીક્ષક’ પાડી શકે) ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ સહુને પાઠવેલી નવાં વર્ષની શુભેછા અને ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પાઠવેલી પ્રતિ-શુભેચ્છા વાંચવા મળી .સુમન શાહે ગુજરાતી સાહિત્યજગતનાં ‘અણસરખાં વાતાવરણ’માં પ્રવેશેલા ‘મૂંગારા’ની ચિન્તા કરી. તેમણે અકાદમીની સ્વાયત્તતા માટેનો મુદ્દો હવે મન્દપ્રાણ બની ગયો હોવાની જિકર કરી. પણ નિષ્પ્રાણ, નિર્લેપ, નિર્સ્તિત્વ (પ્રકાશ ન. શાહના સરકારી + અકાદમી = સરકાદમી શબ્દની માફક નિઃ + અસ્તિત્વ માટે નિર્સ્તિત્વ શબ્દ સંપાદકશ્રી મંજૂર રાખે ?) હોવા કરતાં મન્દપ્રાણ હોવું ગનીમત ગણી શકાય. સુમનભાઈએ ‘હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ !’ એવી પણ ટિપ્પણી કરી છે. સુમનભાઈએ આ હોદ્દેદારોના  નામ નહીં લખીને વ્યક્તિનિરપેક્ષ, તટસ્થ વગેરે રહેવાનું પસંદ કર્યું છે, ભલે. અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ છે અને અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. ‘નિરીક્ષક’નો અંક ૧૮-૧૯ તારીખે હાથમાં આવ્યો તે વખતે એક યોગાનુયોગ એ હતો કે અંકમાં પણ વિષ્ણુ પંડ્યા હતા અને ઝવેરચંદ મેઘાણી નિમિત્તે મારી નજરમાં પણ વિષ્ણુ પંડ્યા હતા.

વાત એમ હતી કે એ દિવસોમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ જયંત મેઘાણીના અભૂતપૂર્વ સંપાદન હેઠળ પ્રસિદ્ધ કરેલાં ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ના પંદર ગ્રંથોના પાનાં ફેરવવાનો (વાંચવાનું તો શું ગજું ?) મોટો આનંદ માણી રહ્યો હતો. અકાદમીએ સમગ્ર મેઘાણી સાહિત્યનાં કુલ ૭,૬૭૪ પાનાંના પંદર પુસ્તકો માત્ર રૂ.૨,૦૭૦/- રૂપિયામાં પ્રસિદ્ધ કર્યા છે. ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આ ગ્રંથો ગુજરાતી સંપાદનકાર્યનું એક સર્વોચ્ચ શિખર છે.

એ ગ્રંથોમાં વાંધાજનક બાબત એ છે કે તેમાંથી સાત ગ્રંથોમાં ‘અધ્યક્ષસ્થાનેથી’ એવાં મથાળા હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાનું પોતાનું, ખુદના હસ્તાક્ષરવાળી સહીથી આપેલું નિવેદન છે. તે મોટે ભાગે ઉઘડતાં જમણાં પાનાંમાંથી એક પાને ખાસ નજરે ચઢે એ રીતે મૂકાયું છે. વિરોધાભાસે સંપાદક જયંત મેઘાણીનું નિવેદન અચૂકપણે ડાબી બાજુના પાને ઓછું નજરે પડે એ રીતે મૂકાયું છે. એ કદાચ જયંતભાઈની લાક્ષણિક નમ્રતાભરી પસંદગી હોઈ શકે. અધ્યક્ષનું નિવેદન અધ્યક્ષની પોતાની પસંદગી જ નહીં, પણ એમનો આગ્રહ અને નિગ્રહ પણ જણાય છે. વિષ્ણુભાઈ પહેલાંના અકાદમીના કોઈ અધ્યક્ષે અકાદમીના કોઈ પ્રકાશનમાં આ રીતે નિવેદન લખ્યું નથી. દરેક ગ્રંથનું નિવેદન વિષયોચિત હોય તો પણ તેમાંથી મેઘાણી માટેના આદર કરતાં પ્રકાશન પર સત્તાની મહોર મારવાની વૃત્તિ વધુ જણાય છે.

અહીં પ્રસ્તુત આડ-વાત તરીકે યાદ આવે છે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ ભાવનાબહેન દવે. તેમને બોર્ડનાં પ્રકાશનોમાં પોતાના ફોટા સાથે નિવેદન મૂકવાની આદત છે. અનેક વિદ્વાન લેખકોના પુસ્તકોમાં પણ પુસ્તક ઉઘાડતાંની સાથે વાચકને પહેલો ઉપાધ્યક્ષનો ફોટો દેખાય, તેની સાથે તેમનું નિવેદન હોય અને પછી પુસ્તકનાં નામ અને લેખકના નામનું પાનું આવે. સર્જકતા કે જ્ઞાન કરતાં સત્તાને પહેલાં રાખવાની આ મનોવૃત્તિને – ઓછામાં ઓછું કહીએ તો ય – જાહેરજીવનના સંદર્ભે વાંધાજનક તો કહેવી જ પડે.

જયંત મેઘાણીનાં સંપાદનકાર્ય તરફ નજર કરતાં સ્વાભાવિક રીતે જ ગુજરાત સાહિત્ય અકાદમીએ અને અન્ય પ્રકાશકોએ બહાર પાડેલાં સંપાદનો યાદ આવ્યાં. અકાદમીએ વીતેલાં વર્ષોમાં, અને તાજેતરમાં પણ, જાણીતા સાહિત્યકારોનાં સમગ્ર કે ચૂંટેલાં સાહિત્યનાં ગ્રંથોના સંપાદનો પર નજર કરી. એ સંપાદનોની જયંતભાઈનાં મેઘાણી-સંપાદનો સાથે સહજ વિદ્યાકીય વૃત્તિથી સરખામણી થઈ ગઈ. કેટલાક સંપાદિત ગ્રંથો પર ગ્રંથાલયમાં નજર  ફેરવી. તેમાં ધ્યાનમાં આવ્યું કે એમાંથી બધાં નહીં તો ય ઘણાં સપાદનોમાં ઘણું ઓછું કામ થયું છે. એ સંપાદકોમાંથી લગભગ બધા, જે તે સમયના, અને અત્યારના સમયના પણ, અગ્રણી સાક્ષરો છે. તેમણે સંપાદનનો અર્થ જ બહુ સંકુચિત કરી નાખ્યો હોવાની છાપ ઉપજે છે. આ સંપાદકોમાં મોટા ભાગના ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો પણ છે. કેટલાંકે તો સાહિત્યને લગતાં વિદ્યાકીય કાર્યોમાં (અને કેટલાંકે જાહેર જીવનમાં પણ) પ્રામાણિકતા, નિષ્ઠા અને ઊંચા ધોરણો વિષે વ્યાખ્યાનો તેમ જ લખાણોમાં ઊંચી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી છે. તો પછી અકાદમીનાં સંપાદનોમાં  કેમ આવું ? ઇતિ અલમ્‌ !

૨૮ નવેમ્બર, ૨૦૧૯ 

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13-14 

Loading

3 December 2019 admin
← Bengal Bypoll
કાર્ટૂનિસ્ટોની નજરે ડો. બાબાસાહેબ આંબેડકર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved