Opinion Magazine
Number of visits: 9447561
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂરમાં ડૂબેલાં રાજ્યોઃ પ્રકૃતિને કાબૂમાં નહીં કાખમાં રાખવાથી જ ભાવિ સુધરશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 August 2019

આડેધડ વિકાસને પાણીનાં વહેવાનાં, બચતનાં અને નિકાલનાં સમીકરણો ખોરવાઈ ગયાં છે.

ભારે વરસાદને કારણે આપણાં દેશનાં ચાર રાજ્યો – કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લગભગ ૧.૨ મિલિયન એટલે કે બાર લાખ લોકોએ પોતાનાં ઘર છોડીને સરકારની રાહત છાવણીમાં ચાલ્યા જવું પડ્યું છે. પૂરને કારણે કેરળમાં એક જ રાતમાં ૯૫, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ૯૭ અને કર્ણાટકમાં ૬૭ જણાંનો જીવ ગયો છે.  આ લેખ તમે વાંચશો ત્યાં સુધીમાં આંકડા ચોક્કસ વધ્યા હશે. માણસોના મૃત્યુ આંક પરથી બાકીનાં નુકસાનનાં વ્યાપની કલ્પના કરી શકાય છે. ભારતીય સૈન્યની ત્રણેય પાંખ પૂરમાં બચાવ કામગીરીમાં રાત-દિવસ જોયા વિના કામે લાગી છે. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ પૂરમાંથી હજી હમણાં માંડ ઊભા થયાં છે. ૨૦૧૯માં ભારતમાં આવેલાં પૂરને કારણે નવ જેટલાં રાજ્યો પર ભારે અસર થઈ છે અને જનજીવન ખોરવાઈ ગયું છે.

૨૦૧૯નું વર્ષ ભારત માટે મોસમને મામલે વિરોધાભાસથી ભરપૂર રહ્યું છે. હીટ વેવથી માંડીને ફ્લેશ ફ્લડ્ઝનો ભોગ બનેલો આપણો દેશ બે મહિના પહેલાં વિશ્વનાં સૌથી વધુ ગરમી ધરાવતા પંદર દેશની યાદીમાં હતો તો ગણતરીનાં દિવસો પહેલાં વિશ્વમાં આગામી ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડવાનો છેની યાદીમાં ભારતનાં પંદર રાજ્યો/પ્રદેશોનાં નામ હતાં. આપણો દેશ ‘ક્લાઇમેટ ક્રાઇસિસ’ની ધારે આવીને ઊભો છે. આપણે ગ્લોબલ વોર્મિંગની આકરી અસરો નોતરી રહ્યાં છીએ. સત્તાધીશો સ્વીકારે કે ન સ્વીકારે પણ દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે માનવ સર્જીત આફત જ છે.

૨૦૧૧માં પર્યાવરણ મંત્રાલય દ્વારા વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલની નિમણૂક કરવામાં આવી હતી, જેનાં વડા ઇકોલૉજિસ્ટ માધવ ગાડગીલ હતા. તેમણે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ૧,૪૦,૦૦૦ કિલોમીટર્સનાં વેસ્ટર્ન ઘાટ ઇકોલોજિકલી સેન્સિટીવ એરિયા છે અને પર્યાવરણીય સુરક્ષા અંતર્ગત ત્યાં ખાણિયા પ્રવૃત્તિ અને ખોદકામ ન થવાં જોઇએ. સરકારે એ રિપોર્ટ માન્ય ન રાખ્યો કારણ કે કે તે વિકાસલક્ષી રિપોર્ટ ન હતો.  તાજેતરની પરિસ્થિતિ અંગે એક અહેવાલમાં પ્રોફેસર ગાડગીલે જણાવ્યું છે કે જે પણ વિસ્તારોમાં પૂરની માઠી અસર થઈ છે તે તમામ એક સમયે ઇકોલોજિકલી સેન્સિટીવ એરિયા તરીકે વર્ગિકૃત કરાયા હતા. બેજવાબદાર પર્યાવરણ નીતિ, વધુ પડતી ખાણિયા પ્રવૃત્તિ અને ખોદકામ, આડેધડ બાંધકામને કારણે જ ડેક્કન વિસ્તારો પૂરમાં બેહાલ થયા છે.

કમનસીબે આ હાલત અમુક જ પ્રદેશમાં કે રાજ્યોમાં છે તેમ નથી. જે રીતે ભારતમાં પૂરની સ્થિતિ ખડી થઈ છે તે દર્શાવે છે કે મોટા ભાગનાં શહેરો કોઈપણ પ્રકારનાં યોગ્ય પ્લાનિંગ વગર વિસ્તરી રહ્યાં છે. આ શહેરોમાં સિંચાઈ કે ગટર યોજના કરાય ત્યારે આડેધડ વધી રહેલી વસ્તીને જાણે ગણતરીમાં જ લેવામાં નથી આવતી. સિંચાઈ અને ગટર યોજનાનું તો કામ જ એ છે કે જળાશયોમાંથી શહેરોમાં સરળતાથી પાણી પહોંચે અને નકામું કે વધારાનું પાણી શહેરમાંથી બહાર કાઢે. ઇતિહાસમાં નદી કાંઠે સંસ્કૃતિઓ વિકસતી હતી તેની પાછળ આ જ કારણો હતાં.

જો શહેરોનાં વિકાસ-વિસ્તાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને થયા હોત ઓવરફ્લો થયેલી નદીઓનાં વધારાનાં પાણી તેનાં પ્રવાહને અનુસરીને મેદાનો અથવા નિચાણ વાળા વિસ્તારોમાં થઈને દરિયામાં ઠલવાઈ ગયા હતો. પરંતુ ટાઉનશીપ, શહેરો, મકાનો અને રસ્તાઓને કારણે વધુ પડતાં પાણીના પ્રવાહને જવા માટે કોઈ દિશા બચી નથી. ઠેર ઠેર એન્ક્રોચમેન્ટ-દબાણો થયાં છે અને આડેધડ બાંધકામો કરાયા છે. આ બાંધકામો વેટલેન્ડ્ઝ પર કે પછી જળાશયોને પૂરી દઈને કરવામાં આવ્યા છે અને પાણીને પસાર થવા માટે વણખેડી જમીનનો એક ઇંચ જેટલો હિસ્સો પણ બાકી નથી રખાયો. આ ચણતરોને પગલે પાણી જમીનમાં પણ નથી ઊતરી શકતું જેને કારણે ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે ઊતરતું રહ્યું છે, તો બીજી તરફ વરસાદનાં પાણીનાં પ્રવાહને જવા માટે કોઇ જગ્યા જ ન હોવાથી ટાઉનશીપ્સ અને શહેરો પૂરગ્રસ્ત થઈ રહ્યાં છે. વળી બંધનાં મોટામસ પ્રોજેક્ટ્સ પણ પૂરનું કારણ બને છે. જ્યારે જળાશયો ભરાઈ જાય છે ત્યારે બંધનાં દરવાજા ખોલવામાં આવે છે જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય. બંધમાં બહુ જ મોટા જથ્થામાં પાણી સંઘરાતું હોય છે અને માટે જ્યારે તેને કારણે પૂર સર્જાય ત્યારે નદીનાં પૂર કરતાં કપરી સ્થિતિ સર્જાય છે. વરસાદની મોસમ હોય એટલે પાણીનાં બાષ્પીભવન કે સુકાવાની શક્યતાઓ નથી હોતી અને પાણીને જવા માટે કોઇ રસ્તો નથી હોતો, પાણી બંધનાં તળિયે જમીનમાં ઊતરી જાય એવી પણ શક્યતાઓ નથી રહેતી કારણ કે તળિયે ડામર અને કોંક્રિટ હોય છે.

નદીઓને જોડનારી યોજનાઓ પણ સરિયામ નિષ્ફળતા સિવાય બીજું કંઈ જ નહીં આપે કારણ કે આમ કરવામાં કુદરતી પ્રક્રિયાઓમાં અવરોધ જ પેદા થશે. જે નદીઓમાં વધારે પાણી આવતું હોય તેમાંથી જેમાં પાણી ઓછું હોય તે નદીની દિશામાં પાણીનો પ્રવાહ ફેરવવાની વાત પર્યાવરણ કે આર્થિક દ્રષ્ટિએ અયોગ્ય છે. દુકાળ કે પૂર કુદરતી આફત જ હોય છે પરંતુ તેની અસર કેટલી ગાઢ અને વિસ્તૃત છે તેની પાછળ માનવ સર્જિત સંજોગો કામ કરે છે. સામાન્ય સંજોગોમાં જ્યારે પણ પૂરનાં પાણી ઊતરી જાય પછી જમીન ખેતી લાયક બનતી હોય છે કારણ કે જમીનનું બંધારણ બદલાય અને તે કાંપની જમીન બને છે. જો કે કાંપની જમીન બનાવીને પાણી વેટલેન્ડ્ઝમાં ઊતરી જાય છે જે કુદરતી સિંકનું કામ કરે છે પણ દબાણોને કારણે આ વેટલેન્ડ્ઝ, કુદરતી સિંક બચ્યાં જ નથી. જે મેદાનોમાં થઈને પૂર આ વેટલેન્ડ્ઝ સુધી પહોંચી શકે તે પણ નથી રહ્યાં. બંધ, પાળા, બેરેજીઝ જેવાં માનવીય સંશોધનનો પર્યાવરણનાં ઉકેલ નહીં પણ પ્રશ્ન ખડા કરે છે. પાણીનો વહીવટ પાણીની માગને તથા કુદરતનાં મિજાજને ધ્યાનમાં રાખીને થવો જોઇએ.

બાય ધી વેઃ

પ્રકૃતિનું નિયંત્રણ કરવાની લ્હાય અને બધાં જ સ્રોતોનો ઉપયોગ કરી લેવાની લાલચ વિનાશ જ નોતરશે. જો પરિસ્થિતિ નહીં બદલાય તો સત્તાધીશો કૅફમાં રહેશે અને લોકો પીડામાં. એક તરફ હિમાલયન ગ્લેસિયર્સ પિગળી રહ્યાં છે જે ઉત્તરીય રાજ્યોમાં આકરો દુકાળ સર્જશે તો બીજી તરફ પૂરની તારાજીનો ક્યાં ય અંત આવતો નથી. વિનાશ નોતરે એવો વિકાસ કોઈને પણ સદવાનો નથી.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2019

Loading

19 August 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 6
રક્ષા બંધન નિમિત્તે …… →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved