Opinion Magazine
Number of visits: 9449244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આથમણી કોરનો ઉજાસ

બકુલા દેસાઈ - ઘાસવાલા, બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|31 December 2018

પત્રાવલિ : દેવિકા ધ્રુવ / નયના – નીના પટેલ

યોગાનુયોગે એવું બન્યું કે ‘ઉજાસ’ સાથે સંબંધિત આ બીજું પુસ્તક વાંચવામાં આવ્યું, તો થયું કે થોડું અલગ છે, પરંતુ એના વિશે ય લખવું જોઈએ એટલે લખ્યું.

સુરતનાં જ નયના, ઉર્ફે નીના પટેલ, લગ્ન પછી ઇંગ્લૅન્ડ જઈ વસ્યાં, અને વર્ષો પછી, અમેરિકા જઈ સ્થાયી થયેલી બેનપણી દેવિકા – દેવી સાથે ફરી સંબંધ શરૂ થયો; અને પૌઢાવસ્થાની નિરાંતનો સમય આવ્યો તે બન્નેએ પત્રમૈત્રી દ્વારા માણ્યો જે પુસ્તકરૂપે પ્રગટ્યો.

નીના અને દેવી ભણ્યાં અમદાવાદમાં એટલે એમને અમદાવાદની એચ.કે. આટર્સ કોલેજના નગીનદાસ પારેખ, ઉમાશંકર જોષી, યશવંત શુકલ, મધુસૂદન પારેખ જેવા વિદ્વાન પ્રોફેસર્સ યાદ આવે. બન્નેનું શિક્ષણ અમદાવાદમાં થયું એટલે એમની સ્મૃતિમાં તે સમયનું અમદાવાદ જીવે. એવું લાગે છે કે ૧૯૪૫ – ૧૯૭૫ સુધીનો સમયખંડ વિદ્યાવ્યાસંગી ગુરુવર્યોનો જ હતો. હિમાંશીબહેને પોતાના પુસ્તકમાં સુરતના વિદ્વાન ગુરુવર્યોને યાદ કર્યા, નીનાબહેન – દેવીબહેને અમદાવાદના ગુરુજનોને યાદ કર્યા તો મને પણ અમારા વલસાડના ગુરુવર્યો કવિશ્રી ઉશનસ્, ડો. કે.જી.નાયક, ડો. બી.જી. નાયક, શ્રી સંઘવી, ડો. ભાંડુતિયા, શ્રી ઉમરવાડિયાસર, આચાર્યસાહેબ, દરૂસર યાદ આવી ગયા.

નીનાબહેન – દેવીબહેનની પત્રાવલિમાં ડાયસ્પોરા અનુભવોનું વર્ણન છે છતાં ગુજરાતી ગૃહિણીઓનો સ્પર્શ અનુભવાય છે. એમના પત્રોમાં સાહિત્ય, શિક્ષણ, શાળાઓ, સામાજિક જીવન , દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન, આફ્રિકા – લંડન – અમેરિકા વાયા ગુજરાતના વસાહતીઓની સંઘર્ષયાત્રા, પાડોશીઓ સાથે સંબંધ, સ્ત્રી – પુરુષ સમાનતા, વતન ઝૂરાપા સાથે હવે જયાં વસ્યાં તે જ ધરતી અમારીનો ભાવ, ધર્મ અને સંસ્કૃતિ, મંદિરોનું સમાજ – રાજકારણ, પરંપરાઓ પ્રત્યે સમજણ વગરનું વળગણ, વિવિધ સંસ્કૃતિનો મેળ, ફિલ્મો : ટી.વી. સિરિયલો : નાટક : નૃત્ય વિષયક એમ અનેક મુદ્દા વણાયેલા છે.

એમના પત્રવ્યવહારમાં ભાષા – બોલી વિશે ખાસ્સું મંથન થયું છે. ગુજરાતી તળપદા શબ્દો અંગ્રેજી બોલી સાથે વણાઈને જે ભાષા બને છે તેની ચર્ચા રસપ્રદ બને છે તો ક્યારેક એમાંથી નીપજતું હાસ્ય કેટલું રોચક છે તે પણ મજાનો મુદ્દો છે. દેવી સ્વભાવે ગંભીર અને નીનાનો મિજાજ સુરતી લહેરી. હાસ્યકણિકાઓ આ પુસ્તકનું જમા પાસું છે. બન્ને લેખિકા છે. દેવી કવયિત્રી અને નીના નવલકથાકાર/વાર્તાકાર/અનુવાદક/દુભાષિયણ છે. જયાં વસ્યા ત્યાં ગુજરાતી કાર્યક્રમો સાથે સંકળાવાનો અનુભવ બન્નેને છે. અનુકૂલનની ફાવટ બન્નેને છે. બન્નેની લેખણમાં સુન્દરમ્ થી સુરેશ દલાલ, શાહબુદ્દીન રાઠોડ, ગુણવંત શાહ સહિત કાજલ વૈદ્ય પણ આવે અને વૈશ્વિક કક્ષાની સાહિત્યિક હસ્તીઓના વિધાનો પણ આવે. પોતાનું તત્ત્વજ્ઞાન પણ આવે. રસોડાની, અંગત અને રાજકારણની વાતો નહીંવત્ છે. કુલ છવ્વીસ ગુણ્યાં બે એમ બાવન પત્રો એકસો ચોસઠ પાનાંમાં પથરાયેલા છે.

આ પુસ્તકની પ્રસ્તાવના બળવંતભાઈ જાનીએ એટલી વિદ્વત્તા અને ન્યાયપૂર્વક લખી છે કે પ્રસ્તાવના વાંચીએ તો પણ પુસ્તક સમજાઈ ગયું એવી છાપ પડે. જો કે એક વાત સ્પષ્ટ કરવી પડે કે આ પત્રાવલિ બે બહેનપણીઓની વચ્ચે છે અને પોતાના પરિવેશને અનુલક્ષીને છે.

હિમાંશીબહેનના સાહિત્યિક ક્ષમતાસભર ઉજાસ અને નીના – દેવીના ઉજાસના સ્તર અને અનુભૂતિની સરખામણી થઈ ન શકે, એવો ઈરાદો પણ નથી. સામ્યતા એટલી છે કે ૭૦-૭૫ની ઉંમરે પણ સૌ પોતાની મસ્તીમાં જીવે છે અને ગમતાં કામમાં સક્રિય રહી જીવન માણે છે. દેવી સાથે મુલાકાત થઈ નથી, પરંતુ નીના આજકાલ સુરતમાં છે અને કુન્દનિકા કાપડીઆની પરમ સમીપેની પ્રાર્થનાઓનું ધ્વનિમુદ્રણ કરવાની ફિરાકમાં છે. એમની કામની નિસબત, તૈયારીમાં ચીવટાઈ, સમયપાલન, શિસ્તનો આગ્રહ, ભાર વિનાની કાર્યશૈલીનું જમાપાસું તરત નજરે ચડે છે. નીના અને દેવિકા બન્ને મારાં Facebook Friend તો ખરાં જ હવે રૂબરૂ મુલાકાત પણ થઈ છે. એમની સાથે વાતો કરો તો મજા પડે. એમનાં મા સમાન મોટાંભાભી વિમલાબહેન સાથે પણ એમનાં કારણે જ મુલાકાત થઈ. ૮૫ વર્ષે ઘરેલુ કામકાજ, વાંચન, સંગીત ક્ષેત્રે નોટ આઉટ વિમલાબહેનને મળવાની પણ મજા આવી. મૈત્રીનો એક સરસ અનુભવ .

પ્રતાપરાય પંડ્યા પ્રેરિત ‘ગ્રીડ્સ’ ડાયસ્પોરા ગ્રંથમાળા – ૩; ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ દ્વારા સ્વીકૃત, આવરણ: પુલકેશી જાની, પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકની કિંમત: ૧૫૦/૦૦₹ અને £-૫, $-૧૦ છે. પ્રાપ્તિ સ્થાન : પાર્શ્વ પ્રકાશન, ૧૦૨/ નંદન કોમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસિંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.

https://www.facebook.com/permalink.php?story_fbid=1467228643624484&id=100010120877274

Loading

31 December 2018 admin
← એક બે અને ત્રીજી
લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં બંગલાદેશમાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved