Opinion Magazine
Number of visits: 9463194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલો ગુજરાતી વાર્તાકાર

રજની વ્યાસ|Opinion - Literature|28 April 2018

‘ભાઈ ! મારી કથા અધૂરી છે. તમે અત્યારે બીજે ગામ જઈ આવો અને પછી આવો તો હું મારી કથા પૂરી કરી શકું.’

ભવાયાનો નાયક કહે : ‘અમારા વેશ પણ ભજવાવા શરૂ થઈ ગયા છે. એ અધૂરા મૂકીને અમે બીજે ગામ શા માટે જઈએ ?’

શામળે વિનંતી કરી : ‘તો તમે ભવાઈ થોડી મોડી શરૂ કરો. હું વહેલી કથા માંડીશ અને રાત થતાં પૂરી કરીશ. લોકો જમી-પરવારી તમારી ભવાઈ જોવા આવશે.’

ભવાયાનો નાયક કહે : ‘અમે ગામલોકો થોડા નવરા છીએ તે બીજી વાર આવીએ ? અમારો સમય નહીં બદલાય.’

શામળે વિનંતી કરી : ‘ભાઈ ! મારી રોજીરોટીનો સવાલ છે. હું પણ તમારા જેવો જ લોકો પર નભતો પુરાણી છું. કથાકાર છું. આપણે એકબીજાને અનુકૂળ બનવું જોઈએ.’

ભવાયાનો નાયક કહે : ‘લોકોનું મનોરંજન કરીને કમાતા કલાકારોમાં તો જે લોકોને આકર્ષી શકે તે કમાણી કરે. તારામાં જો લોકોને કથા સાંભળવા પકડી રાખવાની તાકાત ન હોય તો પુરાણી તરીકેનો ધંધો છોડી દે ને લોટ માગવાનું શરૂ કર !’

આ સાંભળતાં શામળનું સ્વમાન ઘવાયું. ભવાઈ-વેશ ભજવનારા ભવાયાના એક નાયક અને શામળ નામે એક કથાકાર વચ્ચે અમદાવાદના વેગણપુર પરામાં આ ચડભડ ચાલી રહી હતી. વેગણપુર એટલે આજનું ગોમતીપુર. એણે નક્કી કર્યું ભવાયાનો ગર્વ ઉતારવો જોઈએ. લોકોને ગમે અને એમનું મનોરંજન કરે એવી વાર્તાઓ જ શ્રોતાઓને કહેવાય તો જરૂર બધાને રસ પડે. શામળમાં વાર્તા કહેવાની શક્તિ હતી. તે વાર્તાને પદ્યમાં રજૂ કરવાની કવિ જેવી શક્તિ હતી. આ શક્તિને કામે લગાડીને શામળે બત્રીશ-પૂતળીની વાર્તા માંડી. આ વાર્તાઓ એવી સરસ રીતે કહેતો કે લોકો ભવાઈ જોવાનું છોડીને શામળની વાર્તાઓ સંભાળવા લાગ્યા.

આમ આ બનાવ પછી શામળે ધર્મકથા કહેનારા પુરાણી તરીકેનો વ્યવસાય છોડી દીધો અને લોકરંજક પદ્યકથાઓ રચીને તે કહેવાનું શરૂ કર્યું. વાર્તાકાર તરીકે ગુજરાતમાં એની નામના થઈ.

માતર પરગણાના સિંહુજ ગામના મોટા જમીનદાર રખીદાસ વાર્તા સાંભળવાના રસિયા હતા. એમણે શામળને માનપાન સાથે સિંહુજ બોલાવ્યો અને વસવાટ તથા સ્થાયી આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આથી શામળે રખીદાસના આશ્રયે સિંહુજ ગામમાં રહીને અનેક વાર્તાઓ રચી. એ પોતાની વાર્તા રાત્રે શ્રોતાઓ સમક્ષ વાંચતો. આ વાર્તાઓ એટલી રસપ્રદ હતી કે શ્રોતાઓ રાતોની રાત વાર્તાઓ સાંભળતા. બાળપણમાં વિક્રમ-વૈતાલની કે બત્રીસ પૂતળીની વાર્તાઓ કોણે નહિ વાંચી હોય ? રાજા વીર વિક્રમને ખભે ચડી બેઠેલા વૈતાલ અને સિંહાસન પર બેસવા જતા રાજા વિક્રમને સિંહાસનમાં કોતરેલી એક પૂતળી રોજ નવી નવી વાર્તા કહે છે … લખાયેલી આ વાર્તા હજી લોકો પ્રેમથી વાંચે છે. અમદાવાદના વેગણપુર(હાલના ગોમતીપુર)માં વસનાર આપણા પદ્ય-વાર્તાકાર શામળ ભટ્ટે મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ શામળ છે.

આ સાહિત્યના ભંડારમાં તેણે અસંખ્ય રસભરપૂર પદ્યવાર્તાઓ આપી મધ્યકાલીન સમયની કાવ્યગંગાને વહેતી રાખી છે. તે પછી તેણે સાંસારિક અને ચમત્કારિક વસ્તુઓ તરફ પોતાની દષ્ટિ દોડાવી. શામળને પરંપરાથી ચાલી આવતી લોકવાર્તાઓનો ભંડાર મળ્યો. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ જેવી પંક્તિઓ દ્વારા એણે એનો મુક્તપણે સ્વીકાર કર્યો છે. ‘સિંહાસન બત્રીસી’ અને ‘સૂડાબહોતેરી’ જેવી એની વાર્તામાળાઓ કે એની સ્વતંત્ર લાગતી વાર્તાઓના ક્થાઘટકો પુરાણકથાઓમાંથી જ પ્રાપ્ત થયેલા છે. સંસ્કૃત, હિન્દી વગેરેના જાણકાર આ બહુશ્રુત કવિએ જૂની ગુજરાતીના જૈન સાહિત્ય અને કંઠસ્થ તેમ જ ગ્રંથસ્થ સાહિત્યનો આધાર લીધો. ‘નંદબત્રીસી’ની તેની વાર્તાઓ તેની મૌલિક રચના છે. ઉપરાંત તેનું પ્રસંગને ખીલવવાનું કૌશલ્ય, તેની નિરૂપણશૈલીની આગવી વિશિષ્ટતા, રસની જમાવટ કરવાની અનોખી શક્તિ અને વાર્તા કહેવાની કલાયુક્ત ચાતુરી – તેનાં સર્જનતત્ત્વો છે.

એની લોકપ્રિયતાનાં બીજાં કેટલાંક આકર્ષક તત્ત્વો છે. તે તત્ત્વો તે વાર્તામાં આવતી પેટાવાર્તા કે એક વાર્તાના અંતમાં બીજી વાર્તાની ભૂમિકા સાંકળીને શ્રોતાઓના કુતૂહલને જારી રાખવાનું તેનું નૈપુણ્ય છે. જુદી જુદી જ્ઞાતિઓ, તેમના વ્યવસાય, વ્યક્તિનામો, રીતરિવાજ, સામાજિક-ધાર્મિક અને શુકન-અપશુકન સંબંધી માન્યતાઓ, વહેમો શામળના સમયની માહિતી તેની વાર્તાઓમાંથી મળે છે. શામળ આપણા પદ્યવાર્તાકાર છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ. અમદાવાદનું હાલનું ગોમતીપુર ૧૮મી સદીમાં વેગણપુર તરીકે ઓળખાતું હતું. કવિ, આખ્યાનકાર અને પદ્યવાર્તાકાર શામળ વિરેશ્વર ભટ્ટે (રચનાકાર તરીકે ઈ. ૧૭૧૮ થી ઈ. ૧૭૫૬માં કાર્યરત) વ્યવસાયનો આરંભ કથાકાર તરીકે કર્યો હતો. નાના ભટ્ટ પાસેથી સંસ્કૃતનું જ્ઞાન મેળવીને શામળ ભટ્ટ સંસ્કૃત ભાષાનાં પુરાણો વાંચતા અને તેમના ભાવિક શ્રોતાઓને ગુજરાતીમાં પુરાણકથા કહેતા હતા. એમનામાં કવિત્વ શક્તિ હતી એટલે પુરાણો અને આખ્યાનો ગુજરાતી પદ્યમાં રચીને સંભળાવતા અને વચ્ચે વચ્ચે જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા છપ્પાઓ રચીને સંભળાવતા હતા. આથી સામાન્ય કથાકાર કરતાં લોકોને આ કવિકથાકારમાં વિશેષ રસ પડતો હતો. દિવસે દિવસે પુરાણી તરીકે શામળને ખ્યાતિ મળવા લાગી અને ભાવિક શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. શ્રોતાઓ આવે, કથા સાંભળે અને પોથી ઉપર જે કંઈ અનાજ, ફળ અને પાઈ-પૈસો મૂકે એની આવકથી શામળનો ગુજારો થતો રહેતો.

વેગણપુરમાં ભવાયા આવ્યા. એ જમાનામાં નાટક ને ફિલ્મ જેવું તો મનોરંજનનું કોઈ જ સાધન ન હતું. આથી જ્યારે જ્યારે નટ, ભવાયા આવે. આ બાજુ શામળની કથા ચાલે ને સામે ભવાયાની ભવાઈ થાય. આવી ચડસાચડસીમાં – સ્પર્ધામાં ગુજરાતી સાહિત્યને સુંદર – અમર પદ્યવાર્તાઓ મળી જે હજી અઢીસો વર્ષે ય રસભરપૂર અને તાજગીપૂર્ણ લાગે છે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 30-31 

Loading

28 April 2018 admin
← સજન મારી પ્રીતડી …
કૂણાં પાન →

Search by

Opinion

  • ઝુબિન ગર્ગ અને ડૉ. હિમા સાને : જીવનની મર્યાદા મનની મર્યાદા નથી
  • GSTમાં રાહત આભાસી છે …?
  • સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !
  • વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!
  • લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved