Opinion Magazine
Number of visits: 9447540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરઉનાળે મતદારો તરસ્યા રહેશે

સાગર રબારી|Samantar Gujarat - Samantar|2 March 2018

સરદાર સરોવર પ્રોજેક્ટના પાણીના લેવલની પરિસ્થિતિ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની વેબસાઈટ http://nca.gov.in/પર તપાસતાં ચોંકાવનારી વિગતો ઊપસી આવે છે. (૧) ડેમ પૂરેપૂરો ભરવાની ક્ષમતા અથવા ભયજનક સપાટી કહીએ તો ૧૩૮.૬૮ મીટર છે. (ર) પાણીની સપાટી ચોમાસા દરમ્યાન આ પ્રમાણે હતી.

આંકડા જોતાં સાફ દેખાય છે કે, ૧ ડિસેમ્બર ર૦૧૭ના રોજ ડેમમાં ૧૯૪૬ મીલિયન ક્યુબિક મીટર પાણી હતું અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. બહુ સારી રીતે જાણે છે કે એને ઉનાળા દરમ્યાન, બીજા ચોમાસા સુધી ગુજરાતના લોકો માટે પીવાનું કેટલું પાણી જોઈશે. છતાં, ડિસેમ્બરના એક જ મહિનામાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ૯૬૭ મીલિયન ક્યુબિક મીટર પાણી વાપરી નાખ્યું, જેથી ડિસેમ્બરના અંતે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. પાસે માત્ર ૯૭૯ મીલિયન ક્યુબિક મીટરનો લાઈવ સ્ટોરેજ બચ્યો હતો. જ્યારે મુખ્ય મંત્રીશ્રીએ, ચૂંટણી વીત્યા પછી પાણીની અછતની જાહેરાત કરી ત્યારે, ૧ર જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ હતું ૬૩૮ મીલિયન ક્યુબિક મીટર. છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર તા. રપ-૧-૨૦૧૮ના રોજ ડેમની સપાટી બચી છે ૧૧૩.૬૯ ફૂટ અને પાણીનો લાઈવ સ્ટોરેજ છે માત્ર ૩ર૮ મીલિયન ક્યુબિક મીટર. જો ચોમાસા દરમ્યાન ડેમમાં પાણીની આવક જોઈએ તો, વેબસાઈટ પરના આંકડાઓ અનુસાર, પહેલી જુલાઈ ર૦૧૭ના રોજ ડેમમાં ૧૧૪.૯૭ મીટર પાણીની સપાટી હતી. ચોમાસાની શરૂઆતમાં, ૩૧ જુલાઈના રોજ ડેમની સપાટી વધીને ૧ર૦.૬૯ મીટર થઈ, સપાટીમાં પ.૭ર મીટરનો વધારો થયો. ૩૧ ઓગસ્ટના રોજ ડેમની સપાટી વધીને ૧ર૪.૪૩ મીટર થઈ, ૩.૭૪ મીટરનો વધારો થયો. પહેલી ઑક્ટોબર, ર૦૧૭ના રોજ, ડેમમાં સપ્ટેમ્બર મહિનાના વરસાદનું પાણી ઉમેરાતાં સપાટી વધીને ૧૩૦.પ૯ મીટર થઈ. એ પછી પાણીની સપાટી ઘટવાની શરૂઆત થઈ. ૩૧ ઑક્ટોબરના રોજ ડેમની સપાટી હતી ૧ર૮.૬૯ મીટર. મહિના દરમ્યાન ૧.૯ મીટર ઓછી થઈ છતાં, અગાઉ કરતાં ૪.ર૬ મીટર વધારે હતી. તા. ૩૧ નવેમ્બર ર૦૧૭ના રોજ પાણીની સપાટી ઝડપથી ઘટીને ૧ર૪.રર મીટર થઈ, સીધો ૪.૪૭ મીટરનો ઘટાડો.

તા. ૩૧ ડિસેમ્બરના રોજ પાણીની સપાટી ઘટીને ૧૧૮.૩૩ મીટર થઈ, સીધો પ.૮૯ મીટરનો ઘટાડો થયો અને ૧ર ડિસેમ્બર, જ્યારે ચૂંટણીના છેલ્લા ચરણના મતદાનનો પ્રચાર બંધ થયો ત્યારે ડેમની સપાટી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ. બહુ સાદી ગણતરી દર્શાવે છે કે, ચૂંટણી દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ સત્તાધારી પક્ષની તરફેણમાં બહુ જ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે, સત્તાધારી પક્ષને રાજી રાખવા માટે ગુજરાત માટે અતિમૂલ્યવાન એવું પાણી વેડફ્યું. ચૂંટણીના અઢી મહિના દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ખૂબ  ઉદારતાપૂર્વક, બિનજરૂરી હોવા છતાં, ઉદ્‌ઘાટનો માટે ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રાખ્યું. એને કારણે આશ્ચર્યજનક રીતે, ડેમમાં પાણીની સપાટી ૧૩૦.પ૯ મીટરથી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ, સત્તાધારી પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ મળીને ૧૪.૬૪ મીટર પાણી ગુજરાતના લોકો પાસેથી બિનજરૂરી રીતે ઝૂંટવી લીધું.

આમાં મહત્ત્વની વાત એ છે કે, સપ્ટેમ્બર-ઑક્ટોબર ચોમાસાના અધિકૃત મહિના છે. ડેમના  પાણીનો  સૌથી  વધુ  હક  અને  વપરાશ  જેનો  છે  એ  ખેતીમાં  આ  મહિનાઓ  દરમ્યાન પાણીની જરૂર પડતી નથી. એટલા માટે જ અમે વારંવાર પૂછીએ છીએ કે નર્મદાનું પાણી ક્યાં ગાયબ થઈ ગયું? સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમ આટલો સાદો હિસાબ કરીને લોકોને જવાબ આપવા તૈયાર નથી!

સત્તાપક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. સ્વેચ્છાએ લોકોની માગણી સ્વીકારીને એમણે ગેરઉપયોગ કરેલા પાણીનો વિગતવાર હિસાબ આપવા ભલે તૈયાર ના હોય, પરંતુ ખેડૂતો એમના ભાગના, મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમે દુરુપયોગ કરેલા ટીપે ટીપાં પાણીનો હિસાબ આપવા ફરજ પાડવા મક્કમ છે.

E-mail : sagar45rabari@gmail.com

સૌજન્ય : નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 15 

Loading

2 March 2018 admin
← ગાંધી આજે પણ પ્રસ્તુત
વેરાન ભૂમિ પર સંગીતનો જાદુ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved