Opinion Magazine
Number of visits: 9447108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાજપેયીનું અટલ સ્વદેશી! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|23 August 2025

હેમન્તકુમાર શાહ

લોકસભાની ચૂંટણી પછી ૧૯૯૬માં વાજપેયીના નેતૃત્વ હેઠળ, ભા.જ.પ.ની નેતાગીરી હેઠળની ગઠબંધન સરકાર પ્રથમ વાર બની હતી. તે સમયે રાષ્ટ્રપતિ હતા શંકર દયાલ શર્મા. તેમણે વાજપેયીને સરકાર રચવા એટલે નિમંત્રણ આપેલું કે ભા.જ.પ. સૌથી મોટો પક્ષ બનેલો લોકસભાની ચૂંટણીમાં. શર્માએ લોકસભામાં બહુમતી પુરવાર કરવા વાજપેયીને જણાવ્યું હતું. 

પરંતુ વાજપેયી લોકસભામાં પોતાની બહુમતી પુરવાર કરી શક્યા નહોતા. એટલે માત્ર ૧૩ દિવસ વડા પ્રધાનપદે રહીને વાજપેયીને રાજીનામું આપવું પડ્યું હતું. 

ફક્ત ૧૩ દિવસ ચાલેલી સરકારે તેની પહેલી જૂનની પહેલી અને છેલ્લી કેબિનેટ બેઠકમાં બે જ કામ કરેલાં: 

(૧) સરકારના રાજીનામા અંગેનો ઠરાવ કરવો. 

(૨) અમેરિકાની એનરોન કંપનીને મહારાષ્ટ્રમાં દાભોલ ખાતે પાવર પ્લાન્ટ માટે મંજૂરી આપવી.

વાજપેયીને ત્યારની એક માત્ર કેબિનેટ બેઠકમાં એનરોન કંપનીને પાવર પ્લાન્ટ નાખવાની મંજૂરી આપવા સિવાય બીજું કોઈ કામ દેશ માટે મહત્ત્વનું લાગ્યું જ નહોતું! આ હતી વાજપેયીની સ્વદેશી માટેની અટલ ભક્તિ. 

તે સમયે RSSના સ્વદેશી જાગરણ મંચની સ્થાપના થઈ ગયેલી અને નરસિંહરાવની સરકાર સામે મંચે સ્વદેશી આંદોલનનું બ્યૂગલ ફૂંકેલું હતું. તેમ છતાં વાજપેયીના આ નિર્ણય સામે RSS કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કોઈ જાહેર નિવેદન અપાયું હોવાનું જાણમાં નથી. વાજપેયી RSSના પ્રચારક હતા. તેઓ ૧૯૯૮માં ફરી વડા પ્રધાન થયેલા અને ૨૦૦૪ સુધી વડા પ્રધાનપદે રહેલા. આવા વિદેશી કંપનીના ભક્ત વાજપેયીને RSSનું સંપૂર્ણ સમર્થન હતું જ છ વર્ષ. 

જો મનમોહનસિંહે વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવેલી એમ કહીએ તો એમ પણ કહેવાય કે વાજપેયી તો એ લાલ જાજમ પર વિદેશી કંપનીઓને આવકારવા દોડેલા! આ ઇતિહાસ છે અને આંકડાઓ સાથે પુરવાર થઈ શકે તેમ છે.

એક બીજો પ્રસંગ. વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના માટે ૧૯૯૪ની ૧૪-૧૫ એપ્રિલ દરમ્યાન મોરક્કોના શહેર મારાકેશમાં મીટિંગ મળેલી. નરસિંહરાવના વાણિજ્ય પ્રધાન તરીકે પ્રણવ મુખર્જી ત્યાં સહી કરવા ગયેલા.

તેના બરાબર એક સપ્તાહ પહેલાં એટલે કે ૮ એપ્રિલ, ૧૯૯૪ના રોજ દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં વાજપેયીએ એમ કહેલું કે, “જો ભા.જ.પ. સત્તા પર આવશે તો ભારત WTOમાંથી બહાર નીકળી જશે.”

પછી વાજપેયી ૧૯૯૮-૨૦૦૪ છ વર્ષ વડા પ્રધાન રહ્યા, પણ તેઓ આ બોલેલું ભૂલી ગયેલા. તેઓ તો ભૂલી જાય કારણ કે કવિ હતા! RSS કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કવિ વડા પ્રધાનને તેમનું વચન યાદ અપાવવામાં આવ્યું હોય એવું પણ મને યાદ નથી. હું કવિ નથી એટલે મને વાજપેયીનું કથન હજુ યાદ છે.

આ બંને પ્રસંગો એમ બતાવે છે કે ભા.જ.પ.ને વિદેશી કંપનીઓ કેટલી વહાલી છે. સ્વદેશી જાગરણ મંચ હજુ છે જ, અને નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતનું ગાયન ગાવાનું અને વિદેશી કંપનીઓને બોલાવવાનું એમ બે કામો સાથે કરે છે! 

જેમનામાં બુદ્ધિ હોય એમણે આ બે હકીકતો સ્વીકારવી. અંધ ભક્તોને કોઈ હકીકતો ન દેખાય એ સ્વાભાવિક છે. 

તા.૨૨-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 August 2025 Vipool Kalyani
← મતદાતા યાદી સુધારણા અંગે નાગરિકી ચિંતા
ચલ મન મુંબઈ નગરી—303 →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved