Opinion Magazine
Number of visits: 9448854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માની કૃપાદૃષ્ટિ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|3 February 2016

‘સજ્જનો અને સન્નારીઓ !

‘આજે મારે તમને મારા પોતાના અનુભવની વાત કરવી છે. જ્યાં સુધી એક બાળકની માફક, તદ્દન નિસ્વાર્થ ભાવે આ માતાના ચરણોમાં નહોતો આવ્યો ત્યાં સુધી હું પણ તમારા સૌની માફક આવતીકાલની ચિંતામાં ડૂબેલો રહેતો, આકુળ-વ્યાકુળ રહેતો પણ હવે કોઈ ફિકર નથી, ગઈકાલ કે આવતીકાલની કોઈ ચિંતા નથી. બસ, વર્તમાનમાં જીવું છું. મારી બધી આધિ, વ્યાધિ, ઉપાધિ માએ લઈ લીધી છે. એ જ રસ્તો બતાવતી જાય છે. મારે કશું કરવું નથી પડતું.

‘આજ-કાલ કરતાં સત્તર વર્ષ થયાં એ વાતને. એક રાત્રે સાક્ષાત્‌ માએ મને સ્વપ્નમાં દર્શન દીધા અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા આપી. મેં કશું નથી કર્યું, જે કંઈ કર્યું એ મારી માએ કર્યું છે. આ જે વિશાળ મંદિર અને એમાં બિરાજમાન માતાની ભવ્ય મૂર્તિ તમે જોઈ રહ્યા છો એ મા ભવાનીનો ચમત્કાર નહીં તો બીજું શું છે ? માની કૃપાનો વિચાર કરું છું ને હું ગદ્‌ગદ્‌થઈ જાઉં છું. બોલો, શ્રી અંબે મા…ત કી જય !’

બોલતાં બોલતાં પાઠકજીની આાંખો અશ્રુભીની થઈ જતી અને કંઠ રુંધાઈ જતો. શ્રોતાઓ એમના વાણીપ્રવાહમાં ભીંજાઈ જતા. એમની વાણીનો પ્રભાવ એવો કે, જે ભક્ત માતાના ભંડાર કે દાનપેટીમાં દસ રૂ. મૂકવાનું વિચારીને આવ્યો હોય એ પચાસ કે સોની નોટ સહજતાથી મૂકી દેતો.

આમ તો જ્યારે સરકારી નોકરી કરતા ત્યારે પાઠકજી ધાર્મિક નાટકોમાં પણ ભાગ લેતા. એટલે એમને હાવ-ભાવ અને અવાજમાં ઉતાર-ચઢાવ સાથે બોલવાની ફાવટ આવી ગઈ હતી. એમનું મૂળ નામ પૂનમચંદ અને અટક પાઠક તેથી લોકો એમને પી.પી. કહીને બોલાવતા પણ જ્યારથી થોડા લોકોને મંદિરના વહીવટ અંગેની એમની નિષ્ઠા માટે શંકા ગઈ ત્યારથી તેઓ એમને ભલે પી.પી. જ કહેતા પણ એ અક્ષરોનો વિસ્તાર ‘પાખંડી પાઠક’ તરીકે કરતા. જો કે, પાઠકજીને લોકો એમની પીઠ પાછળ શું બોલે છે એની સાથે ઝાઝી લેવા-દેવા નહોતી. એમને તો બસ, એ ભલા ને એમની મા ભલી. એમની વાણીનું શ્રવણ કરનાર કોઈ શ્રોતા ન મળે ત્યારે તેઓ પત્ની પાસે પોતાનું સંભાષણ ચલાવતા,

‘કોઈ માને કે ન માને, તું તો જાણે જ છે ને કે, મને મા પ્રત્યે કેટલી આસ્થા છે ?’ પત્નીને મનમાં ને મનમાં હસવું આવતું ને થતું કે શેની આસ્થા ને શેની વાત’. કેમ કે, એ તો પોતાની સગ્ગી આંખે પતિને મંદિરની આવકમાંથી ઘરનું રાચ-રચીલું વસાવતા અને કાળા-ધોળા કરતાં જોતી હતી. માતાની આ સુંદર, ભાવવાહી મૂર્તિ ઘડનાર બંગાળના ઘોષબાબુ એની પાસે કાલાવાલા કરતા,

‘બૌદી, પાઠકજી યે અચ્છા નંઈ કરતા. અમકો મૂર્તિ બોનાનેકો બોલા પન આજ તલક એક પઈસા બી નંઈ દિયા.’

પાઠકજીની પત્નીને પોતાને પણ લાગતું કે, આ ઠીક નથી થઈ રહ્યું. મંદિરના પરિસરમાંની જે બે ઓરડીઓમાં તેઓ રહે છે એનો પણ મંદિરની મરામત માટે ભેગા થયેલા ફાળામાંથી જ પાઠકજીએ મેળ પાડ્યો હતો. પણ જ્યારથી પરણીને આવી ત્યારથી એણે પાઠકજીની હામાં હા કર્યે રાખી હતી તો પછી હવે જતી જિંદગીએ શી માથાકૂટ ? – એ વિચારતી.

મંદિરની પ્રવૃત્તિઓ ધમધમતી લાગે એ માટે પાઠકજી અવનવા નુસખા વિચાર્યા કરતા. મુખ્ય સ્થાને માતાની મૂર્તિ તો હતી પણ આજુબાજુ બધે કેટલાં ય દેવ-દેવીઓની મૂર્તિઓ પણ દાતાઓને હાથે, વિધિ-વિધાન સાથે એમણે બિરાજમાન કરાવી હતી. એટલે જ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ, બુધવારે મહિલાઓનો સત્સંગ, શનિવારે સુંદરકાંડ તો રવિવારે હોમ-હવન, એમ ભરચક કાર્યક્રમો ચાલતા રહેતા, અને એટલે જ ભક્તોની આવન-જાવન અને દાન-દક્ષિણાનો પ્રવાહ પણ અખંડ વહેતો રહેતો. જ્યારે મંદિરની અંદર કશી પ્રવૃત્તિ ન ચાલતી હોય ત્યારે મંદિરના ગુંબજ પર લગાવેલા સ્પીકરમાંથી ભજનોના સૂર રેલાતા રહેતા.

આજ સુધી તો બધું ઠીકઠીક ચાલ્યા કરતું પણ હમણાં હમણાં એમનાં પત્નીએ જોયું કે, પાઠકજી ચિંતાગ્રસ્ત લાગતા અને એમનો ખોરાક પણ ઓછો થઈ ગયો છે. એણે પૂછ્‌યું, ‘શું થયું છે ? તબિયત બરાબર નથી ? પૂરું ખાતા પણ નથી ને રાત્રે પથારીમાં પણ પડખાં ફેરવ્યા કરો છો. એવું હોય તો ડૉક્ટરને બતાવોને ! બી.પી. કે કંઈ….’ મને બી.પી.ય નથી ને ડાયાબિટીસ પણ નથી. મને જે નડે છે એ પેલો ઘોષ અને પેલો મિશ્રા એ બંને નડે છે.’

‘એ કેવી રીતે ?’

‘એ બંને ભેગા થઈને મારી વિરુદ્ધ ભક્તગણને ભડકાવે છે. કહે છે કે, મંદિરની આટઆટલી આવકના હિસાબ માટે એક કમિટી નીમવી જોઈએ.’ ‘વાત તો સાચી ….’ લાંબું વિચાર્યા વિના પત્નીએ વચ્ચે ડબકું દીધું. ‘શું સાચી ? સત્તર વર્ષ થયાં હું એકલે હાથે બધો હિસાબ રાખું છું ને હવે કમિટી બનશે તો …. સમજાય છે કંઈ ?’

‘હા, હવે સમજાયું પણ તો તમે શું કરશો ?’

‘એ જ વિચારું છું. મા કંઈ રસ્તો બતાવે ને એના બાળક પર કૃપાદૃષ્ટિ કરે તો જ હવે કંઈ થાય.’

‘પણ …’ પત્ની બોલવા ગઈ કે, આવા કામમાં મા કંઈ રસ્તો ન બતાવે પણ પછી પોતાના ડહાપણથી પતિ છંછેડાઈ જશે એ બીકે ચૂપ જ રહી. ત્યાર બાદના થોડા દિવસો પાઠકજી માટે ખૂબ મુશ્કેલીભર્યા રહ્યા. એમના વિરોધીઓની ટોળકી હવે મોટી થઈ રહી હતી. એ સૌ પોલીસમાં ફરિયાદ નોંધાવવાના હતા એવી બાતમી એમના વિશ્વાસુ ભક્તો દ્વારા મળી હતી.

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા. ભક્તો શ્રદ્ધાપૂર્વક માને કંઈ ને કંઈ ભેટ ધરી જતા. પાઠકજી અખંડ જાપ કરતા હતા. આ સાધના એકાંતમાં જ કરવાની હોવાથી રાતના સમયે કોઈને પ્રવેશ નહોતો.

સવારે પૂજારીએ આવીને જોયું તો માતાને જે સોળે શણગાર સજાવેલા એ બધા ગાયબ અને પી.પી.નું ખાલીખમ ઘર ખુલ્લું ફટાક પડેલું. આ શું થઈ ગયું ? મા પાસેથી કંઈ જવાબ મળશે એમ કરીને પૂજારીએ મૂર્તિ સામે જોયું … મા મરક મરક હસતાં હતાં.

(ગોવિંદ ઉપાધ્યાયની હિંદી વાર્તાને આધારે)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2015; પૃ. 24

Loading

3 February 2016 admin
← ગાંધીના આધ્યાત્મિક વારસદાર
શતમ જીવ દીપક બારડોલીકર ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved