Opinion Magazine
Number of visits: 9504137
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !

રમેશ સવાણી|Opinion - Opinion|22 May 2025

વાલજીભાઈ પટેલ

શું કોઈ સરકારી IAS અધિકારી સરકારના પરિપત્રને બદલવા સરકારને ફરજ પાડી શકે ખરા? પણ પ્રવીણ ગઢવીએ એ કામ કર્યું. જેનો હું સાક્ષી છું. 

અમરેલીમાં પ્રવીણ ગઢવી કલેકટર હતા અને હું અમરેલીમાં જમીન આંદોલન ચલાવતો હતો ત્યારે અમે આ કામ પાર પાડેલું. અને દલિતોને ફાળવેલ 3,000 એકર જમીનો બચી ગઈ. 

અમે આનંદિત થયેલા, પણ પ્રવીણભાઈ મારો સ્વભાવ જાણે એટલે એમણે મને આ પ્રસંગ જાહેરમાં ન કહેવાની સૂચના આપેલી. હું ચૂપ રહ્યો. કારણ કે, મારે તેમની નોકરીની મર્યાદા પણ જોવાની હતી.  

આજે પ્રવીણ ગઢવી આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે આવા સવાયા દલિતનો ઉપકાર હું ભૂલી જાઉં તો નગુણો ગણાઉં. એટલે વિગતે વાત કરીશ. 

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-૧૯૬૦ની કલમ-29 હેઠળ દલિતોને ફાળવેલ જમીનો નવા કરારની જમીન ગણાય. અને આવી નવા કરારની જમીનો આ કાયદાની કલમ-30ની જોગવાઈ અન્વયે જિલ્લા કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ. આમ આ જોગવાઈ બિન દલિતો  માટે આડખીલીરૂપ હતી.

ગુજરાતમાં તે વખતે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. મોદી સરકારે આ અવરોધ દૂર કરવા નવા કરારની જમીનો ૧૫ વર્ષ પછી જૂના કરારમાં ફેરવી શકાય અને એવી જમીનો વેચી પણ શકાય તેવો હુકમ કર્યો. એટલું જ નહીં, કાયદાની જોગવાઈ અન્વયે આવી જમીનો વેચવાની મંજૂરી આપવાના અધિકાર માત્ર કલેકટર પાસે જ હતા. તેના બદલે સરકારે એવા અધિકાર મામલતદારોને પણ આપ્યા. 

પ્રવીણભાઈ ગઢવી

પરિણામે દલિતોના નામે મંડળીઓ બનાવી કબજો કરી બેઠેલા રાજકીય દલિત નેતાઓ આ કરોડો રૂપિયાની સેંકડો એકર જમીનોના માલિક બની ગયા. અને માત્ર કાગળો ઉપર સભ્યો કરી બનાવેલી મંડળીઓનાં રાજકીય દલિત નેતાઓએ મામલતદારો પાસેથી આ જમીનો વેચવાની મંજૂરીઓ મેળવી સવર્ણોને 3,000 એકર જમીનોના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા. 

રોકડિયો લાભ મેળવવા આ દલિત આગેવાનોએ પાંચ લાખમાં વેચેલી જમીનોમાં ત્રણ લાખ રોકડા લઇ દસ્તાવેજ તો માત્ર બે લાખમાં કર્યા. ત્રણ હજાર એકર જમીન ધરાવતી અમરેલીની સૌથી મોટી ખેત મંડળીનાં માલિક કાઁગ્રેસની હરિજન વિકાસ પરિષદના ગોવા કાળા મારુ અને તત્કાલીન નિવૃત્ત ડેપ્યુટી કલેકટર ડી.કે. મારુએ 70 લાખ રૂપિયાના દસ્તાવેજો કરેલા.  

અમે કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટીસે અમરેલી રજીસ્ટારની  કચેરીમાં નાણાં ભરી બધા વેચાણ દસ્તાવેજોની નકલો મેળવી. અને અમરેલી કલેક્ટરની કોર્ટમાં શરતભંગનાં મેં કેસ દાખલ કર્યા. જેમાં કાયદાની કલમ-30 હેઠળ કલેકટરની મંજૂરી વગર થયેલ દસ્તાવેજો  તેમ જ  બિનઅધિકૃત  અધિકારી મામલતદારની મંજૂરી મેળવી થયેલ વેચાણ દસ્તાવેજો કાયદા વિરોધી હોઈ આવા દસ્તાવેજો  રદ્દ કરવા લેખિત ફરિયાદ કરી. 

મારી ફરિયાદ કલેકટર પ્રવીણ ગઢવીની કોર્ટમાં સુનાવણીમાં આવી. તેમણે મારી ફરિયાદ વાંચી મને કહ્યું, “વાલજીભાઈ, મને બે દિવસ વિચારવા આપો.” 

બે દિવસ પછી હું તેમની ઓફીસમાં મળવા ગયો. અને તેમણે  મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પાસેથી માર્ગદર્શન મેળવવા પત્ર લખેલો એ પત્ર મને વાંચવા આપ્યો. પ્રવીણભાઈએ મારી ફરિયાદના સંદર્ભે અગ્ર સચિવ મહેસૂલને લખેલ પત્રમાં સ્પષ્ટ જણાવેલ કે, કાયદાની કલમ-30ની જોગવાઈ હેઠળ નવા કરારની જમીન કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ તેવી જોગવાઈ છે. તેમ જ સરકારના પરિપત્ર મુજબ આવી જમીન વેચવા મામલતદાર પણ મંજૂરી આપી શકે તેવો હુકમ પણ થયેલ છે. જેથી મારી સમક્ષ આવેલ આ ફરિયાદમાં નિર્ણય લેવા મને  માર્ગદર્શન આપશો. બસ, આ પત્રે મહેસૂલ ખાતામાં હલચલ મચાવી દીધી.

મામલતદારને સરકારે આપેલ અધિકાર કાયદા વિરુદ્ધનો હતો. એટલે સરકારે તાત્કાલિક મામલતદારને અધિકાર આપતા પરિપત્રને રદ્દ કરવાનો અને કલમ-30 હેઠળ માત્ર કલેકટરને જ અધિકારો આપતી જોગવાઈનો જ અમલ કરવો તેવો હુકમ થયો. 

આમ કાયદાની દૃષ્ટિએ મામલતદારની મંજૂરીથી થયેલ મંડળીના દસ્તાવેજો આપોઆપ  ગેરકાયદેસર બની ગયા. ત્યારબાદ પ્રવીણ ગઢવીની તો અમરેલીથી બદલી થયેલી અને  ઝાલાવાડિયા નવા કલેકટર આવ્યા. એટલે નવા કલેકટર ઝાલાવાડિયાની કોર્ટમાં દોઢ વર્ષ સુધી મારા બધા જ કેસ ચાલ્યા અને આખરે કલેકટર અમરેલીએ કાયદાની કલમ-30 હેઠળ આ મંડળીઓએ કરેલ બધા જ વેચાણ દસ્તાવેજ ગેર કાયદેસર ઠેરવી રદ્દ કરવાનો હુકમ કર્યો. 

આમ જો દિવંગત પ્રવીણ ગઢવીએ માર્ગદર્શન મેળવવાના બહાને મારી ફરિયાદ લઇ અગ્ર સચિવને  પત્ર લખ્યો ન હોત તો આ પરિણામ ન આવત.  સરકારની નજરમાં આવું જોખમ લઈને પણ સરકારને પરિપત્ર રદ્દ કરવાની ફરજ પડે તેવી દિવંગત પ્રવીણ ગઢવીની હિંમત અને કુનેહમાં મને તેમની દલિતો પ્રત્યેની કટીબધ્ધતાનાં દર્શન થયા.  

કદાચ આ જગ્યાએ કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું કામ કરનાર પ્રવીણભાઈ, તમારો દલિત સમાજ પર મોટો ઉપકાર છે. મને માફ કરશો, મારી પાસે આપને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર ઠાલા શબ્દો સિવાય બીજું કંઇ જ નથી. તમારી યાદ મારી મોંઘી મૂડી છે. કદીએ નહિ ભૂલાય પ્રવીણભાઈ ! 

[વાલજીભાઈ પટેલ, એક્ટિવિસ્ટ, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ, 20 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 May 2025 Vipool Kalyani
← સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ! →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved