Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોલો,  ઘાના ઘાના રમવું છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|21 April 2025

હેમન્તકુમાર શાહ

આફ્રિકાનો એક દેશ ઘાના. હાલ તેની વસ્તી આશરે ૩.૪૬ કરોડ. ૧૯૫૭માં તે અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયેલો.

તેના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા ક્વામે એન્ક્રુમા. ૧૯૫૭-૬૬ સુધી તેઓ પ્રમુખ રહેલા. તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા અને પછી તાનાશાહ થઈ ગયેલા. એમને તો પછી દેશ છોડીને ભાગવું પણ પડેલું. 

નવેમ્બર-૧૯૬૩માં ત્યાં એક કેસ ચાલેલો ખાસ અદાલતમાં. તે અદાલત ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી હતી. એ હતા ત્યાંની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા બે એ જ અદાલતના ન્યાયમૂર્તિઓ.

કેસ હતો દેશદ્રોહનો. આરોપીઓ હતા : બે ભૂતપૂર્વ પ્રધાનો, રાજકીય પક્ષના એક મંત્રી અને વિપક્ષના બે નેતાઓ. 

ત્રણ મહિના ચાલેલા આ કેસનો ચુકાદો આવ્યો ૯ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ. ચુકાદામાં વિપક્ષના બે જણાને સજા થઈ અને બાકીના ત્રણને છોડી મૂકવામાં આવ્યા.

આ ચુકાદો દેશના પ્રમુખ ક્વામે એન્ક્રુમાને ગમ્યો નહીં. તેમણે બે જ દિવસમાં મુખ્ય ન્યાયમૂર્તિને હોદ્દા પરથી દૂર કરી દીધા. બીજા એક ન્યાયમૂર્તિએ રાજીનામું આપ્યું. પછી ત્રણ દિવસમાં મુખ્ય ન્યાયમૂર્તિએ પણ રાજીનામું આપી દીધું.

પછી ત્યાંની સંસદે કાયદો બદલી નાખ્યો. નવા કાયદા હેઠળ કેસ ચાલ્યો અને બધા પાંચેય આરોપીઓને મૃત્યુ દંડની સજા થઈ.

આશરે ૩૮ વર્ષ પહેલાં સ્વ. પ્રો. રમેશ ભટ્ટે એક વ્યાખ્યાનમાં એમ કહેલું કે ઘાનાના આ રાષ્ટ્રપ્રમુખે પછી દેશના પાટનગર આકરાના બજારમાંથી નવાં નક્કોર અલીગઢી તાળાં મંગાવેલાં અને જાતે જઈને બધી અદાલતોને તાળાં મારી દીધેલાં એમ કહીને કે “આ અદાલતો કામ કરવા દેતી નથી.”

હવે આ ઘટનાને ભારતના ઉપરાષ્ટ્રપતિએ અને ભા.જ.પ.ના એક સાંસદે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વકફ કાયદામાં સંસદે કરેલા સુધારાના સામે થયેલી અરજીઓ અંગે આપેલા હુકમના સંદર્ભ સાથે કહેલાં વેણ સાથે જુઓ. રીતસર ધમકીની ભાષા લાગે એ! જાણે કે તેઓ બંને કહે છે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિઓને કે, “તમે છો કોણ? અમે ચૂંટાયેલી સરકાર છીએ.”

સત્તાધીશોને બંધારણનું અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરનારી અદાલતો ક્યારે ય ગમતી જ હોતી નથી.

અને હા, ભૂતકાળની એક વાતની યાદ પણ અપાવું. ૨૦૧૪માં મુંબઈની સી.બી.આઈ.ની ખાસ અદાલતના ન્યાયમૂર્તિ હરકિસન લોયા રહસ્યમય સંજોગોમાં નાગપુરમાં મૃત્યુ પામેલા. તેમનો મૃતદેહ લાતુર પાસેના તેમના ગામમાં લઈ જવાયેલ. અને એમ્બ્યુલન્સમાં માત્ર એક ડ્રાઈવર જ હતો. લોયા જે બે ન્યાયમૂર્તિઓ સાથે મુંબઈથી નાગપુર ગયેલા એ પણ એમના મૃતદેહની સાથે નહોતા ગયા! તેમનાં પત્નીને તેમના મૃત્યુના સમાચાર મળવાને બદલે એ સમાચાર પહેલાં તેમના બહેનને મળેલા! 

જજ લોયા દેશના હાલના ગૃહ મંત્રી અમિત શાહ સામેનો ગુજરાતના એક એન્કાઉન્ટરનો કેસ ચલાવી રહ્યા હતા. જો કે, જજ લોયાનું મોત કુદરતી રીતે થયેલું એમ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ચાલેલા કેસમાં ઠરાવાઈ ચૂક્યું છે. 

જજ હરકિસન લોયાના મૃત્યુ બાદ જે ન્યાયમૂર્તિ આવ્યા એમણે અત્યંત ટૂંકા ગાળામાં કેસનો ચુકાદો આપીને અમિત શાહને બાઈજ્જત બરી કરેલા. 

જજ લોયાના રહસ્યમયી મોત વિશે મારા મિત્ર અને મુંબઈના પત્રકાર નિરંજન તકલેએ ‘Who Killed Judge Loya?’ પુસ્તક લખ્યું છે તે વાંચવા જેવું છે. આ રહસ્યમયી મોત વિશે લખ્યા પછી તેઓ લોકશાહી વિશ્વગુરુ ભારતમાં બેકાર થઈ જાય એ સાવ સ્વાભાવિક છે. 

છે ને, ઘાના ઘાના નામની રમત ક્યારનીય શરૂ થઈ ગઈ હોય એવું નથી લાગતું? આપણી અદાલતો ખુલ્લી હોય છતાં તાળાં મારેલા જેવી, તો આશ્ચર્ય નહીં કરવાનું, જય શ્રી રામ બોલીને ભજન કરવાનું. 

તા.૨૧-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

21 April 2025 Vipool Kalyani
← સંસદમાં અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષથી સરખે અંતરે રહે તે જરૂરી છે … 
દેરિદાની વિઘટનશીલ ફિલસૂફી – ૨ →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved