Opinion Magazine
Number of visits: 9462830
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|15 March 2025

હેમન્તકુમાર શાહ

ગુજરાતમાં સમાન નાગરિક ધારો (UCC) માટેની કવાયત શરૂ થઈ છે. કોઈ પણ ધાર્મિક કે જાતિગત સમુદાય સમાન નાગરિક ધારામાંથી બાકાત રહેવા જોઈએ નહીં. એ બધાને સમાન રીતે લાગુ પડવો જોઈએ.

એટલે માગણી એવી થવી જોઈએ કે એ આદિવાસીઓને પણ લાગુ પડવો જ જોઈએ. આદિવાસીઓની પરંપરાઓ જુદી છે માટે એમને એ લાગુ ન પડે એવી દલીલ વાહિયાત છે. એમ તો બધા ધર્મોમાં અને જાતિઓમાં પરંપરાઓ અલગ અલગ જ છે. ચાલુ રાખો એ બધું જ, અને secular કાયદા બનાવવાનું જ બંધ કરી દો ને. હિંદુઓમાં સતીપ્રથા તો એક પરંપરા છે, એ ચાલુ રાખો, એવું કોઈ કહેશો ખરા? 

આદિવાસીઓને UCC લાગુ ન પડવાનો હોય તો પછી એ કાયદો જોઈએ જ નહીં એવી દલીલ પણ ધર્મનિરપેક્ષ કે secular દલીલ નથી. સરકાર આદિવાસીઓને એ કાનૂનમાંથી બાકાત રાખવા માગતી હોય તો તે ખોટી બાબત છે એમ ખોંખારો ખાઈને કેમ ન કહેવાય? શા માટે આદિવાસીઓ વચ્ચે કામ કરતી સંસ્થાઓ એમ ન કહે? વસ્તી ગણતરીમાં આદિવાસીઓ હિન્દુઓ ગણાય છે. તો હિન્દુઓમાં અલગ શ્રેણી આ કાયદા માટે કેવી રીતે હોઈ શકે? 

ગુજરાતની ભા.જ.પ. સરકાર આદિવાસીઓને UCCમાંથી બાકાત રાખવા માગે છે કારણ કે એમાં એમને એકાદ કરોડ આદિવાસીઓ નારાજ થશે અને ચૂંટણીમાં પોતાને મત નહીં આપે એવી બીક લાગે છે. પણ એ ભા.જ.પ. છે, આદિવાસીઓમાં કામ કરતી સંસ્થાઓ કંઈ ભા.જ.પ. નથી. એટલે એમણે તો આદિવાસીઓને શા માટે બાકાત રાખવામાં આવે છે એવો સવાલ ઉઠાવવો જ જોઈએ. 

સરકાર UCC માત્ર મુસ્લિમો માટે લાવી રહી છે અને હિન્દુઓમાંના આદિવાસીઓને બાકાત રાખવા માગે છે એ દલીલમાં પણ ઝાઝું તથ્ય છે. 

પણ secularism શું છે? એ તો એ છે કે કૌટુંબિક બાબતો અંગેના તમામ દીવાની કાયદા કે નિયમો પણ બધાને સમાન રીતે લાગુ પડે. કાયદો કયા પક્ષની સરકાર લાવી રહી છે એ અગત્યનું છે જ નહિ. એ તમામ જોગવાઈઓની બાબતમાં secular કાનૂન છે કે નહીં તે મહત્ત્વનું છે. 

ગુજરાતના સૂચિત કાયદામાં નીચેની બાબતો કોઈ પણ ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા સિવાય સૌ નાગરિકો માટે હોય :

(૧) છોકરા અને છોકરી માટે લગ્નની ઉંમરની બાબતમાં સમાનતા. મુસ્લિમો એમ કહે કે અમે તો ૧૫ વર્ષની વયની છોકરીને પરણાવી શકીએ કારણ કે એ અમારા ફલાણા ગ્રંથમાં માન્ય છે અથવા એ અમારી પરંપરા છે તો એ તદ્દન બોગસ વાત છે. 

(૨) છૂટાછેડાની વ્યવસ્થામાં અને તેના અધિકારની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા. 

(૩) છૂટાછેડાના કિસ્સામાં સ્ત્રીઓને કે પુરુષોને ભરણપોષણ આપવાની બાબતમાં સમાનતા. એમાં પણ અમારા ધર્મગ્રંથમાં આમ કે તેમ કહેવામાં આવ્યું છે કે અમારી પરંપરા આમ કે તેમ છે એવું ન ચાલે. 

(૪) એકપતિત્વ અને એકપત્નીત્વની બાબતમાં બધા માટે સમાન કાયદો, જો એ આદર્શ સમજવામાં આવતી બાબત હોય અને એ કાયદો કરવો જ હોય તો. 

(૫) વ્યક્તિના મૃત્યુ બાદ મિલકતની વારસાઈ બાબતમાં સમાનતા. મિલકત કોને કેટલી મળે તે બાબતમાં સમાનતા.

(૬) બાળકોને દત્તક લેવા અંગેના કાયદામાં સમાનતા.

(૭) કોઈ પણ વ્યક્તિઓને લગ્ન કરીને કે લગ્ન વિના સાથે રહેવાની અને જીવવાની બાબતમાં સ્વતંત્રતા. 

ઉપરોક્ત બાબતોમાં ધાર્મિક કે જાતિગત પરંપરાઓ અથવા સેંકડો કે હજારો વર્ષો પહેલાં લખાયેલાં પુસ્તકોની વાતો મહત્ત્વની નથી જ; આધુનિક વિજ્ઞાન, સમાનતા અને માનવ અધિકારોનાં મૂલ્યો મહત્ત્વનાં છે. એ ધ્યાનમાં રાખીને કાયદો ઘડાય છે કે નહિ તે મહત્ત્વનું છે. 

ધૂળેટી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 March 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—280
ટ્રમ્પને સત્તા વાપરતા આવડે છે, બુદ્ધિ વાપરતા નથી આવડતું. →

Search by

Opinion

  • સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !
  • વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!
  • લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ
  • ગાંધી અને રાષ્ટૃીય સ્વયંસેવક સંઘનો મેળ બેસે તેમ નથી !
  • ચલ મન મુંબઈ નગરી—308 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved