Opinion Magazine
Number of visits: 9450115
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વંચિતોને વહારે આવનાર સનત મહેતા

તુલસીપુરી ગોસ્વામી|Samantar Gujarat - Samantar|6 October 2015

અમદાવાદ જેવા મહાનગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કામ કરતાં- કરતાં ડૉ. નાનકભાઈ ભટ્ટને મળવાનું થયું અને તેમની સાથે મુલાકાત દરમિયાન શ્રમિક વિકાસ સંસ્થાન-વડોદરા દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં વંચિતોની વેદનાને વાચા આપી અને સામાજિક ન્યાય સાથે ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા વિશે જાણી હું પણ આ પ્રકારની કામગીરી કરવા માટે પ્રેરાયો, ત્યારે ડૉ. નાનક ભટ્ટ સંસ્થાના નિયામક તરીકે સેવા આપતા હતા. સૌપ્રથમ વડોદરા સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં તેઓના માધ્યમથી ૧૯૯૪માં મુ. સનત મહેતાસાહેબને રૂબરૂ મળવાનું થયું અને ત્યાર બાદ ત્રણેક માસ સુધી મુખ્ય કાર્યાલયમાં કામગીરી કરવાનો અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાણવાનો અવસર મુ. સનત મહેતાના સાંનિધ્યમાં પ્રાપ્ત થયો. જેને હું મારા જીવનનો અમૂલ્ય સમય અને મોકો ગણું છું. તેઓની પાસેથી સમયબદ્ધતા, કામનો ત્વરિત નિકાલ, લોકોના પ્રશ્નોને સાંભળી યોગ્ય ન્યાય મળે તેવું આયોજન કરવું, વ્યક્તિની ભૂલ હોય તો તરત જ જણાવવું. સતત વાંચન, લેખન અને નવું વિચારવું, જે શીખવા મળે તે જોવા મળ્યું છે. હા, ચોક્કસ કહીશ કે મહેતાસાહેબ ગુસ્સો બહુ કરે પરંતુ થોડા સમય પછી ફરીથી આપણને બોલાવી સાચી સમજ આપે, ઉપરાંત અન્ય નવી વ્યક્તિઓ સાથે પરિચય કરાવે અને આપણું મિત્રવર્તુળ મોટું બનાવડાવે. આમ ત્રણ માસના ટૂંકા ગાળાના સમયમાં ઑફિસના તેઓના સાંનિધ્યમાં કામ કરવામાં ઘણું જાણવા અને શીખવા મળ્યું જે મારા માટે અસ્મરણીય રહેશે.

ત્યાર બાદ આ સંસ્થાના મોટી ધરાઈ, તા. વલભીપુર, જિ. ભાવનગર સેન્ટરમાં ફિલ્ડ કાર્યકર તરીકે ભાલ વિસ્તારનાં ગામોમાં સોનાજીભાઈ પંચાસરાની સાથે રહીને સામાજિક પ્રવૃત્તિ એક વર્ષ કરવાની તક મળી અને પછી તો ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા વાગરા તાલુકામાં ૧૯૯૫થી ૨૦૧૧ સુધી ૧૫ વર્ષ કરતાં પણ વધુ સમય મહેતાસાહેબના સતત માર્ગદર્શન હેઠળ આશ્રમશાળા આઈ.ટી.આઈ., લીગલ સેન્ટર, સંસ્કારકેન્દ્ર, સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જળસ્રાવ વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, આંખોના નેત્રનિદાન કૅમ્પ, ખેડૂત સંમેલન અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મશતાબ્દી-વર્ષ નિમિત્તે વાગરા શૈક્ષણિક સંકુલને પ્રખર ગાંધીવાદી ચુનીકાકા વૈદ્યના અધ્યક્ષપદે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીના મુખ્ય મહેમાનપદે ‘લોકનાયક જયપ્રકાશ નારાયણ સંકુલ’ નામાભિધાન કરવામાં આવ્યું, ત્યારે મુ. સનત મહેતાએ જણાવેલ કે વાગરા મતવિસ્તારની વિધાનસભાની બેઠક પર સૌ પ્રથમ વખત સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં હું પરાજિત થયો છતાં પણ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ અને ૧૯૮૮/૮૯થી ગંધાર તેલક્ષેત્રે વિસ્તાર વિકાસ-કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પાયાના કાર્યકર રમણભાઈ કે. ચૌહાણે તેઓની મહેનત-અથાગ પરિશ્રમ અને લોકો સાથેના બેઠક-પરિચય દ્વારા આઈ.ટી.આઈ., બક્ષી પંચ આશ્રમશાળા તેમ જ યુવકો, બાળકો, મહિલાઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ ચલાવવાની શરૂ કરી. ૧૦૦ કરતાં પણ વધારે કાર્યકરોને સામેલ કરી રોજગારી અને ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડાયા જેમાં મારું યોગદાન પણ મહદ્દઅંશે રહ્યું, પરંતુ દરેક કાર્યક્રમમાં મહેતાસાહેબનું માર્ગદર્શન સતત મળતું રહ્યું અને તેના કારણે પાંચ એકર જમીનમાં સંસ્થાનું સ્વતંત્ર ઇન્ફાસ્ટ્રક્ચર સાથેનું સંકુલ ઊભું કરી શક્યા. હા, આ બધી પ્રવૃત્તિઓ કરવામાં અનેક આર્થિક, સામાજિક, રાજકીય મુશ્કેલીઓ આવી પરંતુ જેના લીડર (સેનાપ્રમુખ) બાહોશ અને અનુભવી હોય, તેને કોઈ આંચ આવતી નથી. આમ, અમો જાતે પણ અને કાર્યકરો પણ તૈયાર થયા. મહેતાસાહેબ કહેતા, આપણું કામ નર્સરી જેવું છે. રોપો તૈયાર કરવાનો, વટવૃક્ષ જાતે બની જશે અને આવા અનેક દાખલા છે કે સંસ્થાના કાર્યકરો આચાર્ય, ઇજનેર રાજકીય કાર્યકર વર્ગ-૧ના અધિકારી સુધી પહોંચ્યા છે અને સાહેબને યાદ કરશે તેમાં મારો પણ સમાવેશ થાય છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, તે ઉક્તિ અનુસાર તા. ૨૦-૮-૧૫ના સાહેબના અવસાનના સમાચાર જાણ્યા ત્યારે ખરેખર અમે એક વડીલની છત્રછાયા ગુમાવી છે, તેવું દુઃખ થયું, પરંતુ દુનિયામાં ખરેખર જરૂર છે, તેવી વ્યક્તિને આકસ્મિક આપણાં વચ્ચેથી આપણને છોડીને જવાના સમાચાર મળે છે ત્યારે ખૂબ જ આંચકો લાગે છે, પરંતુ તેઓનાં અધૂરાં કામો સાથે મળી પૂરાં કરીશું તે મહેતાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે.

‘જલ કી શોભા બૂંદ સે, ઉપવન કી શોભા ફૂલ,
હમારી શોભા આપસે, ઉસે ન જાયે હમ ભૂલ.’

એ-૯, પાવનપુરી વિભાગ-૧, જી.પી. કૉલેજરોડ, ભોલાવ, મુ. ભરૂચ – ૩૯૩ ૦૦૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 16

Loading

6 October 2015 admin
← ૨૦૧૯માં મતદાતાઓ પસંદગી કરે એ પહેલાં વડા પ્રધાને હવે વિકાસ અથવા હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ
આ નેતાઓનાં રહસ્યમય મૃત્યુનું શું? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved