Opinion Magazine
Number of visits: 9448833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ પક્ષને જે રીતે બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બી.જે.પી. માટે ચિંતાનું કારણ

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2024

રમેશ ઓઝા

રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરાની આજકાલ કોઈ કિંમત રહી નથી. આઝાદી પછીના પહેલા બે દાયકામાં ચૂંટણીઢંઢેરાનું મહત્ત્વ હતું. અખબારોમાં દિવસોના દિવસો સુધી ચર્ચા થતી. આવું જ આયોજનપંચના પંચવર્ષીય આયોજનના મુસદ્દાનું હતું. તેના વિષે પણ ગંભીર ચર્ચા થતી હતી. પણ એ દિવસો ગયા. આજકાલ રાજકીય પક્ષો માટે માત્ર અને માત્ર સત્તા કેન્દ્રમાં છે અને ચૂંટણીઢંઢેરા માત્ર એક ઔપચારિકતા છે. ચૂંટણીઢંઢેરામાં ઉલ્લેખ પણ કરવામાં ન આવ્યો હોય એવા મોટા નિર્ણયો સત્તાધારીઓ લે છે.

પણ કાઁગ્રેસ પક્ષનો આ વખતનો ચૂંટણીઢંઢેરો નોંધ લેવી પડે એવો છે. ખુદ વડા પ્રધાને તેની નોંધ લીધી છે અને જેની ગોદી મીડિયાએ ઉપેક્ષા કરી હતી. તેમણે એ ચૂંટણીઢંઢેરાને ચર્ચામાં મૂકી દીધો છે. વડા પ્રધાને કહ્યું હતું કે કાઁગ્રેસના ચૂંટણીઢંઢેરામાં પાનેપાને મુસ્લિમ લીગની છાપ નજરે પડે છે. એ કઈ રીતે એ વિષે તેમણે તેમની આદ્દત મુજબ ફોડ પાડીને કાંઈ કહ્યું નથી. મુસ્લિમ લીગ? ભારતનાં રાજકારણમાં મુસ્લિમ લીગની પ્રાસંગિકતા તો એ દિવસે પૂરી થઈ ગઈ હતી જે દિવસે ભારતનું વિભાજન થયું હતું. એ પછીથી આજ સુધી મુસ્લિમ લીગને લોકસભામાં પાંચ બેઠક નથી મળી. ભારતના મુસલમાનોએ આઝાદી પછી નવા નામે નવા રાજકીય પક્ષો રચ્યા છે, પણ મુસ્લિમ લીગના નામનો ઉપયોગ કરતા નથી. ભારતનું વિભાજન કરનાર મુસ્લિમ લીગના નામથી પણ તેઓ દૂર રહે છે. પણ વડા પ્રધાનને મુસ્લિમ લીગની યાદ આવી. વાત એમ છે કે અપ્રાસંગિક મુસ્લિમ લીગની યાદ વડા પ્રધાને ખાસ હિંદુ કોમવાદીઓને અને ભક્તોને કરાવી છે, જેમને વિચાર અને સત્ય સાથે કાયમી દુ:શ્મની છે. લાલ કપડું બતાવો અને જેમ આખલો ભૂરાંટો થાય એમ મુસ્લિમ અને એમાં પણ મુસ્લિમ લીગ નામ પડતા આ લોકો ધૂણવા લાગશે એની તેમને જાણ છે.

એમાં કોઈ શંકા નથી કે કાઁગ્રેસનો ચૂંટણીઢંઢેરો નોંધ લેવી પડે એવો છે. શબ્દ ચોર્યા વિના સ્પષ્ટ ભાષામાં બી.જે.પી. જે નીતિ અપનાવી રહી છે તેના સામેના છેડાની વાત કરી છે. બહુમતી કોમના માથાભારેપણાની જગ્યાએ દરેકને સમાન ન્યાય આપનારા જવાબદાર રાજ્યની વાત તેમાં કરવામાં આવી છે. ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમ શબ્દ કોઈ જગ્યાએ નથી, પણ લઘુમતી કોમને સમાન અવસર અને ન્યાયની વાત શબ્દ ચોર્ય વિના કરવામાં આવી છે. આ સિવાય વિકાસલક્ષી સમાજને જે પ્રશ્નો સ્પર્શતા હોય તેની વાત કરવામાં આવી છે. એટલે ચૂંટણીઢંઢેરાનું નામ પણ ન્યાયપત્ર આપવામાં આવ્યું છે. ખેતપેદાશ માટે ટેકાના ભાવ કાયદો ઘડીને કાયદાકીય રીતે આપવામાં આવશે, શાસકોની મરજી મુજબ નહીં. યુવાઓને કેન્દ્ર સરકારમાં સીધી અથવા કેન્દ્ર સરકારની મદદથી ચાલતી યોજનાઓમાં ૩૦ લાખ નવી નોકરીઓ આપવામાં આવશે. ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાં કોર્સ કર્યો હોય એવા યુવાઓને એક વરસની તાલિમ એપ્રેન્ટિસશીપ માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય મહિલાઓને વધારે રોજગારી અને વધુ વેતન મળે એનું વચન આપવામાં આવ્યું છે.

સૌથી મહત્ત્વપૂર્ણ વચન સરકારી વહીવટી સંસ્થાઓના કરવામાં આવતા રાજકીય દુરુપયોગ વિશેનું છે. આ બધી સંસ્થાઓ કોઈ પણ પ્રકારના રાજકીય પ્રભાવ કે દબાવ વિના કામ કરી શકે એવી જોગવાઈ કરવામાં આવશે. સારી વાત છે. આવી માગણી સરકારી અને બિન સરકારી અભ્યાસોમાં, તપાસપંચોએ તેના અહેવાલોમાં અને નાગરિક સમાજે અનેકવાર કરી છે, દાયકાઓથી કરવામાં આવી રહી છે, પણ તેને કાને ધરવામાં આવી નહોતી. આ એ જ કાઁગ્રેસ છે જેના નેતાઓના બહેરા કાને આ વાત નહોતી પહોંચતી. જો વહીવટીતંત્ર રાજકીય દખલગીરીથી મુક્ત સ્વતંત્ર હોત તો દેશમાં આજે જે બની રહ્યું છે એ ન બનતું હોત. કાઁગ્રેસ આજે તેની સૌથી વધુ કિંમત ચૂકવી રહી છે. આ વાત રાંડ્યા પછીના ડહાપણ જેવી છે, પણ તેમાં ડહાપણ છે એટેલ તેનું સ્વાગત કરવું જોઈએ. જો પહેલાં ડહાપણ બતાવ્યું હોત તો રંડાપો ન આવત.

દરેક ચીજની કિંમત ચૂકવવી પડતી હોય છે. અત્યારે જે ચાલી રહ્યું છે એની કિંમત પણ એ કરનારાઓએ ચૂકવવી પડશે જે રીતે કાઁગ્રેસ ચૂકવે છે. ગોધરાકાંડ પછી વડા પ્રધાને પોતે જ ત્યારે કહ્યું હતું કે એક્શન રીએક્શન પેદા કર્યા વિના નથી રહેતું. આજે કાઁગ્રેસ ચૂકવી રહી છે, કાલે આજનાં શાસકો ચૂકવશે. જો બંધારણમાં કલ્પેલું ભારત તેનાં આત્મા સાથે અસ્તિત્વમાં આવે તો ખેર નથી એ વડા પ્રધાન જાણે છે, એટલે વડા પ્રધાને મુસ્લિમ લીગનો ડર બતાવ્યો છે. આ બાજુ કાઁગ્રેસે દેશને એ દિશામાં લઈ જવાનું વિગતો સાથે વચન આપ્યું છે. બીજી અને તેનાથી પણ મોટી વાત. રાહુલ ગાંધી ચૂંટણીકીય હારજીતને પ્રાથમિકતા આપ્યા વિના, તેનાથી પ્રભાવિત થયા વિના, કુપ્રચાર અને બદનામીથી તૂટ્યા વિના જે રીતે પ્રજા સાથે, ખાસ કરીને યુવાઓ તેમ જ સ્ત્રીઓ સાથે સંપર્ક વધારી રહ્યા છે અને પક્ષ છોડીને જવા માગતા નેતાઓને જવા દઈને અથવા તેમના ચાલ્યા જવા છતાં જે રીતે પક્ષને ફરી બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે એ બી.જે.પી. માટે ચિંતાનું કારણ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2024

Loading

11 April 2024 Vipool Kalyani
← કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ – શશી થરુરનું પુસ્તક : ‘Ambedkar : A Life’
જામીન નિયમ અને જેલ અપવાદ હોય તો અમલ કેમ થતો નથી  ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved