Opinion Magazine
Number of visits: 9450084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય પરિષદમાં ક્રિયાકાંડ થાય તે જ્ઞાની કવિ અખાનું / ગાંધીજીનું અપમાન છે !

રમેશ સવાણી|Opinion - Opinion|6 December 2023

રમેશ સવાણી

પ્રસિદ્ધ મરાઠી કવિ યશવંત મનોહરે, સાહિત્યના એક કાર્યક્રમમાં સરસ્વતીની પૂજા કરવામાં આવેલ તે કારણે સાહિત્ય સન્માન સ્વીકારવાનો જાન્યુઆરી 2021માં ઈન્કાર કર્યો હતો ! તે વિદર્ભ સાહિત્ય સંઘ દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તેમણે કહ્યું હતું કે “દેવીનું ચિત્ર શોષણનું પ્રતીક હતું જે શિક્ષણ અને જ્ઞાન મેળવવા મહિલાઓને તથા શૂદ્રોને રોકતું હતું. હું સાહિત્યના કાર્યક્રમોમાં ધર્મની તરફેણમાં નથી ! એક પુરસ્કાર માટે હું મારા આજીવન વિચારો, મારું લેખન અને મારાં મૂલ્યોને એક બાજુ મૂકી શકું નહીં. એટલે મારે વિનમ્રતાથી અસ્વીકાર કરવો પડ્યો ! મહિલાઓની કેળવણી માટે સાવિત્રીબાઈ ફૂલે અને બીજાં લોકોનું યોગદાન છે, પરંતુ સરસ્વતી દેવીનું આ બાબતે યોગદાન અંગે જણાવો. જો કોઈ મને તર્કથી સંતોષ આપી શકે તો હું મારા આ પગલાં બાબતે વિચારું. દરેક લેખક / કવિ / કલાકાર / રાજનેતા અને મહારાષ્ટ્ર સરકારને અનુરોધ કરીશ કે આવી સાહિત્યિક કે સાર્વજનિક કાર્યક્રમમાં દેવી સરસ્વતીની જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલેની તસ્વીર અને બંધારણની પ્રત રાખવાનું વિચારે !”

મહારાષ્ટ્રના કવિમાં આ ચેતના છે. સાહિત્યના કાર્યક્રમમાં ધર્મને / તેના કર્મકાંડને દૂર રાખવા માટે તે બોલી શકે છે. ગુજરાતમાં સ્થિતિ જુદી છે. જ્ઞાની કવિ અખાનું અપમાન થાય તેવું વર્તન ગુજરાતી સાહિત્યકારોનું હોય છે. તેમની આંગળીઓમાં નંગની વીંટીઓ અને કાંડે લાલ-પીળા દોરા બાંધેલા હોય છે ! લાભ પાંચમે, 18 નવેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદમાં કર્મકાંડ / પૂજાપાઠ યોજાઈ હતી ! 

પરંતુ યશવંત મનોહરની જેમ ગુજરાતી લેખક મંડળે હિમ્મત દાખવી છે ! ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાની / ઉપપ્રમુખ પ્રતિભા ઠક્કર / મંત્રી મનહર ઓઝાએ, 5 ડિસેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ / મહામંત્રી તથા અન્ય હોદ્દેદારોને પત્ર લખ્યો છે : “આપ સહુ જાણો છો કે ગુજરાતી લેખક મંડળ લેખકોના હિત, હક અને ગૌરવ માટે કાર્યરત સંસ્થા છે. ગુજરાતી લેખક મંડળ સાહિત્ય પરિષદનું સંસ્થાકીય સભ્યપદ ધરાવે છે અને સંસ્થાના મોટાભાગના સભ્યો પરિષદનું આજીવન સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં પરિષદ ખાતે હોદ્દેદારોની હાજરીમાં પૂજાપાઠ અને ક્રિયાકાંડનો જે કાર્યક્રમ થયો તેથી દુઃખદ આશ્ચર્યથી આ પત્ર લખીએ છીએ.”

“કોઈપણ જાહેર સંસ્થા જે લોકશાહી ઢબે ચાલતી હોય, ખાસ કરીને ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલી હોય ત્યાં લોકશાહીનાં પાયાનાં મૂલ્યો જેવાં કે સમાનતા / બંધુતા / બિનસાંપ્રદાયિકતા અગત્યની ભૂમિકા ભજવે છે અને તેમાં પણ આપણાં જેવાં વૈવિધ્યપૂર્ણ ભાષા, ધર્મ અને રીતરિવાજોથી સમૃદ્ધ દેશમાં કોઈ પણ પ્રકારનું એકાંગીપણું, ખાસ કરીને ધર્મને લઈ દર્શાવાય તે સમાજ માટે ઘાતક નીવડે એવું આપણે સહુ કોઈ જાણીએ છીએ. અને એમાં ય આપણે સહુ લેખકો-સર્જકો હોઈએ અને સમાજ સાથે કંઇક નિસ્બત છે એમ માનતા હોઈએ ત્યારે, કોઈ એક ધર્મના ક્રિયાકર્મો સંસ્થામાં થાય તે હરગીઝ ચલાવી ન લેવાય. આ પગલું સમાજના વૈવિધ્યપૂર્ણ વારસામાંથી આવતા આપણા લેખકો-સર્જકોના ગૌરવભંગ સમાન છે. જેને અમે ગુજરાતી લેખક મંડળ તરીકે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.”

“અમને એવું લાગે છે કે એક વાર આવી ગૌરવભંગ સમાન ઘટનાઓ બને તે માટે જવાબદાર નિર્ણય કરનારાઓની જાણ સંસ્થાના સહુ આજીવન સભ્યોને થાય તે જોવાની ફરજ પણ સંસ્થાના હોદ્દેદારોની બને છે.”

“આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ચોક્કસ નીતિ-નિયમો, પરિષદ ઘડે અને તેની જાણકારી ઠરાવ રૂપે તેના મુખપત્ર ‘પરબ’માં પ્રગટ કરે અને સાથે સાથે આગામી ભોપાલ ખાતે યોજાનારા અધિવેશનમાં તે રજૂ થાય એવી અપેક્ષા અમે રાખીએ છીએ.”

“આ આગાઉ મોટાપાયે ગેરકાયદેસર વૃક્ષછેદન પરિષદના પરિસરમાં થયું હતું ત્યારે, કેટલાંક લેખકોના વ્યક્તિગત ઊહાપોહ થયા પછી જ તે અંગે તપાસ સમિતિની રચના થઈ હતી અને દોષિતોને ચૂપચાપ ‘વિનયપૂર્વક’ પરિષદના હોદ્દા પરથી રુખસદ અપાઈ હતી. કાયદાકીય રીતે વૃક્ષછેદન તે ગુનો બને છે અને છતાં ય પૂરવાર થયેલા દોષિતોને ‘સવિનય’ સજા વિના છોડી દેવાયા હતા તે પણ યોગ્ય ન જ હતું. પણ આ ઘટના તો વૃક્ષછેદન કરતાંયે વધુ ગંભીર છે. આ તો પરિષદનાં મૂળિયાં જ નેસ્તનાબૂદ કરવા તરફની પહેલ છે.”

“ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા એનું ગૌરવગાન આપણે સહુ કાયમ કરતાં રહ્યાં છીએ. આ દુર્ઘટનાને લઈ ગાંધીજીને ખાસ એ માટે યાદ કરવા રહ્યા કે, તેઓ જાહેર જીવનમાં આવ્યા બાદ પોતે હિન્દુ છે તેનું ગૌરવ અનેક વાર વ્યક્ત કરતાં હતા, છતાં ક્રિયાકાંડની વાત તો બાજુએ રહી, પણ કોઈ મંદિરના પગથિયાં પણ ચઢ્યા ન હતા, તેની નોંધ આપણે આ ક્ષણે લેવી રહી.”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

6 December 2023 Vipool Kalyani
← નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો ગુજરાતીમાં.
કૉઁગ્રેસે સત્તા-માનસિકતા છાંડવી જોઈશે ભા.જ.પે. વ્યાપક માનસિકતા કેળવવી રહેશે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved