Opinion Magazine
Number of visits: 9732688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતે પોતાની ભૂમિકા બદલી છે, ટિપીકલ ખુમારી વિના

રમેશ ઓઝા|Opinion - Opinion|9 November 2023

રમેશ ઓઝા

મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા, પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર, પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે ગયા સોમવારે વકતવ્ય રાખવામાં આવ્યું હતું. અચાનક આઇ.આઇ.ટી.ના સંચાલકોએ ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે વકતવ્ય સોમવારની જગ્યાએ મંગળવારે યોજાશે અને એ પછી બીજા દિવસે જાણ કરવામાં આવી કે વકતવ્ય રદ્દ કરવામાં આવ્યું છે. સંચાલકોએ એમ ધાર્યું હશે કે વકતવ્યની તારીખ છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવે તો શ્રોતાઓની સંખ્યા ઘટી જશે અને કદાચ એવું પણ બને કે વક્તા મંગળવારે અન્યત્ર રોકાયેલા હોય તો તેઓ જ મંગળવારે ઉપસ્થિત ન રહે. પણ તેમના કમનસીબે એવું બન્યું નહીં. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો પ્રા. વનાયકને સાંભળવા આતુર હતા અને વનાયક એક દિવસ વધુ મુંબઈ રોકાવા તૈયાર હતા. છેવટે સંચાલકોએ સમૂળગું વકતવ્ય જ રદ્દ કરી નાખ્યું.

અચીન વનાયક

આ લોકો શું આટલા બધા ડરપોક છે? વાત તો ચોવીસે કલાક મર્દાનગીની કરે છે અને એક વિદ્વાનના અવાજથી ડરે છે? એવો વિદ્વાન જેને ગણ્યાગાંઠ્યા વિદ્વદજનો સિવાય આમ જનતા ઓળખતી પણ નથી. આ લખનાર જેવા અનેક લોકોએ તેમની (હિન્દુત્વવાદીઓની) કાલીઘેલી વાતો આખી જિંદગી સાંભળી છે, ધીરજપૂર્વક સહન કરી છે, પાથીએ પાથીએ તેલ રેડીને બુદ્ધિ જગાડવાની નિરર્થક કોશિશ કરી છે, પણ કયારે ય તેમના અવાજને રુંધવનો પ્રયાસ નથી કર્યો. ક્યારે ય માગણી નથી કરી કે તેમને બોલતા અટકાવવામાં આવે. વીસ વરસ પહેલાં નથુરામ ગોડસેની આરતી ઉતારતું નાટક મરાઠી ભાષામાં ભજવાતું હતું અને કેટલાક લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાતા હતા ત્યારે આ લખનારે પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તેમને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે. તેમણે માત્ર એટલું કબૂલ કરવું જોઇએ કે ગાંધીજીને પણ પોતાની વાત કહેવાનો અને કૃતિ કરાવાનો અધિકાર હતો જે નથુરામે તેમની હત્યા કરીને કાયમ માટે છીનવી લીધો હતો.

જી હા, એ લોકો ડરે છે. સત્તા તેમ જ પ્રચંડ લોપ્રિયતા કે લોકસમર્થન છતાં ય વિચારની આ જે તાકાત છે એનાથી તેઓ ડરે છે. મધ્યકાલીન કૅથલિક ચર્ચ આનું ઉદાહરણ છે. બીજાની ક્યાં વાત કરીએ, રાજાઓ ચર્ચથી ડરતા હતા. પ્રજા અને રાજ્યો (રાજ્ય નહીં રાજ્યો, અનેક દેશો) તેની મુઠ્ઠીમાં હતાં. પણ ચર્ચને પણ ગેલેલિયો જેવા શંકા કરાનારાઓથી, પ્રશ્ન કરનારાઓથી, વિચારનારાઓથી ડર લાગતો હતો. સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા નથી કરતો, પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી ગોળ છે એમ જ્યારે ગેલેલિયોએ કહ્યું ત્યારે ગેલેલિયોને ભોજોભાઈ પણ નહોતો ઓળખાતો. આમ છતાં ચર્ચે ગેલેલિયોને મૃત્યુદંડ આપ્યો હતો અને ડરાવીને માફી મંગાવી હતી. ગેલેલિયોએ ત્યારે જીવ બચાવવા એક વાર માફી તો માગી લીધી, પણ ચર્ચ સદીઓથી માફી માંગે છે.

ડરવા માટે તેમની પાસે કારણ છે. સત્તા અને ટોળાંના જોરે તેઓ તેમનો ડર છૂપાવવાની ચેષ્ટા કરે છે, પણ ડર દૂર કરી શકતા નથી. લોકોની આંખ ઉઘાડનારા અવાજો લોકો સુધી ન પહોંચે એ સારુ તેઓ નિરર્થક વિષયો પર ઘોંઘાટ કરીને એ અવાજોને દબાવવાનો પ્રયાસ કરે છે. પણ સમસ્યા એ છે કે તેમને ન ગમતા અવાજો લોકો સુધી પહોંચે જ છે. એટ લીસ્ટ એ લોકો સુધી તો પહોંચે જ છે જે સત્ય જાણવા માગે છે, જેમનામાં બુદ્ધિ છે, જે પૂર્વગ્રહપીડિત નથી અને જેઓ બીજાના દોરવાયા દોરવું એને પોતાનું અપમાન સમજે છે. એવા લોકો ગમે તે માર્ગે સત્ય સુધી પહોંચી જ જાય છે. માટે તો મૂંડક ઉપનિષદમાં કહેવાયું કે સત્યનો જ જય થાય છે અને અસત્યનો વિજય ક્યારે ય નથી થતો. અસત્યનો તાત્કાલિક વિજય થતો નજરે પડે તો એનો અર્થ એ નથી કે તે અંતિમ વિજેતા છે. જો પ્રાચીન યુગમાં સત્ય ભલે મોડેથી પણ આખરે લોકો સુધી પહોંચતું હતું તો આજના પ્રત્યાયન યુગમાં તો એ વધારે આસાનીથી પહોંચી શકે.

શું પ્રા. અચીન વનાયક ઇઝરાયેલની ટીકા કરત એ ડરથી તેમનું વક્તવ્ય રદ્દ કરવામાં આવ્યું? સતાવાળાઓએ કારણ તો બતાવ્યું નથી, પણ કારણ સાચું કારણ છે ઇઝરાયેલ હમાસ યુદ્ધ વિશેની ભારતની ભૂમિકા. દાયકાઓથી ભારત પેલેસ્ટાઇનની રાષ્ટ્રીયતાનો સ્વીકાર કરતું આવ્યું છે. જો ઇઝરાયેલ ૧૯૪૮ પછીની એક હકીકત છે તો પેલેસ્ટાઇન એનાં પહેલાંની સદીઓ જૂની હકીકત છે. ઈઝરાયેલે પેલેસ્ટાઇનનો સ્વીકાર કરવો જોઈએ અને સહઅસ્તિત્વ માટે અનુકૂળ થવું જોઈએ. પણ ભારતે અત્યારે પોતાની ભૂમિકા બદલી છે. એ પણ ટિપીકલ ખૂમારી વિના. ઈઝરાયેલની સાથે છે, પણ યુનોમાં ગેરહાજર રહી ઈઝરાયેલની તરફેણમાં મત આપવાનું ટાળે છે. યોગ્ય રીતે જ હમાસના હુમલાની વિરુદ્ધ છે, પણ પેલેસ્ટાઇન વિષે સ્પષ્ટ ભૂમિકા લેવાનું ટાળે છે. પાછું આરબ દેશો નારાજ થશે એનો ડર પણ લાગે છે. સચિન વનાયક આની આલોચના કરત એ વાતનો આઇ.આઇ.ટી.ના સંચાલકોને ડર હતો.

આને લોકતંત્ર કહેવાય?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 નવેમ્બર 2023

Loading

9 November 2023 Vipool Kalyani
← નવરસછંદો
માની ગ્યા મેક્સી, The Very Big Show મેક્સી! →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved