Opinion Magazine
Number of visits: 9448255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેલી સરકાર : પ્રજાએ પ્રગટ કરેલી ઈચ્છાની વિરુદ્ધનું શાસન

રમેશ ઓઝા|Opinion - Opinion|14 May 2023

રમેશ ઓઝા

મતદાતાઓએ સ્પષ્ટ બહુમતી આપીને કોઈ પક્ષને રાજ્યમાં સરકાર રચવાનો આદેશ આપ્યો હોય એવી સરકારને હકની સરકાર કહી શકાય. એવી સરકાર જે ચોખ્ખી હોય. કેટલીકવાર મતદાતાઓ કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નથી આપતા, પણ ત્યારે જો ચૂંટણી પૂર્વે રચાયેલો મોરચો બહુમતી ધરાવતો હોય તો એવી સરકારને પણ હકની તેમ જ ચોખ્ખી સરકાર કહી શકાય. જો કોઈ પક્ષને અથવા મોરચાને જનતાએ સ્પષ્ટ બહુમતી ન આપી હોય, અથવા ચૂંટણી પૂર્વે મોરચા રચાયા જ ન હોય, તો એવા સંજોગોમાં ચૂંટણી પછી ગઠબંધન રચાતાં હોય છે. આવી ગઠબંધનની સરકાર રચવાની પ્રક્રિયા કેટલી પારદર્શક છે એના પરથી કહી શકાય કે સરકાર હકની, ચોખ્ખી છે કે નહીં. એવી સરકાર કદાચ માત્ર ટેકનિકલી બંધારણીય હોય શકે છે, નૈતિક નહીં હોય.

અને પૈસાના જોરે અન્ય પક્ષોની હકની સરકાર તોડીને, વિરોધી પક્ષમાં વિભાજન કરાવીને, વિધાનસભ્યોને ડરાવીને કે ખરીદીને, ગવર્નર અને સ્પીકરની ઓફિસનો દુરુપયોગ કરીને, ચૂંટણીપંચનું મોઢું દબાવીને, ન્યાયતંત્રમાં કેસ મહિનાઓ સુધી રખડાવીને અને મીડિયાને ખરીદીને જે સરકાર રચાય એને હકની સરકાર ન કહેવાય. ચોખ્ખીનો તો સવાલ જ નથી. એને મેલું અને હરામનું શાસન કહી શકાય. પ્રજાએ પ્રગટ કરેલી ઈચ્છાની વિરુદ્ધનું શાસન. પ્રજાને અમાન્ય શાસન. તમે આ વાત સાથે સંમંત છો? પવિત્ર હિંદુઓ જો કોઈના હરામના રૂપિયાને ગાયમાટી સમાન ગણતા હોય તો આવું શાસન ગાયમાટી સમાન ગણાવું જોઈએ કે નહીં? પણ થોભો.

ભારતમાં ૩૧ રાજ્યો છે. આ ૩૧ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષને માત્ર ત્રણ જ રાજ્યોમાં મતદાતાઓએ ચોખ્ખી બહુમતી આપી હતી અને માટે આ ત્રણ રાજ્યોની સરકારો જેને અણીશુદ્ધ ચોખ્ખી કહી શકાય એવી છે. એ ત્રણ રાજ્ય છે; ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. કર્ણાટકનાં પરિણામ શનિવારે આવી જશે. નવ રાજ્ય એવાં છે જ્યાં બી.જે.પી.ની ભાગીદારીમાં સરકાર છે અથવા સરકારમાં બી.જે.પી. ભાગીદાર છે. એ રાજ્યોમાં હરિયાણા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, પુદ્દુચેરી, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આસામમાં બી.જે.પી.ને ૧૨૬ બેઠકોમાંથી બરાબર અડધી ૬૩ બેઠકો મળી હતી અને સ્પષ્ટ બહુમતીથી માત્ર એક બેઠક દૂર હતી. બાકીનાં રાજ્યોમાં બી.જે.પી.ને બહુમતી મળી નહોતી. કેટલાંક રાજ્યોમાં ચૂંટણીપૂર્વે મોરચા રચાયા હતા અને કેટલાકમાં પાછળથી.

એ પછી આવે છે ગોવા, અત્યાર સુધી કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જ્યાં બી.જે.પી.નો પરાજય થયો હતો. બી.જે.પી.એ પ્રતિપક્ષોના વિધાનસભ્યોને ખરીદીને, ડરાવીને અને વિભાજન કરાવીને શાસન છીનવી લીધું હતું. જેમનું હકનું શાસન હતું તેમની પાસેથી શાસન છીનવી લેવા માટે ગવર્નર અને સ્પીકરની ઓફિસનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણીપંચનું મોઢું દબાવવામાં આવ્યું હતું અને ન્યાયતંત્રમાં કેસ મહિનાઓ સુધી રખડાવવામાં આવ્યા હતા. મીડિયા તો બીકાઉ છે જ. આવી સરકારને હકની સરકાર ન કહેવાય. રાજસ્થાનમાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં તેને સફળતા નહોતી મળી. તો કહેવાનું તાત્પર્ય એ કે બી.જે.પી. દેશનાં ૩૧ રાજ્યોમાંથી માત્ર ત્રણ જ રાજ્યોમાં ચોખ્ખી અને લોકમાન્ય સરકાર ધરાવે છે. ચાર રાજ્યોમાં મેલી સરકાર ધરાવે છે (જેમાંથી હવે કર્ણાટકમાં નવી ચૂંટણી થઈ.) અને બાકીનાં, મુખ્યત્વે ઇશાન ભારતનાં, રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ મહત્ત્વ નહીં ધરાવતા નાનાં રાજ્યોમાં ભાગીદારીવાળી સરકાર ધરાવે છે.

મેલી સરકાર મેલી કઈ રીતે છે એની વિગતો સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં બતાવી દીધું છે. અદાલતે કહ્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલે આગલી સરકારને તોડવામાં સક્રિયતા બતાવી હતી અને બંધારણની મર્યાદાનો લોપ કર્યો હતો. એવું જ સ્પીકરનું અને સ્પીકર તેમ જ રાજ્યપાલ એક ઇશારે કામ કરતા હતા. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે જો મહારાષ્ટ્રના એ સમયના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સામે ચાલીને રાજીનામું ન આપ્યું હોત તો તેમને ફરી સત્તાના આસને બેસાડીને ન્યાય આપી શકાયો હોત, પણ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા સુધી રાહ જોવાની જગ્યાએ તેમણે સામેથી રાજીનામું આપી દીધું એટલે ટેકનિકલી તેમને ફરી સત્તાસને ન બેસાડી શકાય. શરદ પવારે પણ હમણાં જ પ્રકાશિત થયેલી તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિમાં કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળે રાજીનામું આપવાની ભૂલ કરી હતી.

હવે કહો કે જ્યારે સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓ સર્વાનુમતે આને મેલી પ્રવૃત્તિ તરીકે ઓળખાવે એ પછી કાંઈ કહેવાનું રહે છે? ભારતીય જનતા પક્ષ દેશનાં માત્ર ત્રણ જ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથેની ચોખ્ખી સરકાર ધરાવતી હોય એને હિન્દુત્વનો દિગ્વિજય કહેવાય? આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં કર્ણાટકનાં પરિણામ આવી ગયાં હશે. વિવેક મર્યાદા છોડીને યેનકેન પ્રકારેણ સત્તા મેળવવા માટે જે ઉધામા અને ધમપછાડા કરવામાં આવે છે એની પાછળનું કારણ આ છે. દેશનાં માત્ર ત્રણ રાજ્યોમાં લોકમાન્યતા મળી છે. લોકસભાની અને કેન્દ્ર સરકારની વાત આપણે અહીં નથી કરતા. 

અહી બે સવાલ સર્વોચ્ચ અદાલતના મહારાષ્ટ્ર વિશેના ચુકાદા વિષે પણ ઉપસ્થિત થાય છે. આટલી મહત્ત્વની બાબતે ચુકાદો આપવામાં દસ મહિના કેમ લાગ્યા? અર્ણવ ગોસ્વાનીને જેલમાંથી છોડાવવા માટે અદાલત પાસે સમય હોય અને મહારાષ્ટ્રના નાગરિકોની લોકતાંત્રિક મનીષાને કોઈ અભડાવે અને માથે મેલું શાસન થોપે એની સામેની રાવ સાંભળવામાં દસ મહિના લાગે? બીજું જે બની ગયું (રાજ્યપાલના નિર્ણયો અને ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું) તેને સુધારી ન શકાય એ વાત માની, પણ બીકાઉ વિધાનસભ્યોનું સભ્યપદ તો રદ્દ થઈ શકતું હતું. સર્વોચ્ચ અદાલત મહારાષ્ટ્રના વર્તમાન શાસનને મેલું જાહેર કરે છે અને મેલા શાસનને જીવતદાન પણ આપે છે.

અયોધ્યાનો ચુકાદો યાદ છે? રામમંદિર તોડીને બાબરે કે તેના કોઈ સૈનિકે તે જગ્યાએ મસ્જીદ બંધાવી હોવાના કોઈ પૂરાવા નથી, પણ એ મસ્જીદની જગ્યાએ હવે મંદિર બનશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 મે 2023

Loading

14 May 2023 Vipool Kalyani
← મમ્મી, તું યાદ આવે છે
પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસઃ કમનસીબી, સૈન્યની દાદાગીરી, હારબંધ વડા પ્રધાનો અને અંધાધૂંધી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved