Opinion Magazine
Number of visits: 9449457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરાંભીનાં સ્મરણો (૪)

સુમન શાહ|Opinion - Opinion|30 July 2022

મને બે જ રમત આવડે છે : ટેબલ ટેનિસ અને ચેસ. ટેબલ ટેનિસ તો વરસોથી છૂટી ગઈ છે. ચેસ અમે પતિપત્ની બહુ રમતાં. કૉલેજ જવાનો સમય થઈ જાય તો પણ છોડી ન્હૉતાં શકતાં. ચેસ પુત્રોને શીખવી. સાહિત્યકાર-મિત્રો ઘરે આવતા, દરેકને દીકરા પૂછે – મારી જોડે ચેસ રમવી છે, અન્કલ? અન્કલ હા તો પાડે પણ ઉપરાછાપરી બેત્રણ વાર હારીને જાય. હવે હું કોઇ કોઇ વાર પૌત્રો અને પૌત્રી જોડે ચેસ રમું છું, પણ હમેશાં હારું છું. જીતું ત્યારે પૌત્રી એમ કહે છે કે – આઇ ગેવ અવે ફોર યુ દાદા. મારે હસવું પડે છે. તેમછતાં, ચેસ મને ગમે છે, એટલા માટે કે એ બુદ્ધિની રમત છે, મગજ કસવું પડે. જ્યારે, પાનાંની રમતમાં નસીબ વધારે કામ કરે છે, કેમ કે પાનાં તમારે પસંદ કરવાનાં નથી હોતાં, તમારે ભાગે જે આવ્યાં હોય એ …

હું દસેક વર્ષનો હોઈશ. અમારી ખડકીની બાજુની ખડકી ત્રિકમજીની ખડકી, છેડે ત્રિકમજી ભગવાનનું મન્દિર. મોટા ભાગનાં ઘર બંધ હોય, એ લોકો ગામડે રહેતાં હોય, લગનસરામાં જ આવે. તે દિવસે બપોરનો સમય હતો. ચોપાસ શાન્તિ હતી. એક ઘરના ઓટલે ભૈબંધો જોડે હું પાનાં રમવા લાગેલો, રમવા શું, રમતાં શીખી રહ્યો’તો. પાછળથી આવીને પિતાજીએ એવી થપ્પડ મારેલી, જેને માત્ર ‘જોરદાર’ જ કહી શકાય. યાદ કરું તો એનો અવાજ પણ સંભળાય છે. એ દિવસ પછી હું પાનાં કદી રમ્યો નથી.

ગણિતજ્ઞ અને ઇજનેર ક્લૉડ શૅનને ૧૯૫૦માં કહેલું કે કમ્પ્યૂટરને પણ ‘પ્રોગ્રામ્ડ્’ કરીને ચેસ રમતાં કરી શકાય. આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કામ કરતા કમ્પ્યૂટર વિજ્ઞાનીઓએ રચેલા પ્રોગ્રામ્સની ભૂમિકાએ ચેસ વિશે સંશોધનો થયાં ને ધાર્યાં પરિણામ પણ મળ્યાં. કહેવાય છે કે મનુષ્ય કરતાં અનેકાનેક ગણા ચાતુર્યથી કમ્પ્યૂટર ચેસ રમી શકે છે. હવે જો કમ્પ્યૂટર ચેસ રમી શકે તો આજે દુનિયાભરમાં રમાતી વિડીઓ ગેમ્સ કેમ નહીં? મારા ત્રણેય પૌત્રો ભણેગણે પછી કલાકો લગી વિડીઓ ગેમ્સ રમે છે. એ ઇન્ટરઍક્ટિવ છે, ‘કમ્પ્યૂટર સરક્રિટ્રી’-થી ચાલે છે. ૧૫ વર્ષનું ‘યૂટ્યુબ’ ૨૦૨૨માં ૮૦૦ મિલિયનથી પણ વધુ વિડીઓઝનું યજમાન બન્યું છે. મને કુતૂહલ ઘણું છે કે વિડીઓ ગેમ જાણું અને રમું. ક્યારે શક્ય બનશે? નથી ખબર.

 

પણ શક્ય બની ને પછી અશક્ય થઇ પડી એ રમતોની વાત કરું. ક્રિકેટને ‘બૉલબૅટ’ કહેતા હતા. ભીંતે કૉલસાથી ત્રણ સ્ટમ્પ દોરવાના. બૅટ, જેવું પણ હોય, ચાલે. બૉલ, ગાભાનો બનાવેલો હોય. ગાભાના બૉલથી કોઇ કોઇ વાર રમેલો, પછી નહીં, કેમ કે, પછી તો રબરના હાર્ડ બૉલ ને બૂચ બૉલ આવવા લાગેલા અને એ પછી, ક્રિકેટના રીયલ બૉલ. આંખ ફૂટી જવાની બીક બતાવાયેલી એટલે એ રમત પણ છોડી દીધી.

ક્રિકેટ વિશે ઉદાસીન થઈ ગયો છું. લોકોની જેમ મૅચ જોવાની મજા નથી લઈ શકતો. એટલી બધી ફુરસદ ક્યાંથી લાવવી? મનમાં એક જ સ્પષ્ટતા સ્થિર થઈ છે – ક્યારેક ને ક્યારેક ચૉગ્ગો કે છગ્ગો વાગે જ છે, ક્યારેક ને ક્યારેક ખેલાડી ક્લીન બોલ્ડ કે કૅચઆઉટ થાય જ છે. ત્યાં લગી બધા કસરત કરે છે, જેને ફિલ્ડિન્ગ કહેવાય છે, જોનારા પણ ભલે બેઠા બેઠા, ફિલ્ડિન્ગ જ ભરતા હોય છે …

હુતુતુ રમતાં એક વાર ઘૂંટણ છોલાઈ ગયેલો, એટલે, એ રમત પણ છોડી દીધી. મને ખોખો લંગડી ગિલ્લી-દણ્ડા અને સતોડિયું ફાવે. એમાં વૅકેશનોના કેટલાક દિવસ વાપરી શકતો’તો. બાકી મને તાલાવેલી એ વાતની હોય કે ક્યારે ગામની ‘સયાજીવિજય’ લાઈબ્રેરીએ પ્હૉંચું, વાર્તાની ચૉપડી મેળવું, ને ક્યારે ઘરની બારીએ બેસીને વાંચવા માંડું.

સતોડિયા જેવી જ રમત : ગામના તળાવની પાળે બેસી પાણી પર ઠીબરીને છલ છલ કરતી શક્ય એટલા જોરથી દૂર દૂર મોકલી બતાવવાની. મને યાદ છે એ રમત મને ગોઠી ગયેલી, કેમ કે મારા નિરાશ મનને શાન્ત કરી દેતી. નિરાશાનો એક પ્રસંગ, બી.એ.માં ફર્સ્ટ ક્લાસ માટે માત્ર ત્રણ માર્ક્સ ખૂટેલા, એ. પ્રેમભંગ જીવલેણ નિરાશાનો પ્રસંગ. ઠીબરી દોડતી દૂર જઇને ડૂબી ગયેલી, પાણીમાં વર્તુળો જનમેલાં, શમેલાં, એ પછી બીજી ઠીબરી મોકલેલી. મારું જોર આપોઆપ થોડું ઓછું થઈ ગયેલું. હરેક પ્રસંગે મિત્ર સાથે જ બેઠો હોય … કશું બોલી શકાતું ન્હૉતું …

તત્ત્વાર્થમાં સાહિત્યકલા રમત છે, ક્રીડા, લીલા. એ વિશે તો કહેવું જ જોઈએ. એ રમત છે તેમછતાં સરળ નથી એટલી કુટિલ અથવા હઠીલી છે. એ અર્થમાં કે કલાસિદ્ધિ માટે એ પોતાને પણ, સાહિત્યિકતાને પણ, ઉલ્લંઘી જવા કહે છે. એટલા માટે કે શબ્દરમત અને શબ્દલીલા વચ્ચે ભેદ છે. કોઈ કોઈ સર્જકને વરસો લગી એમ જ લાગ્યા કરે કે પોતે ભાષાપ્રભુ છે, પણ ઊલટું હોય, એને ખબર જ ન હોય કે ક્યારનો એ ભાષાના પ્રભુત્વ હેઠળ જીવે છે. મને શબ્દરમતની ચીડ છે. મારીમચડીને ઊભા કરેલા રદીફ-કાફિયા અને તાણીતૂંસીને સાધેલી પ્રાસાનુપ્રાસી મને ગુસ્સે કરે છે. નર્મદ તો પાછો એમ કહે કે નશો કર્યા પછી લખ્યું છે ! આદિ મધ્ય અન્ત-નો ભલે અદૃશ્ય પણ વિકાસ જોવા ન મળે એ સ્વૈર અને ખાલી ભાષાના ઘોડે પણાલેલાં અછાન્દસ કાવ્યો પણ મને પજવે છે.

મારા “આધુનિક ગુજરાતી કવિતા અને સર્જક ચેતના” પુસ્તકમાં આ ફરિયાદને મેં વીગતે નિરૂપી છે. ૧૯૮૮ જેટલા વહેલા સમયમાં મેં ‘ફારબસ’-ના ઉપક્રમે અછાન્દસકાર કવિમિત્રો સમક્ષ વ્યાખ્યાન આપેલું, એમાં આ ફરિયાદ કેન્દ્રમાં હતી.

‘શબ્દલીલા’ જ સ્પૃહણીય શબ્દ છે, એ મને હમેશાં આહ્લાદ આપે છે. બાણ “કાદમ્બરી”-માં કે જયદેવ “ગીતગોવિન્દ”-માં શબ્દ જોડે ઘણુંક રમે છે પણ ક્યાંક ક્યાંક છાના રહીને ‘રમે છે’ એટલે કે, કથનકલા કે કાવ્યત્વસિદ્ધિનો એમનો હેતુ સૃષ્ટિના હેતુની જેમ ત્યારે અગમ્ય રહે છે. બૅકેટે “વેઇટિન્ગ ફૉર ગોદો”-માં અહેતુક દેખાતી પણ ભારે હેતુસાધક શબ્દલીલા કરી છે, જ્યારે, “એક ઉંદર અને જદુનાથ”-માં લા.ઠા. અને સહલેખક સુભાષ શાહે ઝાઝી શબ્દરમત કરી છે.

એ પ્રકારે લા.ઠા.એ કોરા કાગળમાં બૂમ પાડી ને પછી એક યા બીજી રીતે કહ્યા જ કર્યું કે ભાષા કેવી તો માયાવી છે, છેતરામણી છે, વ્યર્થ છે, વગેરે વગેરે. મારા મિત્ર હતા એ, મેં એમને પૂછેલું – આગળ શું? તો કહે : નથી ખબર : માધ્યમસભાનતા આધુનિકોએ ખાસ્સી કેળવી હતી, લા.ઠા.એ એનો છેવટ લગીનો કસ કાઢેલો. એ મોટી વાત હતી કે એમણે ભાષાની સ્વયંભૂ મર્યાદાઓ બતાવી, પણ એ પછી બતાવ્યા જ કરી, વારંવાર બતાવ્યા કરી. એટલે અફસોસની વાત એ બની કે એથી આગળ તેને વટી જનારું અદકેરું અનવદ્ય કશું તેઓ ન સરજી શક્યા. એમનાં કેટલાંક કાવ્યોનાં ગદ્યાન્તર કરી લઈએ તો કેટલીક રચનાઓ ભાષા વિશેના નિબન્ધ લાગે છે.

એ કસોટીએ બીજા મહાન મનાઇ ગયેલા અછાન્દસકારોનાં કાવ્યોને પણ ચકાસી જોવાં જરૂરી છે. ખાસ તો આપણે એ શોધ્યું નથી કે એ કવિઓની કાવ્યભાષા વાણીના ‘વૈખરી’ અને ‘મધ્યમા’ પ્રકારોથી આગળ વધી શકી છે કે કેમ. સરખાવો : રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિમાં કેટલીયે વાર ‘પશ્યન્તિ’ અને ‘પરા’ વાણીના આવિષ્કારો અનુભવાય છે. આપણે શોધ્યું નથી કે એ કવિઓ માત્ર લિન્ગ્વિસ્ટિક સર્રીયાલિઝમથી આગળ વધી શક્યા છે કે કેમ. આપણે શોધ્યું નથી કે એ માત્ર લિન્ગ્વિસ્ટિક મીનિન્ગલેસનેસ છે કે કેમ.

એ કવિઓ ઓવરરેટેડ છે.

અતિવાસ્તવ અને અસંગતતા જીવન નામના એવા અતાગ કૂપમાં વસે છે કે માત્ર ભાષાકુશળ જનને તો એ નહીં જ જડે, સિવાય કે એનામાં તાગ લેનારી પ્રતિભા હશે. બાકી એ હાંફી જવાનો …

હું કહીશ કે એ કવિઓની રચનાઓમાં, લૅન્ગ્વેજ પ્રીસીડ્સ લાઈફ …

= = =

(July 30. 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 July 2022 Vipool Kalyani
← ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?
પથ્થર પર કવિતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved