Opinion Magazine
Number of visits: 9446994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2022

ઉદ્યોગપતિ જે.આર.ડી. તાતા જીવ્યા ત્યાં સુધી એક વાત કહેતા રહેતા કે ભારતની એક માત્ર સમસ્યા વસ્તીવધારો છે. વસ્તી નિયંત્રણમાં આવી જશે એટલે ભારતની દરેક સમસ્યાનો અંત આવી જશે. તેમની સખાવત પણ મોટે ભાગે પરિવાર નિયોજનને લગતી પ્રવૃત્તિ માટે રહેતી. માત્ર તાતા જ નહીં; એ સમયે વિશ્વબેંક, આંતરરાષ્ટ્રીય નાણાનિધિ, સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો), ખાનગી રાહે ચાલતી અનેક અધ્યયનસંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ પણ લગભગ આવો જ મત ધરાવતા હતા. ત્રીજા વિશ્વના દેશો(સાવ ગરીબ કે અવિકસિત દેશો તેમ જ ભારત જેવા વિકાસશીલ દેશો જે મોટા ભાગે એશિયા અને આફ્રિકામાં આવેલા છે તેને એ યુગમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવતા હતા.)માં વસ્તીનું નિયંત્રણ થવું જોઈએ. એ દેશોમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને જાગૃતિ વધશે એટલે વસ્તીનું પ્રમાણ ઘટશે. ‘દો યા તીન બચ્ચે હોતે હૈ ઘર મેં અચ્છે’ એવું એ સમયે ભારત સરકારનું કુટુંબ નિયોજન માટેનું સૂત્ર હતું. એ પછી એમાં સુધારો કરીને ‘હમ દો હમારે દો’ એવું સૂત્ર વહેતું કરીને એક બાળક ઘટાડી દેવામાં આવ્યું. વળી પાછો એમાં સુધારો કરવામાં આવ્યો અને ‘હમ દો હમારા એક’ સૂત્ર વહેતું કરીને વળી એક બાળક ઘટાડવામાં આવ્યું. લોકો ફરજિયાત કુટુંબ નિયોજન કરવાની પણ હિમાયત કરતા હતા અને ચીનને અનુસરવાની સલાહ આપતા હતા.

આની પાછળ સાદી સમજ એવી હતી કે તમે ગમે તેટલો વિકાસ કરો, આખરે રહેવાનું તો આ ધરતી ઉપર જ છે અને તેની પાસે મર્યાદિત સાધનો છે. અત્યાર સુધી વિજ્ઞાનનો, ખાસ કરીને આરોગ્યવિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યાં સુધી મૃત્યુદર એટલો મોટો હતો અને સરેરાશ આયુ (life expectancy) ટૂંકું હતું જેને કારણે બધું સરભર થઈ જતું. વીસમી સદીમાં આયુર્વિજ્ઞાન એટલું વિકસ્યું કે મૃત્યુદર ઘટી ગયો અને લોકો લાંબુ જીવતા થતા અને એને કારણે વસ્તી વધાવા માંડી. એ તો દેખીતી વાત છે કે પૃથ્વી ઉપર જેટલો બોજો ઓછો એટલી સુખાકારી વધુ. ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે!

આજે જગતમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે ત્યારે આ સાદી સમજ પણ બદલાઈ રહી છે. આજે દરેક ચીજનું રાજકારણ રમાઈ રહ્યું છે એમાં વસ્તીનું પણ રાજકારણ રમાઈ રહ્યું છે. વસ્તીનું રાજકારણ એ સંખ્યાનું રાજકારણ છે. સાંખ્યદર્શનમાં પ્રકૃત્તિતત્ત્વની ગણના અને ચિત્તમાં રહેલા ગુણ-દોષોની ગણનાને અર્થાત્ સંખ્યાને સાંખ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. મૂળ ઉદ્દેશ આંતરબાહ્ય વિવેક કરવાનો છે કે જેથી માણસને મોક્ષ મળે. અત્યારે પ્રકૃત્તિતત્ત્વને ભોગવનાર અને ચિત્તમાં રહેલા દોષો(રાગ, દ્વેષ, અનેક પ્રકારની પૃથક અસ્મિતાઓ અને વિષયસુખ)ને સંઘરનાર માનવીની સંખ્યાનું રાજકારણ રમાઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે આધુનિક અર્થતંત્રને રસ છે ઉપભોક્તાઓ(દરેક અર્થમાં)ની સંખ્યામાં અને અસ્મિતાજન્ય રાજકારણ કરનારાઓને રસ છે એકબીજા સામે ઝેર ઓકનારા જંગમ શસ્ત્રોની સંખ્યામાં. સાંખ્યથી સંખ્યાની દિશામાં ઊલટો પ્રવાસ ચાલી રહ્યો છે. ઉપભોક્તાઓની જેટલી સંખ્યા વધુ એટલો નફો વધુ અને પ્રતિબદ્ધ દ્વેષ્ટાઓની જેટલી સંખ્યા વધુ એટલો સત્તાનો ભોગવટો વધુ. ગયા રવિવારની કોલમમાં મેં લખ્યું હતું કે સત્યમેવ જયતે કહેનારા મૂંડક ઉપનિષદના ઋષિ અને ઋષિના મુખે એમ કહેવડાવનારા ઈશ્વરની કસોટી થઈ રહી છે. એ જ રીતે સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિની પણ કસોટી થઈ રહી છે. કપિલમુનિએ માનવીને થઈ રહેલા નફાની અને નુકસાનની એમ બન્ને ગણતરી કરી હતી જ્યારે અત્યારે વેપારીઓ અને સત્તાધીશો પોતાને થવા જોઈતા નફાની જ ગણતરી કરી રહ્યા છે. જે નુકસાન થવાનું છે એ પ્રજાનું થવાનું છે જે પ્રજાને નજરે પડતું નથી. 

ગયા અઠવાડિયે યુનોએ ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ’ના નામે વિશ્વવસ્તીના આંકડા જાહેર કર્યા એ પછી તે વિષે પ્રતિક્રિયા આપતા વિશ્વના સૌથી ધનિક માણસ એલન મસ્કે કહ્યું છે કે વસ્તીનો ઘટાડો સભ્યતા સામેનું સંકટ સાબિત થવાનો છે. અંગ્રેજીમાં તેમનું કથન આ મુજબ છે: “a collapsing birth rate is the biggest danger civilisation faces by far.” અત્યારે જગતની વસ્તીમાં વધારો થયો છે અને ૧૫મી નવેમ્બરે વિશ્વવસ્તી આઠ અબજનો આંકડો પાર કરવાની છે એ વાતનો તેમને સંતોષ નથી. ઈ. સ. ૨૦૮૦ સુધીમાં વિશ્વવસ્તી વધીને ૧૦ અબજ ૪૦ કરોડ થશે એ વાતનો પણ તેમને સંતોષ નથી. તેમનો અસંતોષ એ વાતનો છે કે એ પછી વસ્તીનો આંકડો દાયકાઓ સુધી સ્થિર રહીને ઘટશે. કારણ કે જન્મદર ઘટી રહ્યો છે. Collapsing birth rate એમ તેમણે કહ્યું છે. એક સમયે જે.આર.ડી. તાતા ચિંતા વ્યક્ત કરતા હતા તેના સામેના છેડાની આ ચિંતા છે. 

એક સમયે ચીનનો હવાલો આપીને કેટલાક લોકો કહેતા હતા કે ભારતે ચીનની જેમ ફરજિયાત કુટુંબ નિયોજન દાખલ કરવું જોઈએ. એક કરતાં વધુ બાળક પેદા કરે તેને સરકારી લાભોથી વંચિત રાખવા જોઈએ, દંડ કરવો જોઈએ, વગેરે વગેરે. યુનોના તાજા આંકડા મુજબ ભારત આવતા વર્ષે વિશ્વનો સૌથી મોટો વસ્તી ધરાવનારો દેશ બનશે અને ચીન તે સ્થાન ગુમાવી દેશે. મૂળ અનુમાન કરતાં ચાર વરસ વહેલી આ સુખદ કે દુઃખદ ઘટના બની છે. એટલા માટે નહીં કે ભારતની પ્રજાએ વધારે બાળકો જણ્યાં છે, પણ એટલા માટે કે ચીનાઓએ ઓછાં બાળકો પેદા કરી રહ્યા છે. ચીનના શાસકો માટે આ ગૌરવનો વિષય નથી, ચિંતાનો વિષય છે. પોતાની વસ્તી ઘટે નહીં એ માટે ચીને વસ્તી નિયંત્રણની નીતિ ઢીલી કરીને એક બાળકની જગ્યાએ બે બાળક પેદા કરવાની છૂટ આપી હતી. એ પછી પણ ધાર્યું પરિણામ મળ્યું નહીં તો બેની જગ્યાએ ત્રણ બાળક જણવાની છૂટ આપી અને છતાં ય ચીન ભારત સામે પછડાટ ખાઈ રહ્યું છે. ચીન હવે પછી કદાચ પ્રોત્સાહન નીતિ પણ અપનાવે તો નવાઈ નહીં. 

સંખ્યાના અર્થકારણના અને સંખ્યાના રાજકારણના આ વસ્તીમહિમાના યુગમાં સંખ્યાનાં પરિણામો સમજી લેવાં જોઈએ. માટે આટલી પ્રસ્તાવના પછી આવતા અઠવાડિયે સંખ્યાના સૂચિતાર્થો બતાવવાનો ઈરાદો છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2022

Loading

21 July 2022 Vipool Kalyani
← हम एक हैं !
उमाशंकर जोशीनी  विचारयात्रा : જાહેર જીવનમાં કવિએ કરેલાં માતબર પ્રદાન વિશેનું એકમાત્ર પુસ્તક →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved