Opinion Magazine
Number of visits: 9586967
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધારાવાહિક નવલકથાને ઊની આંચ નહિ આવે

દીપક મહેતા|Opinion - Literature|1 July 2014

વીસમી સદીના પાંચમા દાયકામાં ધારાવાહિક નવલકથાને ડારનારાં અને ડામનારાં પરિબળો જોવા મળ્યાં, પણ તેની અસર પ્રમાણમાં મર્યાદિત રહી હતી. આપણા કોઈ અખબારે એ પ્રવાહમાં તણાઈને ધારાવાહિક નવલકથા પ્રગટ કરવાનું માંડી વાળ્યું હોય એવું બન્યું નથી. એટલું જ નહિ, પાંચમા અને છઠ્ઠા દાયકામાં શરૂ થયેલાં કેટલાંક સામયિકોએ પણ ધારાવાહિકના પ્રકાશનને અપનાવ્યું હતું. લેખક તરીકે જેમનું નામ જાણીતું થઇ ચૂક્યું હતું એવા વજુ કોટકે ૧૯૫૦માં ‘ચિત્રલેખા’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમાં તેમની પોતાની નવલકથાઓ તેમણે ધારાવાહિક રૂપે પ્રગટ કરી. વજુભાઈની રમકડાં વહુ, જુવાન હૈયાં, ઘરની શોભા, ચૂંદડી ને ચોખા, હા કે ના, આંસુનાં તોરણ, માનવતાનો મહેરામણ, આંસુની આતશબાજી અને ડૉ. રોશનલાલ જેવી નવલકથાઓએ ‘ચિત્રલેખા’ને બહોળા વાચકવર્ગ સુધી પહોંચવામાં મદદ કરી, તો ચિત્રલેખાએ વજુભાઈની નવલકથાઓની લોકપ્રિયતામાં વધારો કર્યો. ૧૯૫૮માં વજુભાઈના અવસાન પછી બીજા નવલકથાકાર હરકિસન મહેતા ચિત્રલેખાના તંત્રીપદે આવ્યા. તેમની ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ ચિત્રલેખામાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ અને તે સાથે જ હરકિસનભાઈ અસાધારણ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકાર બની ગયા, તો ચિત્રલેખાનો ફેલાવો પણ અનેકગણો વધી ગયો. અલબત્ત, પોતાની નવલકથાઓ છાપવાની સાથોસાથ તેમણે બીજા લેખકોની નવલકથાઓ પણ વખતોવખત પ્રગટ કરી. એટલું જ નહિ, કેટલાક લેખકો પાસે તો હરકિસનભાઈએ જ તેમની પહેલી નવલકથા લખાવી. ૧૯૯૮માં હરકિસનભાઈનું અવસાન થયા પછી નવા નવા નવલથાકારોની ખોજ ચિત્રલેખાએ ચાલુ રાખી છે. અને જેની નવલકથા પ્રગટ થાય તે જોતજોતામાં લોકપ્રિય લેખક બની જાય એવી લગભગ પરંપરા બની ગઈ છે.

તો ૧૯૬૦ના દાયકામાં બે માસિકો શરૂ થયાં જે સસ્તાં થયા વગર લોકો સુધી પહોંચવા તાગતાં હતાં. તેમાનું એક તે ‘નવનીત’ અને બીજું ‘સમર્પણ.’ કેટલાંક વર્ષો પછી આ બે માસિકો જોડાઈ ગયાં. ઘણાં વર્ષો સુધી બંગાળીની કેટલીક જાણીતી નવલકથાના ચંદ્રકાન્ત મહેતાએ કરેલા અનુવાદ સમર્પણ/ ‘નવનીત સમર્પણે’ પ્રગટ કર્યા. તો સાથોસાથ ધીરુબહેન પટેલથી માંડીને ધ્રુવ ભટ્ટ સુધીના લેખકોની નવલકથાઓ પણ તેણે પ્રગટ કરી છે. કનૈયાલા મુનશીએ મૂળ અંગ્રેજીમાં લખેલી ‘કૃષ્ણાવતાર’નો ગુજરાતી અનુવાદ પણ પહેલાં તેમાં જ પ્રગટ થયેલો. ધારાવાહિક નવલકથા એ ‘કુમાર’ માસિકનું નિયમિત અંગ ન હોવા છતાં તેણે ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ની ‘દેવો ધાધલ’ જેવી સાગર-કથા પ્રગટ કરેલી. ૧૯૬૩માં શરૂ થયેલું ‘ગ્રંથ’ તો પુસ્તક-સમીક્ષાને વરેલું માસિક હતું, એટલે તેમાં ધારાવાહિક નવલકથાને અવકાશ ન હોય. પણ યશવંત દોશીએ આપણી ભાષાની તથા દેશ અને દુનિયાની બીજી કેટલીક ભાષાની ઉત્તમ નવલકથાઓના ‘ગ્રંથસાર’ તેમાં પ્રગટ કર્યા હતા. મુખ્યત્વે સાહિત્યને વરેલા એવા ‘પરબ’ કે ‘શબ્દસૃષ્ટિ’માં ધારાવાહિક નવલકથાનું પ્રકાશન ભાગ્યે જ જોવા મળે છે.

આજે કોઈ અંગ્રેજી કે મરાઠી અખબારમાં ધારાવાહિક નવલકથા પ્રગટ થતી જોવા મળે નહિ. પણ ગુજરાતી અખાબારોને તેના વગર ભાગ્યે જ ચાલે છે. કેટલાંક અખબાર તો અઠવાડિયામાં એક કરતાં વધુ ધારાવાહિક પ્રગટ કરે છે. લગ્નની વાડીઓમાં જેમ કેટરિંગની મોનોપોલી હોય છે તેમ કેટલીક વાર અમુક અખબારમાં કોઈ ચોક્કસ લેખકની ધારાવાહિકની મોનોપોલી જોવા મળે છે. તો કેટલીક વાર અગાઉ ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હોય, પછી પુસ્તક રૂપે પણ પ્રગટ થઈ હોય, અને લોકપ્રિય બની હોય, એવી નવલકથા અમુક અખબારો ફરી વાર ધારાવાહિક રૂપે પ્રગટ કરતાં પણ જોવા મળે છે. પુસ્તક પ્રકાશન સાથે જોડાયેલાઓ પણ ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી નવલકથા પુસ્તક રૂપે છાપવા વધુ આતુર હોય છે એમ લેખકો અને પ્રકાશકો બંનેનું કહેવું છે.

આવી બાબતોમાં સર્વેક્ષણ કરવાનું તો આપણે ત્યાં કોઈને સૂઝતું જ નથી એટલે ધારાવાહિક નવલકથા પછીથી પુસ્તક રૂપે પ્રગટ થાય ત્યારે તેને વધારે કોણ વાંચે છે – જેમણે તેને ધારાવાહિક રૂપે વાંચી હોય તેવા વાચકો, કે તે રીતે ન વાંચી હોય તેવા વાચકો, એ કહેવું શક્ય નથી. પણ એક વાત ચોક્કસપણે કહી શકાય તેમ છે: બીજી ભાષાઓની સ્થિતિ જે હોય તે, પણ ગુજરાતીમાં તો હજી ઘણાં વર્ષો ધારાવાહિક નવલકથાને ઊની આંચ આવે એમ લાગતું નથી.

પ્રિય વાચક ! ધારાવાહિક નવલકથા ભલે ગમે તેટલી ઇષ્ટ કે મિષ્ટ હોય, તો ય તેનો અંત આવે એ તો અનિવાર્ય હોય છે. તે જ રીતે ધારાવાહિક નવલકથા વિશેના આ ધારાવાહિક લખાણનો પણ અંત આવે એ અનિવાર્ય છે. અને જે અનિવાર્ય છે તેને કોણ ટાળી શક્યું છે? શુભમ્ ભવતુ.   

સૌજન્ય : ‘ડાયરી, ‘અક્ષરની આરાધના’, સંપાદક : દીપક મહેતા, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014

Loading

1 July 2014 admin
← પંચશીલના છ દાયકા
દર્શકનું સમાજ દર્શન કેવો સમાજ બનાવશું ? →

Search by

Opinion

  • સ્ફુલ્લિન્ગ (7) આજકાલનાં સાહિત્યિક સમ્પાદનો
  • પ્રાઈવસી કેમ જરૂરી છે – ભલે તમારી પાસે છુપાવવા જેવું કશું ન હોય
  • હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે !
  • વિનોદ કુમાર શુક્લઃ એ માણસ જેણે ભીંતોમાં બારીઓને જીવાડી અને ક્ષણોનાં પંખી પસવાર્યાં
  • કુલદીપ સેંગર ભારતકુલનો દીપ કહેવાય, એને કંઈ જેલમાં રખાય?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved