Opinion Magazine
Number of visits: 9448523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્‌ગત જયંત મેઘાણી

અજય પાઠક|Opinion - Opinion|2 January 2021

ભાવનગરમાં ભાગ્યે જ કોઈ પુસ્તકપ્રેમી/વાચનપ્રેમી એવી વ્યક્તિ હશે જે ‘મિલાપ', ‘પ્રસાર’ના માધ્યમથી સર્વશ્રી મહેન્દ્રભાઈ મેઘાણી તથા જયંતભાઈ મેઘાણીના સંપર્કમાં ન આવી હોય. વાચનપ્રેમીઓની અનોખી માવજત કરનારા બંને પુસ્તક પ્રસારકો. તાજેતરમાં જયંતભાઈનું દુ-ખદ નિધન થયું. અંતિમ ક્ષણ સુધી કમ્પ્યૂટર પર કાર્યરત હતા તેમ જાણવા મળ્યું છે. કેટલાક સમય પહેલાં ‘પ્રસાર’ની પ્રવૃત્તિ જયંતભાઈએ સંકેલી લીધી હતી અને ‘નિરીક્ષક’ના માધ્યમથી સૌ મિત્રો, ચાહકો, પ્રસંશકોને આવજો કહ્યું હતું. તે સમયે કેટલાંક સ્મરણો-‘પ્રસાર’ સાથેનાં મેં ‘નિરીક્ષક’ના માધ્યમથી વાગોળ્યાં હતાં. વાંચીને જયંતભાઈએ ફોન કર્યો હતોઃ “અજયભાઈ, બહુ યાદ રાખ્યું છે!” અને મેં પણ ઉષ્માપૂર્ણ ઉત્તર વાળ્યો હતો.

ગાંધીસ્મૃતિના લાઇબ્રેરિયન તરીકે જયંતભાઈ કાર્યરત હતા ને મારો કૉલેજકાળ શરૂ થયો હતો. ૧૯૬૧થી ૧૯૬૭. એક આગવી વિશેષતા સાથે તેમનું તે કાર્ય દીપી રહ્યું હતું. ગાંધીસ્મૃતિ પુસ્તકાલયનો એક ચાહકવર્ગ, વાચકવર્ગ ઊભો થયો હતો. પછીથી, આ તો મેઘાણીનું સંતાન! સ્વતંત્ર કેડી કંડારવી ને જીવનસંઘર્ષને માણવો એ ખમીર! જયંતભાઈએ ગાંધીસ્મૃતિ છોડ્યું, ‘મિલાપ’માં થોડો સમય કાર્ય કરીને પોતાનું સ્વતંત્ર કામ આરંભ્યું, ‘પ્રસાર’ … અમે મિત્રો વળી પાછા ‘પ્રસાર’ના નિયમિત મુલાકાતી બન્યા. પુસ્તક ખરીદીને વાંચવાની ટેવ કેળવી. ગુજરાતી, અંગ્રેજી, ભાષા-સાહિત્ય તથા અનેક વિષયો પર જયંતભાઈ અમને યાત્રા કરાવે. ‘ફ્‌યુચર શૉક’, ‘થર્ડ વેવ’ (ટોફ્‌લર), ‘પ્લેઝર ઑફ ફિલોસૉફી(વિલ ડ્યુરાં)નાં પુસ્તકોની ૧૦-૨૦ નકલો પ્રસારમાંથી જાય ને જયંતભાઈ અમને મિત્રોને પોરસાવે. મેઘાણીસાહિત્યના ગ્રંથસંપૂટોની યોજનાના અમે મિત્રો ખરા પ્રસારક બન્યા, સ્વયંસેવકભાવથી. અમે મિત્રો એટલે બૅન્કના મિત્રો …! એ સમયગાળો એટલે ‘પ્રસાર’નો પહેલો દાયકો. ૧૯૭૦/૮૦.

છેલ્લા બે દાયકાથી જયંતભાઈના ગાઢ સંપર્કમાં રહેનાર અમારા મહેન્દ્રસિંહ પરમાર. હવે જયંતભાઈ લેખક, અનુવાદક, સમીક્ષક તરીકે બહાર આવ્યા. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દને તેમ અંગ્રેજી કાવ્યોને અનુવાદિત કરવાનું સરસ કામ જયંતભાઈએ કર્યું.

જયંતભાઈએ બાયપાસ સર્જરી કરાવેલી. તે પછી તબિયત જાળવીને સતત કાર્યરત રહ્યા. મારા પિતાજી સ્વ. પ્રિયવદન પાઠક તથા મારી મોટી દીકરી હેમા તેમ મારા કુટુંબના સૌ સભ્યો વતી મારી ભાવાંજલિ અર્પણ કરું છું. જયંતભાઈ-લતાબહેન તથા નીરજ સૌ મારી બહેન દીના, સ્વ. કિરીટભાઈ તથા તારક સાથે નિકટના કુટુંબભાવથી સ્નેહભાવ જાળવનાર રહ્યા છે.

ભાવનગર

(પહેલી વાર મળ્યો હોઈશ ૧૯૭૧૭૨માં, પણ એમનો પરિચય તો વણમળ્યે જ થવા લાગ્યો હતો – એનાં થોડાં વરસ પહેલાંથી : પ્ર.ગ. માવળંકરના ‘અભ્યાસ’માં દેશવિદેશનાં નવાં પુસ્તકો વિશે સહૃદય નોંધ નિર્દેશથી. બીજી શક્યતાઓ છોડી એ ગાંધીસ્મૃતિ સાથે ગ્રંથાલયી તરીકે જોડાયા એમાં એમનો પુસ્તક પ્રીતિનું કેટલું મોટું બળ હશે એનો અંદાજે અહેસાસ ‘અભ્યાસ’ મારફત મળતો હતો. છેલ્લાં વર્ષોમાં એમની રવીન્દ્રપ્રીતિનો રૂડો અનુભવ થયો. એક સાથે એમણે એમનાં રવીન્દ્ર પ્રકાશનો મોકલ્યા ત્યારે થોડા દિવસ સુધી મારા તરફથી પહોંચ પ્રતિભાવ સુધ્ધાં નહીં મળતાં એમણે હૃદયના હકસર કરેલી ફરિયાદ હવે સ્મરણ માત્ર. સંજય ભાવેએ વિગતવિશદ લેખોનું જે પ્રતિમાની સ્થાપ્યું છે એવું કશુંક ‘નિરીક્ષક’માં કરી શકીએ તે પૂર્વે ક્ષણ સાચવી લેતા આ થોડા શબ્દો.

− પ્ર.ન.શા.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 08

Loading

2 January 2021 admin
← રણજિતરામના સિપાહી હોવું એટલે
આઝાદી પહેલાં ભારતના મુસલમાનો છેતરાયા તેમ શું હાલ હિંદુઓ છેતરાઈ રહ્યા છે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved