Opinion Magazine
Number of visits: 9448722
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક શાંતિ પ્રેમીની અલગારી રખડપટ્ટી

અાશા બૂચ|Opinion - Opinion|28 November 2013

૨૦અને ૨૧મી સપ્ટેમ્બરના, માન્ચેસ્ટરને આંગણે, શાંતિમય માર્ગે સંઘર્ષોનો નિકાલ લાવવામાં શ્રદ્ધા  ધરાવનારાં સજ્જનો-સન્નારીઓનું મિલન ગોઠવાયેલું. પહેલા દિવસની બપોરે લગભગ ત્રીસેક જિજ્ઞાસુઓએ સ્ટીવ રોમનની આગેવાની નીચે ઔદ્યોગિક ક્રાંતિના શ્રીગણેશ કરનાર આ શહેરની રાજકીય પ્રવૃત્તિઓ અને શાંતિ તથા સામાજિક ન્યાય ક્ષેત્રે થયેલી ચળવળોનો ઇતિહાસ સંગ્રહી બેઠેલાં પૂતળાં, મકાનો અને ગિરિજાઘરો જોવામાં વિતાવી. એમાંના કેટલાંક સ્થળોની માહિતી રસપ્રદ થઈ પડશે એમ માનું છું.

અમારી અલગારી રખડપટ્ટીની શરૂઆત UMISTને નામે ઓળખાતા વિસ્તારથી થઈ. માન્ચેસ્ટરમાં ઇ.સ.1824માં વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાતો દ્વારા શરૂ થયેલ મિકેનીક્સ ઇન્સ્ટિટ્યુટનો હેતુ કામદાર વર્ગના લોકોને મિકેનીક્સ અને રસાયણશાસ્ત્ર શીખવવાનો હતો. એ જ મકાનમાં 1868માં ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના થઈ જેનાથી મજૂર પક્ષના પાયા નખાયા. આજે તે Manchester University’s Institute of Science and Technology તરીકે જાણીતી છે.

બ્રિટનનો અને પશ્ચિમના દેશોનો ઇતિહાસ જાણનારાઓ 1930ની મંદીથી પરિચિત હશે. તે વખતની સરકારે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ટેકો આપ્યો (આજે પણ એમ જ બને છે ને?) જેને કારણે લગભગ અઢી મીલિયન લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા, જેના વિરોધમાં લોકોએ સરઘસ કાઢ્યું તેને પોલિસે લાઠીમાર અને ફાયર હોઝથી કાબૂમાં લીધા હતા .. પ્રજા પરના આવા દમનનું સ્મૃિત ચિહ્ન પિકાડિલી ટ્રેઈન સ્ટેશન પાસે જોવા મળશે. એ હતો અમારો બીજો પડાવ. ઇ.સ.1930ની મંદીમાંથી બહાર આવવા માટે માન્ચેસ્ટરના તે સમયના મેયર સર જોહન પોટરે એક ગોળાકાર પુસ્તકાલય બંધાવ્યું, જે તમામ નાગરિકોને નિ:શુલ્ક સેવા આપનાર પ્રથમ પુસ્તકાલય હતું. આ કેન્દ્રીય પુસ્તકાલય યુનાઇટેડ કિંગ્ડમના મોટામાં મોટાં પુસ્તકાલયોમાંનું એક છે, જ્યાં થિયેટર કંપની પણ અદ્દભુત શો કરે છે. આ ઈમારત અને તેની અંદરનાં પુસ્તકોનો વૈભવ અચૂક જોવાલાયક છે.

૧૯મી સદીનાં મંડાણ થયાં તેવામાં, બ્રિટન અને આયર્લેન્ડના જમીનદારોને થતા નફાને રક્ષવા વિદેશથી આયાત થતી મકાઈ પર ભારે આયકર લાદવામાં આવ્યો, જેને પરિણામે લોકો અતિશય મોંઘી બ્રેડ ખરીદી ન શકતા અને ભૂખમરો વેઠતા થયા. આ કાયદાના વિરોધ માટેની ચળવળ ચલાવનારાઓ Free Trade Hallમાં એકઠા મળતા, તેથી એ ઈમારત પણ દર્શનીય ખરી કેમ કે ત્યાં ચાર્લ ડિકન્સ, ઓસ્કર વાઈલ્ડ અને બોબ દીલન જેવા માંધાતાઓની પધરામણી થયેલી. જો કે હવે ત્યાં એક ભવ્ય હોટેલ જોવા મળશે જેના પ્રવેશ દ્વાર પાસે માત્ર Free Trade Hallની ટૂંકી માહિતી આપી છે.

આ સ્થળ હજુ એક બીજી ઘટના માટે પણ મહત્ત્વનું છે. ઇંગ્લેન્ડની પ્રજાની યાતનાઓનો અંત હજુ નહોતો આવ્યો. નેપોલિયનની લડાઈ બાદ આ દેશમાં માત્ર ૨% લોકોને જ મતાધિકાર હતો જેનો શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવા એકઠા મળેલા 60,000 જેટલાં નિ:શસ્ત્ર સ્ત્રી-પુરુષ-બાળકો પર લાઠી, તલવાર અને પિસ્તોલનો મારો ચલાવી, અઢારનાં જાન લીધા અને સેંકડોને ઘાયલ કરીને ક્રૂર રીતે વિખેર્યાં એ Peterloo Massacre’ તરીકે કુખ્યાત થયેલ સ્થળ Free Trade Hallથી બે ડગલાં જ દૂર છે.

આ ભ્રમણને અર્ધે રસ્તે અમારી સવારી એક બીજા યાદગાર સ્થળે આવી પહોંચી. ધ સોસાઇટી ઓફ ફ્રેન્ડસ અથવા કવેકર તરીકે જાણીતા થયેલ સંગઠન માટે ઇ.સ. 1828માં બંધાયેલ આ મકાનમાં બોઅરની લડાઈ વખતે દુનિયાના સૌ પ્રથમ કોન્સનટ્રેશન કેમ્પ વિષે ચર્ચા કરવા મિટીંગ મળેલી, જેના પ્રકાશન પછી યુદ્ધ દરમ્યાન ઊભા કરાતા કેમ્પની સ્થિતિમાં સુધારા દાખલ કરવામાં આવ્યા. માન્ચેસ્ટરમાં થયેલ પીટરલૂ હત્યાકાંડ સમયે ઘવાયેલાઓ અને જીવ બચાવવા નાસતા લોકો માટે, આ સ્થળ સલામતી આપનારું આશ્રય સ્થાન પુરવાર થયેલું. લગભગ બે સદીના ગાળા દરમ્યાન આ ઇમારત શાંતિ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપતાં અનેક ભાષણો અને ચળવળોનું સાક્ષી રહ્યું છે.

નાગરિકોનાં વ્યક્તિ સ્વાતંત્ર્યની રક્ષા કરનાર અને લોકશાહીને વરેલ આ દેશમાં એકદા સરકાર અને ધાર્મિક વાડાઓએ અહીંના સામાન્ય પ્રજાજનોની જિંદગી દુ:ખદ બનાવેલી, એ માનવું મુશ્કેલ લાગે તેવું છે. આજે માન્ચેસ્ટરમાં સિનેગોગ, ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને ચર્ચ આરામથી સહઅસ્તિત્વ ધરાવે છે. જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ 1829 પહેલાં રોમન કેથાલિક્સને ચર્ચ બાંધવાનો અધિકાર નહોતો અને છૂપા સ્થળે પ્રાર્થના કરવા ફરજ પડતી, તેવે સમયે શહેરના પછાત ગણાતા વિસ્તારમાં આરસની મૂર્તિઓ અને રંગીન કાચના સુશોભનવાળું સેન્ટ મેરી ચર્ચ (Hidden Gem) બંધાયું, જ્યાં રોમન કેથલિક્સને પ્રાર્થના કરવાની સુવિધા મળી, જે તે વખતના સમાજની સહિષ્ણુતાનું પ્રદર્શન કરે છે, તે ય જોયું.

આજે સ્ત્રીઓને લગભગ દરેક ક્ષેત્રમાં સમાનાધિકાર મળે છે એટલે તે વિનાનું જીવન કેવું હશે તે કલ્પવું મુશ્કેલ છે. 1870માં એલિયટ હાઉસ નામના મકાનમાં બેસતા સ્કૂલ બોર્ડની સૌ પ્રથમ મહિલા સભ્ય લીડિયા બેકરે સ્ત્રીઓના મતાધિકાર માટે પુષ્કળ કામ કરેલું જે છેક 1918માં સફળ થયું. એ જગ્યાએ આ ક્રાંતિકારી મહિલાને અને તેના અનુગામી ભગિની બેલડી સિલ્વિયા અને ક્રીસ્ટાબેલ પેંકહર્સ્ટ કે જેમણે સ્ત્રીઓના મતાધિકાર માટે અગ્ર ભાગ ભજવેલો, તેમને મૂક સલામ કરી આગળ વધ્યાં. 

કવેકરની માફક યુનીટેરિયન ચર્ચના અનુયાયીઓ ધાર્મિક અને સામાજિક સહિષ્ણુતા, શાંતિ અને ન્યાયના ચાહકો હતા. માન્ચેસ્ટરના તદ્દન મધ્યમાં 1694માં બંધાયેલ યુનીટેરિયન ચર્ચ આવેલું છે. ત્યાંના મીનીસ્ટરનાં પત્ની એલિઝાબેથ ગાસ્કલ ઔદ્યોગિક ક્રાંતિના સામાજિક અને આર્થિક પરિણામો આધારિત નવલિકાઓ લખવા માટે જાણીતાં છે. એમના લખાણની અસર ચાર્લ્સ ડાર્વિનના લખાણ જેટલી થયેલી એમ મનાય છે.

વાચકો કદાચ એમ વિચારી શકે કે ઉપર ઉલ્લેખ કર્યો છે એ કર્મશીલો, સંગઠનો અને ચળવળોને શાંતિ સાથે શો સીધો સંબંધ છે? તો હું એટલું જ કહીશ કે તેમાંના એક એક વ્યક્તિ અને સંગઠનોના કાર્યના દૂરગામી પરિણામો આજે આપણે ભોગવીએ છીએ. વાચક વર્ગમાંથી કોઈને ય માન્ચેસ્ટર આવવાનું થાય, તો આ સ્થળોની મુલાકાત લેવાનું મારું હાર્દિક આમંત્રણ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

28 November 2013 admin
← પવનકુમાર જૈન : ગતિ અને વિગતિનો કવિ
ગંગા સ્વરૂપ ગંગા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved