સબંધ આપણો સ્મૃતિમાં સ્થિર અટકી ગયો,
ગત જિવતરે સબંધોના કૂકડાઓ બોલે છે.
સાત જનમનો ડૂમો મારી લાગણીમાં તણાઈ,
ખોબે ખોબે સબંધોના કૂકડાઓ બોલે છે.
ચકલી જેવી જાત ને એનો પર્વત જેવો ગ્રંથ,
પાને પાને સબંધોના કૂકડાઓ બોલે છે.
ઉઘાડ ઘરના બંધ દરવાજા ઉંબરો વટાવી,
ઈટે ઇટે સબંધોના કૂકડાઓ બોલે છે.
તારાં સ્મરણનાં ભીનાં શુકન ઊગ્યાં નહિ,
પળે પળે સબંધોના કૂકડાઓ બોલે છે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
 


 આમ તો ૪૫૦ પાનનું આ પુસ્તક પોતે જ એક નિવેદન છે. હું લખતાં, વાંચતાં ને વ્યાખ્યાનો કરતાં શીખ્યો તે કેવીક રીતોએ કરીને શીખ્યો, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન. તે પછી એ ત્રણેય દિશાઓમાં એક સાહિત્યકાર રૂપે કેવોક વિકસ્યો ને વર્તમાનમાં ક્યાં જઈને પ્હૉંચ્યો છું, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન.
આમ તો ૪૫૦ પાનનું આ પુસ્તક પોતે જ એક નિવેદન છે. હું લખતાં, વાંચતાં ને વ્યાખ્યાનો કરતાં શીખ્યો તે કેવીક રીતોએ કરીને શીખ્યો, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન. તે પછી એ ત્રણેય દિશાઓમાં એક સાહિત્યકાર રૂપે કેવોક વિકસ્યો ને વર્તમાનમાં ક્યાં જઈને પ્હૉંચ્યો છું, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન.
 ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે સુજ્ઞ જનો અવારનવાર પ્રશ્નો ઊઠાવતા હોય છે. એ બહુ જ જરૂરી છે.
ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે સુજ્ઞ જનો અવારનવાર પ્રશ્નો ઊઠાવતા હોય છે. એ બહુ જ જરૂરી છે.