 ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર “શબ્દસૃષ્ટિ”માં છપાયેલા નનામા લેખ દ્વારા અકાદમીના અધ્યક્ષપદે વિશ્વવાઇરલ કવિતા અને લખનાર કવયિત્રી વિશે જે અનર્ગળ ભાષાવિલાસ કર્યો છે એ નિંદનીય કરતાં હાસ્યાસ્પદ વધુ લાગે છે. લેખ પોતે લખ્યો હોવાની પાછળથી કબૂલાત કરનાર અધ્યક્ષની નનામો લેખ છપાવવા પાછળ શું ગણતરી હોઈ શકે? ખેર, મૂળ મુદ્દો અહીં સાહિત્યિક સંસ્થાઓના સરકારીકરણનો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર “શબ્દસૃષ્ટિ”માં છપાયેલા નનામા લેખ દ્વારા અકાદમીના અધ્યક્ષપદે વિશ્વવાઇરલ કવિતા અને લખનાર કવયિત્રી વિશે જે અનર્ગળ ભાષાવિલાસ કર્યો છે એ નિંદનીય કરતાં હાસ્યાસ્પદ વધુ લાગે છે. લેખ પોતે લખ્યો હોવાની પાછળથી કબૂલાત કરનાર અધ્યક્ષની નનામો લેખ છપાવવા પાછળ શું ગણતરી હોઈ શકે? ખેર, મૂળ મુદ્દો અહીં સાહિત્યિક સંસ્થાઓના સરકારીકરણનો છે.
ખબર આવી છે દૂરસૂદૂરનાં લક્ષદ્વીપ ટાપુઓથી. થોડા સમયથી આ કેન્દ્રશાસિત પ્રદેશના રહેવાસીઓ કેન્દ્ર દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં મોકલવામાં આવેલા એડમિનિસ્ટ્રેટર દ્વારા કરવામાં આવેલા કાયદાકીય ફેરફારોના વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યાં છે. દરમિયાન, બે એક દિવસ પહેલાં એક ટી.વી. ડિબેટમાં આ કાયદાનો વિરોધ કરનાર યુવા મહિલા ફિલ્મકાર આયેશા સુલતાના દ્વારા વપરાયેલા એક ચોક્કસ શબ્દને લઈને તેમના પર દેશદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો છે.
લક્ષદ્વીપ સાહિત્યપ્રવર્તક સંગમ ફિલ્મકારની વહારે આવી છે અને નિવેદન આપ્યું છે કે, ‘એમને દેશદ્રોહી ચિતરવા યોગ્ય નથી.’ એમણે એડમિનિસ્ટ્રેટરના અમાનવીય અભિગમ સામે સૂર ઉઠાવ્યો છે. લક્ષદ્વીપનાં સાહિત્યિક સમૂહો એમની સાથે ઊભા છે.
સાહિત્યિક સંસ્થાઓનાં મૂલ્યો સંદર્ભે આંખ ઉઘાડતા બે કિસ્સા નજર સમક્ષ છે. લક્ષદ્વીપમાં સાહિત્યિક સંસ્થા ફિલ્મકારની વહારે સમર્થનમાં આવી છે તો આપણી સાહિત્ય અકાદમીના સરકારી અધ્યક્ષ કવયિત્રી અને એમના સમર્થકોને ‘લિટરરી નક્સલ’ની પદવી આપી રહ્યા છે.
ગુજરાતની શાણી કહેવાતી પ્રજા આ ઘટનાઓથી ધડો લેશે ?
૧૨-૬-૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 08
 


 જૂન ૧૪, ૨૦૨૦ને દિવસે એક એવી કમનસીબ ઘટના બની હતી કે જેણે માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ બોલીવુડને જ નહીં, પણ આખા ભારતને હલબલાવી નાંખ્યું. હિન્દી ફિલ્મ જગતના હોનહાર, સફળ અને યુવાન, માત્ર ૩૪ વર્ષના અભિનેતા, સુશાંતસિંહ રાજપૂતનું અકાળે સંદિગ્ધ સંજોગોમાં અવસાન થયું હતું. જૂન ૧૪, ૨૦૨૧ને રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થશે.
જૂન ૧૪, ૨૦૨૦ને દિવસે એક એવી કમનસીબ ઘટના બની હતી કે જેણે માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ બોલીવુડને જ નહીં, પણ આખા ભારતને હલબલાવી નાંખ્યું. હિન્દી ફિલ્મ જગતના હોનહાર, સફળ અને યુવાન, માત્ર ૩૪ વર્ષના અભિનેતા, સુશાંતસિંહ રાજપૂતનું અકાળે સંદિગ્ધ સંજોગોમાં અવસાન થયું હતું. જૂન ૧૪, ૨૦૨૧ને રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થશે.
