મારાં અજવાળાં પી ગયાં છે,
મનુવાદી અંધારાં,
હું આંખથી અંધ નહોતો,
જાતથી અંધ થઇ ગયો છું હવે,
જન્મ માણસ તરીકે લીધો
શુદ્ર તો હું ક્યારે ય નહોતો,
કોઈ નથી હોતું …
મારા રસ્તામાં આડે આવે છે
મારું પ્રકાશિતપણું …
મારું નોકરિયાતપણું …
એક ટકામાં મારી ગણના થાય છે,
નવ્વાણું ટકા હજુ એમના એમ છે.
મારો સમાજ, મારો સમાજ,
હું ફક્ત બૂમો પાડ્યા કરું છું ..
શારીરિક, માનસિક, સામાજિક,
છડે ચોક મારા પર બળાત્કાર થયા જ કરે છે,
અત્યાચારો થતા હતા, થાય છે ને થતા રહેશે,
ને મારો સમાજ સહન કર્યા કરે છે,
મારો સમાજ વેરણછેરણ છે,
અસંગઠિત ને અશિક્ષિત છે
મારી જાત નિર્માલ્ય થઇ
ઉશ્કેરાયા કરે છે ફકત.
મને મદદની જરૂર નથી,
હું સમાજને મદદ નથી કરી શકતો.
ભ્રષ્ટ થતી જાય છે મારી મતિ …
એ લોકો જેવા થવા
હજુ વધારે પ્રયત્ન કરીશ,
પણ …
એક લાકડું,
ને લાકડાંના ભારામાં ફરક તો પડે જ ને,
એથી શું મારી આ બહિષ્કૃતતા ટળશે?
કોઈ મને સ્પર્શે કે ના સ્પર્શે
મને કોઈ ફરક નથી પડતો,
મારી જાત વિશે કોઈ બોલે,
મારા સમાજ વિશે કોઈ બોલે,
મને હડધૂત કરે તો?
હા, ફરક પડે છે .. હજજાર વાર,
આ કાળમીંઢ પથ્થર જેવી
સામાજિક વ્યવસ્થાને હું લાત મારું છું,
હું એકલો નહીં લડી શકું, પણ લડીશ ..
સમાજ સાથેનું મારું ગઠબંધન કાયમી રહેશે,
મારે આ અમ્માસી અંધારાં ઉલેચવા નથી
પ્રકાશવું છે,
રંગભેદની કાળી પાટી પર
માનવતાના બે શબ્દ લખવા છે
"ચાલો આપણે માનવ બનીએ"…
સ્વયં સૂરજ બનીને ..
નહીં કે શ્વેત બનીને …
૧૧/૭/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()



વહેમો અને ધર્મશ્રદ્ધાની ભેળસેળ જેવી માનસિકતા આ કોરોનાકાળે છે, ત્યારે પણ હતી. ત્યારે પણ જનમાનસમાં એ જ વાત ઘર કરી ગયેલી કે પ્લેગ ઈશ્વરે મોકલ્યો છે. ફિલ્મમાં flagellants -નું એક સરઘસ નીકળ્યું હોય છે. એમાં એ લોકો પોતાની જાતને ચાબૂકથી ફટકારતા હોય છે, જેથી પોતે કરેલાં પાપોનો નાશ થાય, પોતમાં વસતા સેતાનને તગેડી દેવાય, સરવાળે પ્લેગને ભગાડી મુકાય. એક ધરમશાળામાં બેઠેલા કેટલાક ચર્ચાએ ચડ્યા હોય છે કે – આ ખતરનાક પ્લેગની અસરો તો શી યે થવાની છે. ત્યાં એક સ્ત્રી હતી તે બોલી કે : આ તો ભઈ કયામતનો દિવસ છે, અપશુકનો તો જુઓ – પેલીએ વાછડાના મૉઢાવાળું બાળક જણ્યું ! કોઈ કોઈએ તો આગમાં શેકાઈને મૉત વ્હૉરી લીધું ! જો કે પાદરી એમ કહે છે કે નરકમાં જવા કરતાં તો સારું જ ને !
એક મિત્રએ મને સવાલ કર્યો કે દેશમાં આટ-આટલું બની રહ્યું છે ત્યારે સંઘપરિવારમાં ચૂપકીદી કેમ છે? કોઈ કેમ કાંઈ બોલતું નથી? એક વરસથી કાશ્મીરને લશ્કરી બેરેકમાં ફેરવી નાખવામાં આવ્યું છે. મનસ્વીપણે નાગરિક ધારો લાગુ કરીને બીજા તો ઠીક, પણ ઇશાન ભારતના હિંદુઓને નાગરિકતા વિહોણા કરી નાખ્યા અને બીજા કરોડો હિંદુઓ નાગરિકતાવિહોણા થવાના છે. ચાર કલાકની નોટિસમાં લોકડાઉન જાહેર કરીને લાખો મજૂરોને રઝળાવી મૂક્યા જેમાં અંદાજે ૯૦ ટકા હિંદુઓ હશે. તેમની યાતના અને વલોપાત જોઇને ભલભલાની આંખ ભીની થઈ જાય ત્યારે સંઘપરિવારમાંથી કોઈએ ગ્લાનિ નહીં અનુભવી હોય? ગાલ્વાનની ખીણમાં હિંદુ જવાનો શહીદ થાય અને વડા પ્રધાન કહે કે ભારતમાં કોઈ આવ્યું જ નહોતું ત્યારે સંઘપરિવારમાં કોઈનું હિંદુ દિલ કણસતું નહીં હોય? હિંદુ હોવા માટે ગર્વ લેનારાઓની હિંદુ સંવેદનશીલતા ક્યાં? તેઓ વધારે વ્યાપક બને એવી તો આપણે અપેક્ષા પણ રાખતા નથી.