કોરોનાનો પરાજ્ય
કરશે અવશ્ય વિજ્ઞાન
વિશ્વાસ અમને.
કિંતુ
કોરોનાનો ય માનવો પડે આભાર.
કેમ કે
એણે કરાવ્યાં બંધ
મંદિર-મસ્જિદ-ચર્ચનાં દ્વાર!
અટક્યો આરતી-બાંગ-ઘંટારવનો
ઘોંઘાટ !
એણે કરાવી બંધ
ખિલાફત-રામરાજ્યની બુમરાણ
એણે અટકાવી દીધો
સાધુ-સંતો-મૌલવીઓ-પાદરીઓનાં
ભાષણોનો ત્રાસ !
એણે અટકાવી દીધાં યુદ્ધ !
ઘૂરકિયાં કરતાં અણુશસ્ત્રો થયાં ચૂપ !
મિસાઈલોના સૂસવાટા થયા શાંત !
ઉડાડી દીધાં મહાસત્તા થવાનાં સ્વપ્ન !
એણે શિખવાડ્યું જીવવું
ભગવાન વગર !
એણે શિખવાડ્યું
લેવા વિજ્ઞાનનો આધાર
કોરોનાનો આભાર!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020
![]()


વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકી સૈન્ય તરફથી પત્રકારોને રોજેરોજ જે માહિતી આપવામાં આવતી હતી તેનું પત્રકારોએ નામ પાડ્યું હતું, ‘ફાઈવ ઓક્લૉક ફૉલીઝ’ એટલે કે પાંચ વાગ્યાની મૂર્ખામી. આવું ત્યારે બને છે જ્યારે સરકાર અને તેનું તંત્ર લોકોને નાદાન બાળક સમજે છે.
હવે આનો તો શો ઇલાજ? આપણે આપણા પ્રસન્ન જોશી અને એ.આર. રહેમાનની જોડે જોશભેર ગાઈ લઈએ કે ‘હમ હાર નહીં માનેંગે, હમ સૂરજ હૈ, અન્ધકાર નહીં માનેંગે’ … એમ પણ થાય કે કવિ સુન્દરમ્ -ના કાવ્યનાયકની જેમ ‘ઘણ ઉઠાવ મારી ભુજા ઘણુંક ઘણું ભાંગવું’ કરતાક ને આ આખી પરિસ્થિતિના નાશને માટે મચી પણ પડીએ. પરન્તુ કેસિસ અને ડેથ્સના વધતા આંકડા એ જોશને અને એ ભુજાને નીચે બેસાડી દેવાના …
જો કે એક બીજી વાત વધારે નૉંધપાત્ર છે. તે એ કે આવાં સમય અને સ્થળની અસર આપણા મન પર ઘણી જ થાય છે – મોટે ભાગે તો આપણી જાણ બ્હાર … ચિત્ત સુન્ન થઈ જાય … કંટાળો બેચૅની ચીડ વગેરે જામી પડે … બુદ્ધિ થાકેલી પડી રહે … નવો વિચાર તો જાગે જ નહીં … હોય તે વિચારો ય તાર તાર થવા માંડે … જે કંઈ શાસ્ત્ર ભણ્યાં હોઈએ એ બધાં તકલાદી દીસે … આપણાં બધાં જ આચરણો સાંધાસુધી વિનાનાં વેરવિખેર લાગે. જીવન-તાર બાપડો સ્તબ્ધ ને ચૂપ, ન રણકાર, ન ઝંકૃતિ. સંવેદનશીલ જીવને થાય અને એ કવિ ઉમાશંકરની જેમ કહે પણ ખરો – હું છિન્નભિન્ન છું …
આપણે જોઈએ છીએ કે આજે માનવજાત અને એણે ઊભી કરેલી તમામ સિસ્ટમ્સ પડી ભાંગી છે. રીલિજ્યન પાસે સીધો ઇલાજ નથી. સ્ટેટ મથે છે. સોસાયટી પરેશાન છે. સિવિલિઝેશન નાકામયાબ છે. પણ નિત્શેનું દર્શન એમ સૂચવે છે કે રીલિજ્યન સ્ટેટ સોસાયટી કે સિવિલિઝેશન જો પડી ભાંગ્યા છે તો એને વિશે આપણને પ્રશ્નો થવા જોઈએ. આપણને એનાં પોલાણોની ખબર પડવી જોઈએ. એની વ્યર્થતાઓ અને વિ સંગતતાઓ દેખાઈ જવી જોઈએ. વિચાર અને તેની સર્જક વ્યક્તિ બન્ને હોનારત પુરવાર થવાં જોઈએ. પણ એટલે શું? એટલે એમ કે બસ, ક્રાન્તિકારી પુરવાર થવું.