કેસૂડાનો રંગ ચઢ્યો મારી ચૂંદડી
વાયરો વાયો ને પથરાયો અવનિ.
ઝગમગતા તારલા ને ચંદ્ર ચઢ્યો આકાશ.
ખણખણતાં કંગન ને રણઝણતી પાયલ,
ખંજન મારાં એવાં કે સમાય જેમાં સાગર.
અણિયાળી આંખોએ કર્યો અણસાર,
કે હેલે ચઢી પૂનમની રાત.
ઊષાએ વેર્યો ગુલાલ.
મારે કરવી ’તી શમણાંની વાત,
ને વિતી ગઈ રાત.
કેસૂડાને રંગ ચઢ્યો મારી ચૂંદડી.
e.mail : manibhai.patel@yahoo.co.uk
![]()


નિયમિત અને કામઢા માણસો તો ઘણા હોય, પરંતુ તેની સાથે કુનેહ ધરાવનારા ભાગ્યે જ હોય. ગજબની કુનેહ હતી એ માણસમાં છે. ઇન્દિરા ગાંધીની આંખને વાંચી શકે અને અડધા વેણને સમજી શકે. સંબંધિત માણસને એ જ મેસેજ જાય જે ઇન્દિરા ગાંધી ઇચ્છતાં હોય. આને કારણે માત્ર ઇન્દિરા ગાંધીનું કામ આસન નહોતું થયું, આર.કે. ધવનનું વજન પણ વધ્યું હતું. સત્તાના ગલિયારામાં એમ કહેવાતું હતું કે આર.કે. ધવન ઇન્દિરા ગાંધીના આંખ-કાન બન્ને છે. સ્વાભાવિકપણે તેમની પ્રામાણિકતા વિષે ચિત્રવિચિત્ર વાતો થતી હતી, પરંતુ આર.કે. ધવન કે ઇન્દિરા ગાંધી તેનાથી વિચલિત નહોતા થયાં. વડા પ્રધાન ઇન્દિરા ગાંધી માટે તેઓ એટલા સમર્પિત હતા કે તેઓ લગ્ન કરવાનું પણ ભૂલી ગયા હતા. છેક બુઢાપામાં ૭૪ વરસની ઉંમરે તેમણે ૨૦૧૨માં લગ્ન કર્યા હતાં.