Opinion Magazine
Number of visits:
10156990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેપાળની પાળ જ તૂટી ગઈ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 August 2026

રવીન્દ્ર પારેખ

હા, નેપાળની પાળ જ તૂટી ગઈ છે ને તે મહાવિનાશક પૂરમાં સપડાયું છે. બુધવારથી શરૂ થયેલી આપદામાં અત્યાર સુધીમાં 752 લોકોનાં મોત થયાં છે ને ૩,000 હજી સુધી ગુમ છે. 8,73૦ લોકોને બચાવી લેવાયાં છે. 15,000 સુરક્ષા દળો ને હેલિકોપ્ટરો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યાં છે. 320 ભારતીયોનો કોઈ પત્તો નથી, જેમાં ગુજરાતના પણ 25 લોકો ફસાયેલા છે. એમાં સુરતના પણ ત્રણ છે. એક ગ્લેશિયરનો 2,000 ફૂટ મોટો ટુકડો, 4,000 ફૂટ નીચે પડ્યો જેનાથી વિનાશક પૂર આવ્યું. તાજેતરમાં ભોટેકોશી અને લ્હેન્ડે નદીમાં હિમપ્રપાત, ભૂસ્ખલન અને કુદરતી બંધ તૂટવાને કારણે એટલું વિનાશક પૂર આવ્યું કે તેને કાબૂ કરવાનું બની શક્યું જ નહીં.

સાચું તો એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયનાં ગ્લેશિયર્સ (હિમશિલાઓ) ઝડપથી પીગળી રહ્યાં છે. સદીઓથી પહાડોને જકડી રાખતો બરફ ઢીલો પડવાથી પહાડો ખોખલા થઈ રહ્યા છે, પરિણામે મોટા પાયે હિમપ્રપાત અને ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. એ પણ છે કે તિબેટમાં આવેલી કુદરતી આફતને લીધે, નેપાળમાં થઈ તેથી વધુ ભયાનક સ્થિતિ ભારતની પણ થઈ શકે છે. ભારતની ત્રણ મોટી નદીઓ બ્રહ્મપુત્ર, સતલજ અને સિંધુ તિબેટમાંથી નીકળે છે. આમ તો હિમાલયથી નીકળતી કોઈ પણ નદીને લીધે મહાવિનાશક દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. નેપાળમાં બન્યું તે ઉત્તર ભારતમાં પણ શક્ય છે. ઉત્તરાખંડ જેવાં રાજ્યમાં તો આ જોખમ સૌથી વધુ છે. ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં આવું પૂર આવે તો શું થઈ શકે તેની કલ્પના જ ધ્રુજાવી દે એમ છે. નેપાળ હોનારતની અસરો ભારતમાં પણ દેખાવા માંડી છે. ગંડક નદીમાં તણાઈ આવેલા સાત મૃતદેહો ઉત્તર પ્રદેશના કુશીનગર સુધી પહોંચ્યા છે.

2026માં નેપાળ-તિબેટ સરહદે થયેલી હોનારતમાં લાંગટાંગ લિરુંગ પર્વતમાળામાંથી એક વિશાળ ગ્લેશિયર અને પહાડનો ટુકડો તૂટી પડ્યો. આ કાટમાળે નદીનો પ્રવાહ રોક્યો. તેને લીધે બનેલો એક કામચલાઉ ડેમ ફાટતાં ત્રીસેક મિનિટમાં જ નદીનો સ્તર 30 ફૂટ વધી ગયો. બચવા માટે ત્રીસેક મિનિટ જ હતી, પણ લોકોને તેની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહીં ને જોખમ એકદમ જ વધી ગયું. 2 મિનિટમાં જ 600થી વધુ વ્યક્તિઓ તણાઈ ગઈ. લોકોને ખબર 7.30 વાગે પડી ને સરકારને જાગવાનું થયું 9.15 કલાકે. 6 લાખ લોકોને મેસેજ મળે એ પહલાં તો તબાહી મચી ગઈ હતી. અનેક રસ્તાઓ તૂટ્યા, નદીઓ ગાંડીતૂર થઈ. પુલો તૂટ્યા. તિબેટ બોર્ડર પાસે ખડકો અને ભારે કાટમાળ પડવાથી અનેક ગામો તણાઈ ગયાં. 50,000ની વસ્તીવાળું ત્રિશૂલી આખેઆખું માટીમાં જ દફન થઈ ગયું. નેપાળમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ જણાતા નથી. તેમને 6 ઈંચનું કાણું પાડીને પાઈપથી હવા પહોંચાડાતી હોવા છતાં અત્યાર સુધીમાં 768 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જો કે, 361 કર્મચારીઓને બચાવી લેવાયા છે તે પણ ખરું. એ પણ ખરું કે હિમાલય વિશ્વની સૌથી યુવા પર્વતમાળા છે, જે ભૂકંપ અને કુદરતી રીતે અત્યંત સંવેદનશીલ છે. ભારતમાં પણ કેદારનાથ ટ્રેજેડી થઈ ચૂકી છે અને હવે નેપાળ પર કુદરત રૂઠી છે. નીચાણવાળા જિલ્લાઓમાં ભારે તારાજી છે. હજારો લોકો બેઘર બન્યાં છે અને અબજોનું ઇન્ફ્રાસ્ટ્રકચર પરવારી ગયું છે. નેપાળમાં આવેલી આફતનું સૌથી મોટું કારણ તેની અણધારી ઝડપ હતી. ચીનની આગોતરી ચેતવણીના અભાવને કારણે લોકોને બચાવની કોઈ તક જ ન રહી. નેપાળનો વિનાશ ચીનની ગફલતનું જ પરિણામ છે, એને લીધે જ નેપાળમાં આખેઆખાં મકાનો, વાહનો, સ્કૂલો, પુલો વગેરે પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયાં છે. એ જ કારણે બચાવ કામગીરીમાં વિલંબ પણ થઈ રહ્યો છે.

રાહત કામગીરીમાં મદદ માટે ભારતે પણ હાથ લંબાવ્યો છે. 26 ઓગસ્ટે 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી ને 28મીએ રવાના થયેલ બીજી ફ્લાઈટમાં 37.5 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં ટેન્ટ, ધાબળા, કિચન સેટ, પાણી બહાર કાઢવાના પંપ, જનરેટર સેટ, દવાઓ તથા ખાદ્ય સામગ્રીઓ મુખ્ય છે. આ ઉપરાંત મદદની ત્રીજી ખેપમાં 12થી 13 ટન રાહત સામગ્રી મોકલવાની વાત પણ હતી.

કાલના સમાચાર એવા છે કે તિબેટમાં વધુ એક તળાવ ફાટ્યું છે ને બિહારમાં પૂરનું એલર્ટ અપાયું છે. નેપાળમાં પૂરની તારાજી તો ચાલુ જ છે, ત્યાં અતિભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. ચિંતા એ છે કે એથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ન વધે. અત્યારની સ્થિતિ એવી છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. આફત એકલી નથી આવતી, તે અનેક રૂપે એકસાથે આવે છે ને દોષિત, નિર્દોષનો ભેદ કર્યા વગર સૌ પર સમાન રીતે ત્રાટકે છે. એકતરફ એક દુર્ઘટનામાંથી ઉગરવાનું લંબાઈ રહ્યું છે, ત્યાં જળપ્રલયની વધુ એક ચેતવણી અપાતાં લોકોના જીવ પડીકે બંધાયાં છે.

પૂરમાં કાદવ કીચડમાં એક બાળકનો મૃતદેહ મળ્યો, તો પૂરમાં બે વર્ષનું બાળક જીવતું પણ બહાર આવ્યું. બીજા ઘણાંને લાચારીથી મોતને હવાલે થતાં જોઈ રહેવાનું પણ આવ્યું. આવી ઘટનાઓ સજીવ દેહને મૃતદેહમાં ફેરવી નાખતી હોય છે ને ત્યારે મનુષ્યની પામરતાનો જ અનુભવ થાય છે. આવામાં કરોડો રૂપિયા એક દેહને, મૃતદેહ બનતા રોકી શકતા નથી, એમાં જ ક્યારેક માનવતાનાં દર્શન પણ થાય છે. પૂરમાં તણાઈ આવેલાં ઘરેણાં ને અન્ય જ્વેલરી જેની હોય તેને લઈ જવા જાહેરાતો પણ થઈ છે, તો મૃતદેહ પરનું સોનું ચોરવાનું પણ ચુકાયું નથી. પૂરનાં પાણીમાં તણાઈ આવેલાં સિલિન્ડરોની લૂંટ પણ ચલાવાઈ. તણાઈ આવેલી તિજોરીમાંથી 92 લાખની રોકડ ચોરી જનારા લોકો પણ હતા. જો કે, પછી એ મામલે 29 જણાની ધરપકડ પણ કરવામાં આવી છે.

ક્યારેક ચમત્કારો પણ થતા હોય છે. જેમ કે, બસમાં સવાર કેટલાક ભારતીયો ચા પીવા રોકાયા ને સૌ બચી ગયા. ચારે બાજુ મોત ફેલાતું જતું હોય એવામાં એક માણસનું ધડ જમીનમાં હતું ને માથું બહાર હતું એવી વ્યક્તિ જીવી ગઈ. ટૂંકમાં, કુદરત રૂઠે છે તે પણ અનુભવાય છે, તો ક્યારેક એ જ કુદરત જીવ બચાવીને ન ધારેલો ચમત્કાર પણ સર્જે છે.

નેપાળની ઘટના પૂરેપૂરી માનવ સર્જિત નથી, પરંતુ તે કુદરતી પરિબળો અને માનવીય ભૂલોનું ઘાતક પરિણામ છે. એ ખરું કે આપત્તિની શરૂઆત ભલે કુદરતી હોય, તો પણ, ભયંકર વિનાશ પાછળ માનવસર્જિત પરિબળો જ જવાબદાર છે. પ્રદૂષણ, ઇંધણને લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ને તેમાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. આર્થિક લાભને માટે નદી કિનારે આડેધડ થતાં બાંધકામો, હોટેલો, રસ્તાઓ, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ … મોડુંવહેલું જાનમાલનું નુકસાન વધારે જ છે તે સમજી લેવાનું રહે. જંગલોનો નાશ અને આયોજન વગરનું શહેરીકરણ નદીઓના પ્રવાહને રોકે છે. આ બધી બાબતો ભેખડો ધસવાની પ્રક્રિયાને વધારે છે.

એટલું છે કે પર્વતો પરથી બરફનું તૂટવું કુદરતી પ્રક્રિયા છે, પણ માનવ સર્જિત પર્યાવરણીય નુકસાન મહાવિનાશને નોતરે છે. માણસ જાત પર આટલું વીતે છે, પણ કામચલાઉ રાહતો સિવાય કોઈ કાયમી ઉકેલ શોધાતો નથી. ઉદ્યોગો જરૂરી છે તેની ના જ નથી, પણ તે કુદરતને ભોગે થાય તો વિચારવું પડે. ઉદ્યોગો હિમાલય સુધી પહોંચે છે તો હિમાલય આપણે ઘર સુધી લાવવો છે? એક વસ્તુ સ્પષ્ટ છે કે કુદરત સાથેનાં ચેડાં કુદરત કદી માફ કરતી નથી. આટલી ઘટનાઓ પછી પણ આપણે નવી ઘટનાની રાહ જોઈએ છીએ ને વળી અસહ્ય યાતનાઓ વેઠવા તૈયાર રહીએ છીએ. આ બરાબર નથી. સાધારણ રીતે આપણે પોતાને છરી મારતાં નથી, પણ કુદરત સાથેની છેડછાડ આત્મહત્યાની જ ગરજ સારે છે. આપણે તો કારખાનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરો નાખીને હિમાલયને પણ ‘ગરમ’ કરવા નીકળ્યા છીએ. પછી એના ગ્લેશિયર્સ વહેલાં તૂટે તેમાં નવાઈ નથી. આપણને એ કલ્પના જ નથી કે હિમાલય પીગળે તો આપણી શી દશા થાય? નેપાળનાં 700 મૃત્યુ જોઇને અરેરાટી થતી હોય તો લાખો મૃત્યુને જોવાની આંખ છે આપણી પાસે? આપણે કેવળ આજનો નફો જોઈએ છીએ, પણ કાલની ખોટ જોતાં નથી. કુદરત તો ચેતવે જ છે, પણ આપણે ચેતવા કરતા ‘ચેતવા’માં વધારે માનીએ છીએ. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કુદરતે ઊભી કરી નથી. વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની ચેતવણીઓ અપાય છે, છતાં આપણે તે કાને ધરતાં નથી ને એનો કાયમી હલ ન શોધાય ત્યાં સુધી નેપાળ જેવી ઘટનાઓ રોકી શકાવાની નથી તે નક્કી છે …

હા, નેપાળની પાળ જ તૂટી ગઈ છે ને તે મહાવિનાશક પૂરમાં સપડાયું છે. બુધવારથી શરૂ થયેલી આપદામાં અત્યાર સુધીમાં 752 લોકોનાં મોત થયાં છે ને ૩,000 હજી સુધી ગુમ છે. 8,73૦ લોકોને બચાવી લેવાયાં છે. 15,000 સુરક્ષા દળો ને હેલિકોપ્ટરો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યાં છે. 320 ભારતીયોનો કોઈ પત્તો નથી, જેમાં ગુજરાતના પણ 25 લોકો ફસાયેલા છે. એમાં સુરતના પણ ત્રણ છે. એક ગ્લેશિયરનો 2,000 ફૂટ મોટો ટુકડો, 4,000 ફૂટ નીચે પડ્યો જેનાથી વિનાશક પૂર આવ્યું. તાજેતરમાં ભોટેકોશી અને લ્હેન્ડે નદીમાં હિમપ્રપાત, ભૂસ્ખલન અને કુદરતી બંધ તૂટવાને કારણે એટલું વિનાશક પૂર આવ્યું કે તેને કાબૂ કરવાનું બની શક્યું જ નહીં.

સાચું તો એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયનાં ગ્લેશિયર્સ (હિમશિલાઓ) ઝડપથી પીગળી રહ્યાં છે. સદીઓથી પહાડોને જકડી રાખતો બરફ ઢીલો પડવાથી પહાડો ખોખલા થઈ રહ્યા છે, પરિણામે મોટા પાયે હિમપ્રપાત અને ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. એ પણ છે કે તિબેટમાં આવેલી કુદરતી આફતને લીધે, નેપાળમાં થઈ તેથી વધુ ભયાનક સ્થિતિ ભારતની પણ થઈ શકે છે. ભારતની ત્રણ મોટી નદીઓ બ્રહ્મપુત્ર, સતલજ અને સિંધુ તિબેટમાંથી નીકળે છે. આમ તો હિમાલયથી નીકળતી કોઈ પણ નદીને લીધે મહાવિનાશક દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. નેપાળમાં બન્યું તે ઉત્તર ભારતમાં પણ શક્ય છે. ઉત્તરાખંડ જેવાં રાજ્યમાં તો આ જોખમ સૌથી વધુ છે. ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં આવું પૂર આવે તો શું થઈ શકે તેની કલ્પના જ ધ્રુજાવી દે એમ છે. નેપાળ હોનારતની અસરો ભારતમાં પણ દેખાવા માંડી છે. ગંડક નદીમાં તણાઈ આવેલા સાત મૃતદેહો ઉત્તરપ્રદેશના કુશીનગર સુધી પહોંચ્યા છે.

2026માં નેપાળ-તિબેટ સરહદે થયેલી હોનારતમાં લાંગટાંગ લિરુંગ પર્વતમાળામાંથી એક વિશાળ ગ્લેશિયર અને પહાડનો ટુકડો તૂટી પડ્યો. આ કાટમાળે નદીનો પ્રવાહ રોક્યો. તેને લીધે બનેલો એક કામચલાઉ ડેમ ફાટતાં ત્રીસેક મિનિટમાં જ નદીનો સ્તર 30 ફૂટ વધી ગયો. બચવા માટે ત્રીસેક મિનિટ જ હતી, પણ લોકોને તેની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહીં ને જોખમ એકદમ જ વધી ગયું. 2 મિનિટમાં જ 600થી વધુ વ્યક્તિઓ તણાઈ ગઈ. લોકોને ખબર 7.30 વાગે પડી ને સરકારને જાગવાનું થયું 9.15 કલાકે. 6 લાખ લોકોને મેસેજ મળે એ પહલાં તો તબાહી મચી ગઈ હતી. અનેક રસ્તાઓ તૂટ્યા, નદીઓ ગાંડીતૂર થઈ. પુલો તૂટ્યા. તિબેટ બોર્ડર પાસે ખડકો અને ભારે કાટમાળ પડવાથી અનેક ગામો તણાઈ ગયાં. 50000ની વસ્તીવાળું ત્રિશૂલી આખેઆખું માટીમાં જ દફન થઈ ગયું. નેપાળમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ જણાતા નથી. તેમને 6 ઈંચનું કાણું પાડીને પાઈપથી હવા પહોંચાડાતી હોવા છતાં અત્યાર સુધીમાં 768 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે, 361 કર્મચારીઓને બચાવી લેવાયા છે તે પણ ખરું. એ પણ ખરું કે હિમાલય વિશ્વની સૌથી યુવા પર્વતમાળા છે, જે ભૂકંપ અને કુદરતી રીતે અત્યંત સંવેદનશીલ છે. ભારતમાં પણ કેદારનાથ ટ્રેજેડી થઈ ચૂકી છે અને હવે નેપાળ પર કુદરત રૂઠી છે. નીચાણવાળા જિલ્લાઓમાં ભારે તારાજી છે. હજારો લોકો બેઘર બન્યાં છે અને અબજોનું ઇન્ફ્રાસ્ટ્રકચર પરવારી ગયું છે. નેપાળમાં આવેલી આફતનું સૌથી મોટું કારણ તેની અણધારી ઝડપ હતી. ચીનની આગોતરી ચેતવણીના અભાવને કારણે લોકોને બચાવની કોઈ તક જ ન રહી. નેપાળનો વિનાશ ચીનની ગફલતનું જ પરિણામ છે, એને લીધે જ નેપાળમાં આખેઆખાં મકાનો, વાહનો, સ્કૂલો, પુલો વગેરે પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયાં છે. એ જ કારણે બચાવ કામગીરીમાં વિલંબ પણ થઈ રહ્યો છે.

રાહત કામગીરીમાં મદદ માટે ભારતે પણ હાથ લંબાવ્યો છે. 26 ઓગસ્ટે 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી ને 28મીએ રવાના થયેલ બીજી ફ્લાઈટમાં 37.5 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં ટેન્ટ, ધાબળા, કિચન સેટ, પાણી બહાર કાઢવાના પંપ, જનરેટર સેટ, દવાઓ તથા ખાદ્ય સામગ્રીઓ મુખ્ય છે. આ ઉપરાંત મદદની ત્રીજી ખેપમાં 12થી 13 ટન રાહત સામગ્રી મોકલવાની વાત પણ હતી.

કાલના સમાચાર એવા છે કે તિબેટમાં વધુ એક તળાવ ફાટ્યું છે ને બિહારમાં પૂરનું એલર્ટ અપાયું છે. નેપાળમાં પૂરની તારાજી તો ચાલુ જ છે, ત્યાં અતિભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. ચિંતા એ છે કે એથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ન વધે. અત્યારની સ્થિતિ એવી છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. આફત એકલી નથી આવતી, તે અનેક રૂપે એકસાથે આવે છે ને દોષિત, નિર્દોષનો ભેદ કર્યા વગર સૌ પર સમાન રીતે ત્રાટકે છે. એકતરફ એક દુર્ઘટનામાંથી ઉગરવાનું લંબાઈ રહ્યું છે, ત્યાં જળપ્રલયની વધુ એક ચેતવણી અપાતાં લોકોના જીવ પડીકે બંધાયાં છે.

પૂરમાં કાદવ કીચડમાં એક બાળકનો મૃતદેહ મળ્યો, તો પૂરમાં બે વર્ષનું બાળક જીવતું પણ બહાર આવ્યું. બીજા ઘણાંને લાચારીથી મોતને હવાલે થતાં જોઈ રહેવાનું પણ આવ્યું. આવી ઘટનાઓ સજીવ દેહને મૃતદેહમાં ફેરવી નાખતી હોય છે ને ત્યારે મનુષ્યની પામરતાનો જ અનુભવ થાય છે. આવામાં કરોડો રૂપિયા એક દેહને, મૃતદેહ બનતા રોકી શકતા નથી, એમાં જ ક્યારેક માનવતાનાં દર્શન પણ થાય છે. પૂરમાં તણાઈ આવેલાં ઘરેણાં ને અન્ય જ્વેલરી જેની હોય તેને લઈ જવા જાહેરાતો પણ થઈ છે, તો મૃતદેહ પરનું સોનું ચોરવાનું પણ ચુકાયું નથી. પૂરનાં પાણીમાં તણાઈ આવેલાં સિલિન્ડરોની લૂંટ પણ ચલાવાઈ. તણાઈ આવેલી તિજોરીમાંથી 92 લાખની રોકડ ચોરી જનારા લોકો પણ હતા. જો કે, પછી એ મામલે 29 જણાની ધરપકડ પણ કરવામાં આવી છે.

ક્યારેક ચમત્કારો પણ થતા હોય છે. જેમ કે, બસમાં સવાર કેટલાક ભારતીયો ચા પીવા રોકાયા ને સૌ બચી ગયા. ચારે બાજુ મોત ફેલાતું જતું હોય એવામાં એક માણસનું ધડ જમીનમાં હતું ને માથું બહાર હતું એવી વ્યક્તિ જીવી ગઈ. ટૂંકમાં, કુદરત રૂઠે છે તે પણ અનુભવાય છે, તો ક્યારેક એ જ કુદરત જીવ બચાવીને ન ધારેલો ચમત્કાર પણ સર્જે છે.

નેપાળની ઘટના પૂરેપૂરી માનવ સર્જિત નથી, પરંતુ તે કુદરતી પરિબળો અને માનવીય ભૂલોનું ઘાતક પરિણામ છે. એ ખરું કે આપત્તિની શરૂઆત ભલે કુદરતી હોય, તો પણ, ભયંકર વિનાશ પાછળ માનવસર્જિત પરિબળો જ જવાબદાર છે. પ્રદૂષણ, ઇંધણને લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ને તેમાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. આર્થિક લાભને માટે નદી કિનારે આડેધડ થતાં બાંધકામો, હોટેલો, રસ્તાઓ, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ … મોડુંવહેલું જાનમાલનું નુકસાન વધારે જ છે તે સમજી લેવાનું રહે. જંગલોનો નાશ અને આયોજન વગરનું શહેરીકરણ નદીઓના પ્રવાહને રોકે છે. આ બધી બાબતો ભેખડો ધસવાની પ્રક્રિયાને વધારે છે.

એટલું છે કે પર્વતો પરથી બરફનું તૂટવું કુદરતી પ્રક્રિયા છે, પણ માનવ સર્જિત પર્યાવરણીય નુકસાન મહાવિનાશને નોતરે છે. માણસ જાત પર આટલું વીતે છે, પણ કામચલાઉ રાહતો સિવાય કોઈ કાયમી ઉકેલ શોધાતો નથી. ઉદ્યોગો જરૂરી છે તેની ના જ નથી, પણ તે કુદરતને ભોગે થાય તો વિચારવું પડે. ઉદ્યોગો હિમાલય સુધી પહોંચે છે તો હિમાલય આપણે ઘર સુધી લાવવો છે? એક વસ્તુ સ્પષ્ટ છે કે કુદરત સાથેનાં ચેડાં કુદરત કદી માફ કરતી નથી. આટલી ઘટનાઓ પછી પણ આપણે નવી ઘટનાની રાહ જોઈએ છીએ ને વળી અસહ્ય યાતનાઓ વેઠવા તૈયાર રહીએ છીએ. આ બરાબર નથી. સાધારણ રીતે આપણે પોતાને છરી મારતાં નથી, પણ કુદરત સાથેની છેડછાડ આત્મહત્યાની જ ગરજ સારે છે. આપણે તો કારખાનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરો નાખીને હિમાલયને પણ ‘ગરમ’ કરવા નીકળ્યા છીએ. પછી એના ગ્લેશિયર્સ વહેલાં તૂટે તેમાં નવાઈ નથી. આપણને એ કલ્પના જ નથી કે હિમાલય પીગળે તો આપણી શી દશા થાય? નેપાળનાં 700 મૃત્યુ જોઇને અરેરાટી થતી હોય તો લાખો મૃત્યુને જોવાની આંખ છે આપણી પાસે? આપણે કેવળ આજનો નફો જોઈએ છીએ, પણ કાલની ખોટ જોતાં નથી. કુદરત તો ચેતવે જ છે, પણ આપણે ચેતવા કરતા ‘ચેતવા’માં વધારે માનીએ છીએ. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કુદરતે ઊભી કરી નથી. વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની ચેતવણીઓ અપાય છે, છતાં આપણે તે કાને ધરતાં નથી ને એનો કાયમી હલ ન શોધાય ત્યાં સુધી નેપાળ જેવી ઘટનાઓ રોકી શકાવાની નથી તે નક્કી છે. …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑગસ્ટ 2026

Loading

31 August 2026 Vipool Kalyani
← ‘ના, હું પોતાની આત્મકથા ખુદ કહીશ!’
ઍન ફ્રૅન્ક સાથેનો નાતો   →

Search by

Opinion

  • ઍન ફ્રૅન્ક સાથેનો નાતો  
  • ‘ના, હું પોતાની આત્મકથા ખુદ કહીશ!’
  • ઇથેનોલની મહત્ત્વાકાંક્ષા અને ચૂંટણીનું ગણિતઃ ખાંડની કડવાશની જવાબદારી કોની?
  • રાહુલ ગાંધીનું મનુસ્મૃતિ વિમર્શ
  • ચલ મન મુંબઈ નગરી—356

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved