પાંચ દીકરાના બાપને કોઈ પૂછે
તમારે કેટલા દીકરા ?
તો કહે ચાર.
તો પેલા ત્રીજા ને કેમ ભૂલી જાવ છો ?
એવો કોઈ પેટા પ્રશ્ન કરે, તો કહે
કે, એ કવિ થઈ ગયો છે.
આ હતી
કવિઓની મજાક ઉડાવવાની
જૂની જોક.
આજે કોઈ ત્રણ દીકરાના બાપને પૂછે
તમારે કેટલા દીકરા ?
તો કહે, બે
તો પેલા વચલાને કેમ ભૂલી જાવ છો ?
એવો કોઈ પેટા પ્રશ્ન કરે, તો કહે
કે, એ તો કોમવાદી થઈ ગયો છે.
આ જોક નથી.
"રામકૃપા", ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા જિલ્લો-અમરેલી