‘એમ ને એમ નથી પહોંચ્યા …'
શું બળી મરો છો ?
જરાક તો દયા કરો એમની,
એમ ને એમ નથી પહોંચ્યા, છે…ક ઉપર !
ક્યારનાય મથે છે બાપડા.
સીધી બહુમતી તેને જઈ વરે,
જે લોહીથી લથબથ ન્હાય …
એમણે ગાંધીની હત્યાને
કંસ કે રાવણ સાથે જોડી ‘ગાંધીવધ’ ગણાવ્યો’તો,
ત્યારના મથે છે બાપડા !
ફલાણાજી, ઢીંકણાજી, ઠીકરાજી ખૂબ મથ્યા,
પણ મેળ ન પડ્યો તે ન જ પડ્યો.
પછી શ્યામજી કૃષ્ણવર્માનાં અસ્થિ શોધી કાઢ્યાં
શ્યામજી કરતાંય વધુ મોટ્ટા ફોટા પોતાના માંડવીએ મુકાવ્યા !
દોઢસો વર્ષ પછી વિવેકાનંદનેય મદદે બોલાવ્યા,
પણ ત્યાં ‘રામકૃષ્ણમિશન’નો ‘મિશન’ શબ્દ નડ્યો,
તે વિવેકાનંદને મિશનમાંથી કાઢી ‘કેન્દ્ર’માં પૂર્યા !
સંઘ પર પાબંદી મૂકનાર સરદારની કરોડીમલ મૂર્તિ
શરૂ કરી,
‘વર્શિપિંગ ફૉલ્સ ગૉડ’ લખનાર અરુણ શૌરી
અને આંબેડકરવાદીઓને
એક જ પાટલીએ બેસાડ્યા
‘મૈં નાસ્તિક ક્યું હુઁ ?’ લખનાર શહીદ ભગતસિંહને
પાઘડીવાળા ‘સરદાર’ બનાવ્યાં,
કેટકેટલું મથ્યા છે !
અક્ષરધામ હોય કે ઇશરતકાંડ
બધે જ વણઝારાબ્રાન્ડ ઍન્કાઉન્ટર્સથી લાશો ઢાળી છે
એમ ને એમ નથી પહોંચ્યા કંઈ છે…ક ઉપર …
એ.સી. ટૉયોટોવાનમાં રથયાત્રાઓ કાઢી,
સોમનાથથી બાબરી,
ભારત રમણભ્રમણ કર્યું
લાશોના ઢગલા પર દોડતો-દોડતો રથ પહોંચાડ્યો છેક અયોધ્યા …
માત્ર મસ્જિદ નથી પાડી,
મા રાષ્ટ્રભારતીએ મુરલી પર મનોહર નાચ કર્યો હતો …
અશોકના કલિંગવિજયની જેમ
એમ ને એમ નથી પહોંચ્યા, છે…ક ઉપર
કેટકેટલું મથ્યા છે !
પછી ઓબામાસાયેબનો જયજયકાર કરાવનાર વિદેશી
કંપની ભાડે રાખી,
છેવટે ‘વિકાસ’ને જ આગળ ધર્યો,
ત્યારે થયો છે ગ્લોબલ હિન્દુત્વનો
જયજયકારો.
સંસદને વંદન કરે
અદાણી-અંબાણી-ટાટાને ચંદન ઘુરે
પછી ભલેને
આવે
અબ કી બાર, મોંઘી સરકાર.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2014