અાપણને પરિવારની ત્યારે જ કદર થાય છે, જ્યારે અાપણે તેનાથી અળગાં પડી, દુનિયાના કોઈક ગાંડાં ટોળાંમાં એકલાં અટૂલાં અટવાયાં હોઈએ છીએ. વટવૃક્ષ હેઠળ, એશઅારામદાયી સુખસગવડો એક દા મળતી, તેનાથી વંચિત બનેલા ભારતના અા બિનરહેવાસીઅોમાં, સામાન્યપણે, અને બિનરહેવાસી ભારતીય (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ) ગુજરાતીઅોમાં, ખાસ કરીને, અોળખની સંક્રમણતાના અાવિર્ભાવની લાગણીઅો સતત જોવાની સાંપડે છે. સમાજ તો છેવટે પરિવારોના વિસ્તાર માત્રનો બનેલો છે ને.
અાપણને પરિવારની ત્યારે જ કદર થાય છે, જ્યારે અાપણે તેનાથી અળગાં પડી, દુનિયાના કોઈક ગાંડાં ટોળાંમાં એકલાં અટૂલાં અટવાયાં હોઈએ છીએ. વટવૃક્ષ હેઠળ, એશઅારામદાયી સુખસગવડો એક દા મળતી, તેનાથી વંચિત બનેલા ભારતના અા બિનરહેવાસીઅોમાં, સામાન્યપણે, અને બિનરહેવાસી ભારતીય (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ) ગુજરાતીઅોમાં, ખાસ કરીને, અોળખની સંક્રમણતાના અાવિર્ભાવની લાગણીઅો સતત જોવાની સાંપડે છે. સમાજ તો છેવટે પરિવારોના વિસ્તાર માત્રનો બનેલો છે ને.
અાવા જ કોઈક ઉગમસ્થાને, અારંભથી, બેચેનીનો ભાવ પ્રગટ થતો રહે છે. અા બિનનિવાસી ભારતીયોની ખરી અોળખ માટેની દ્વિધા બાબતની અા મૂંઝવણ છે. તે ભારતીય છે કે અમેિરકન ? – અાવો કોયડો તેમને સતાવતો રહે છે. અાટલી જ ફક્ત પરેશાની નથી. અા સંકટ, વળી, થોડે અંશે તિલક મૈસૂરમાં અથવા વહીવટી તંત્રમાંનાં ઋતુ દવેમાં, સમાજશાસ્ત્રી પ્રાદ્યાપક પ્રવીણ શેઠમાં, અાઈ.બી.એમ. સાથે સંકળાયેલા ડૉ. સી. મોહન સરીખાં ઉચ્ચ ગુણવત્તાવાળા માહિતી પ્રૌદ્યોગવિદ્દોમાં ય જોવા મળે છે. અા બધું સિલિકૉન વેલીના નાભિકેન્દ્ર સમા સાન હૉસેનું ચિત્ર છે. સ્વ અાધારે વેપારવણજના હામી બનેલા ત્રીસેક વર્ષ અગાઉ અમેરિકા ઠરીઠામ થવા અાવેલા હરેન્દ્ર રાવતમાં, કે પછી, કમ્પ્યૂટરમાં જીવન બનાવવા એક દાયકા પહેલાં અાવેલાં બીના ભટ્ટમાં અા વિશેષપણે જોવાજાણવા મળે છે. રાવત તો ખરેખાત ભારતીય મનોવૃત્તિ ધરાવે છે અને પાકિસ્તાનની બનાવટની કોઈ પણ સાધનસામગ્રીઅોને હાથ અડકાવવા માગતા જ નથી. તેના મિત્ર અને કમ્પ્યૂટર નિષ્ણાત બીનાના પતિ, રાજ પટેલે તો પોતે અાઠ મહિનાના જ હતા ત્યારે ગુજરાત છોડેલું. તે ભાગ્યે જ હિન્દી બોલી શકે છે અને ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી બોલે છે. અને અાવું છતાં, તેમનામાં ગુજરાતી ખાણીપીણીનો પીલો ફૂટેલો જ જોઈ લો; પોતાનાં ભાણામાં તેમને તીખું તમતમતું મરચું જોઈએ તે જોઈએ. અા દરેકના હૃદયમાં અને માનસપટે ભારત વિશેનું લોહી ધબક્યા કરે છે. ઊંચે અાકાશમાં ત્રિરંગો ફરકતો જુએ કે તરત તો સૌ ટટ્ટાર ઊભાં થઈ જાય છે, તેમની અાંખોમાં ચમક અાવી જાય છે અને પછી તેમના હોઠો પર ‘જનગણ મન …’નું રાષ્ટૃગાન ગૂંજતું થાય છે.
શારીરિકપણે તે સૌએ ભારત છોડયું છે, પરંતુ પોતાના રુદિયામાંથી તેમણે ભારતને જવા દીધું જ નથી.
બિનનિવાસી ભારતીયો સાથે થયેલી અલપઝલપ વાતચીત દરમિયાન તે સૌમાં ઊંડા મનઉતારાનું ભૂત ભમ્યા કરતું ભાળ્યું. વિશ્વામિત્રની પેઠે તેમને ય હતું કે તો સૌ નૂતન સ્વર્ગમાં વિચરશે, પરંતુ હવે તે સૌ નહીં અહીંના, નહીં તહીંના, એવા ત્રિશંકુ બની રહ્યાં હોય, તેવો ભાવ અનુભવે છે. જ્યારે અમેિરકા અાવેલી અા બિનનિવાસી ભારતીયોની પહેલી પેઢી અને અમેિરકામાં જન્મેલી બીજી પેઢી વચ્ચે જુદી જુદી સમજણવાળી અોળખ બાબતના સંકટ અંગે તનાવ જાગે છે, ત્યારે ખરાખરીની ખરાબ હાલત ખડી થાય છે.
બિનનિવાસી ભારતીયોની પહેલી પેઢીને તો પોતે ક્યાંથી અાવ્યા છે તેની જાણકારી છે, અને તેઅો સંપૂર્ણપણે ભારતીયો જ છે તેમ તેઅો સ્પષ્ટતાપૂર્વક માને છે. અમેરિકન જીવનમાં તેઅો ગોઠવાવાનો પ્રયાસ કરી રહેલાં છે. અને પિત્ઝા અને પાસ્તાની જગ્યાએ દાળ, ભાત તેમ જ કઢીથી તેમને સોદરી વળે છે. અવિનાશ વ્યાસે સંગીતબદ્ધ કરેલું, ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ વિભા અને રાસબિહારી દેસાઈનાં સ્વરમાં સાંભળે છે અને તે પૂરા ભક્તિભાવે ડોલતાં થઈ જાય છે. પંકજ ઉધાસ ગાતા હોય : ‘ચિઠ્ઠી અાઈ હૈ … ‘ તો તરત લગોલગ ગાતાં થઈ જાય છે. રાષ્ટૃગીતો ગવાતાં હોય ત્યારે તે અાંખોમાં ભરેલી ચમક સાથે ગૌરવભેર કદમ મિલાવતાં ચાલે છે. સચિન તેન્દુલકર જ્યારે કોઈ પાકિસ્તાની બૉલરને દડે દોડીને અાકાશે જઈ અડે તેવો છક્કો લગાવે છે ત્યારે જોરશોરથી વધામણી ગાય છે. અને મુંબઈ કે ગાંધીનગરમાં કોઈ અાતંકવાદી બીચારાં નિર્દોષ લોકોની હત્યા કરે છે ત્યારે તે રડી પડે છે. અા પહેલી પેઢીનાં હૃદયમાં ભારત ધબકી રહ્યું છે.
અા જ પ્રજાસમૂહની બીજી અને ત્રીજી પેઢીઅોનું અાવું વલણ લગીર નથી. યુવાનો રામભરોસે ઘસડાતા રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મ થયો છે છતાં તે મુલકના સમાજ જોડે પૂરા સમરસ બની શકેલા નથી. ગૌણ સંસ્કૃિતનાં અા ફરજંદોનો અમેરિકન સમાજને પણ સ્વીકાર નથી. અામ તેઅો અોળખ અંગેના અપશુકનિયાળ એવા બે તરફી સંકટના ભોગ બની ગયેલા છે. વિવાહપ્રસંગો સિવાય તમને અાનાં ચોખ્ખાં ઉદાહરણો નહીં જડે. છોકરાઅોને પોતાના જે મનમાં છે તેવું પાત્ર અમેરિકામાંથી જડવું મુશ્કેલ છે. તેઅો ઈચ્છે છે કે તેમને અમેિરકન છોકરીઅોની પેઠે અાધુનિક કન્યા સાંપડે અને પાછું ભારતમાં જન્મી તેમની માતાઅોની પેઠે તે અાજ્ઞાંકિત પણ હોય, તેમ જોઈએ છે. તે લોકો સરિયામ ભૂલી જાય છે કે ભારતમાં જન્મી માતાઅો અોછી અાધુનિક છે અને વધુ પ્રમાણમાં અાજ્ઞાંકિત છે.
બીજી પાસ, બિનનિવાસી ભારતીયોની છોકરીઅોને તેમના પિતાની જેમ સમૃદ્ધ અને અાબાદ અને અમેરિકનોની જેવા અાધુનિક વર જોઈએ છે. પરંતુ અાવું વાસ્તવમાં સંભવ નથી. પરિણામે, મારા જેવા બહારનાને તો અા બિનનિવાસી ભારતીય સમાજમાં ભારે મોટી મૂંઝવણ હોય તેમ લાગે છે. પોતાના વતન માટેનો પ્રેમ દાખવવા પહેલી પેઢી ભારત જતીઅાવતી હોય છે. વળી, તેમની બીજી પેઢીના સંતાનો માટે, દીકરાઅો સારુ, શુદ્ધ દેશી છોકરીઅોની તેમને ખોજ પણ હોય છે. અાવી છોકરીઅો અાધુનિક પણ હોય અને અાજ્ઞાંકિત પણ હોય. જો કે અા મુશ્કેલ કોયડો છે. જ્યારે તેમની દીકરીઅો માટે તેઅો દેખાવડા વરની શોધમાં રહે છે, કે છેવટે તે ઘર જમાઈ બનીને અાવે. અા તો એથી પણ વધારે મુશ્કેલ કોયડો છે.
કયો સમાજ વધુ વહાલો થવાનો છે તેવી અાછીપાતળી સમજની વ્યક્તિગત પસંદગીમાંથી અા ધર્મસંકટ પેદા થાય છે, તેમ મોટા ભાગના લોકો માને છે; પરંતુ તે બીના જ કરુણાજનક છે. ભાઈ મારા, અા તો મૂળ પાયામાં મૂળગામી ફેરફારો અાવી રહ્યા છે તેની ચાડી જ માત્ર છે. એક તરફે ગરવી અને ઘરડી ગુજરાત અને બીજી બાજુએ તેમની અા વિદેશી અોલાદ વચ્ચેના અા સંબંધોને લાગેલા પલીતાની અા વાત છે.
અા બાબત વિશે જો ઝાઝું ધ્યાન નહીં અાપવામાં અાવે તો ડાયસ્પોરા ખાતે ગુજરાતીઅો વેરણછેરણ થઈ જશે અને વતનથી સરિયામ વિખૂટા પડી જશે. ભૂતકાળમાં અાવા અાવા બનાવો બન્યા હોવાનું ઇતિહાસમાં અનેક વાર નોંધાયું છે. વેસ્ટ ઈન્ડીઝ ટાપુઅોના ઘણાં રહેવાસીઅોનાં નામ ભારતીય હોવાનું ભાસે છે, પરંતુ તે તદ્દન ખોવાઈ ગયેલા બિનનિવાસી ભારતીયો છે. અાવું ફિજીમાં, મોરેશિયસમાં, દક્ષિણ અાફ્રિકામાં, ઝિમ્બાબ્વેમાં અને બીજા દેશોમાં બનેલું જ છે.
અાનું એક શિષ્ટ ઉદાહરણ શ્રીલંકા માંહેના સિંહાલી વસવાટીઅોનું છે. ભગવાન બુદ્ધનાં અંતેવાસી સંઘમિત્રા સંગાથે ઉડિસ્સા અને બિહારમાંથી ગયેલા પ્રજાસમૂહના તેઅો વંશજો જ છે. તે મૂળ તમિળ પ્રજા સાથે યુદ્ધે ચડેલી પ્રજા છે.
છેક ૧૯૪૬ના અરસામાં લખાયેલા એક નિબંધમાં, ‘૧૯૮૪’ અને ‘એનિમલ ફાર્મ’ જેવી ભાવિસૂચક નવલકથાના રચયિતા જ્યોર્જ અૉરવેલે લખેલું, સંસ્કૃિતની પ્રથમપહેલી ચોકી તો ભાષા છે. જ્યારે પારકી અસર ત્રાટકે છે, ત્યારે સંસ્કૃિત તાબે થાય તે પહેલાં તો ભાષાનું અવમૂલ્યન થઈ જ બેસે છે.
મોટે ભાગે ભાગ્યે જ દેખાતા પ્રવાહો, ભૂગર્ભ માંહેના પ્રવાહો, અાપણને ચેતવણી અાપતા જ હોય છે. અાપણે લોકો બહુધા તેની દરકાર કરતા નથી અને તેને ધ્યાનમાં લેતા નથી. બધી જ રીતે ચિરંતન અને વૈજ્ઞાનિક રીતે વિકાસ પામેલી સંસ્કૃત ભાષાનું સંતાન ગુજરાતી ભાષા છે તે નોંધવું જ રહ્યું. સંસ્કૃત તો સર્વાંગ રસાળ છે, પરંતુ અાપણે તો ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોની ગોટપીટ કરી મેલીએ છીએ અને પછી ‘ગુજલીશ’ નામે અર્થહીન બકવાસ ઊભો કરીએ છીએ. યુનાઇટેડ સ્ટેટ્સ માંહેની ગુજરાતી અાલમની બીજી અને ત્રીજી પેઢીઅો તેમના વારસાની ભાષા શીખવા લગીર રાજી નથી કેમ કે અમેિરકાના વેપારવણજ જીવનમાં ગુજરાતીનો કોઈ જ વપરાશ નથી.
અાવું છતાં, કેટલાકોને ભૂખરાં વાદળોની કોરેમોરે અાછેરી રૂપેરી ઝાંય જોવા મળે છે. પરંતુ અા તો નરી ભમરાળ જ છે. ગુજરાતીઅોના સંતાનો અાકૂળવ્યાકૂળ છે કેમ કે અમેરિકાનો બહોળો વર્ગ તેમને સાચા અમેરિકનો તરીકે સ્વીકાર કરતો નથી. અને તે ખુદ પોતાના માવતરની પેઠે ગૌણ સંસ્કૃિતનાં સંતાનો તરીકે ય અોળખાવા માગતાં નથી. અાવી સંસ્કૃિત અહીં ‘મોટેલિયન’ સંસ્કૃિત તરીકે જાણીતી છે. કેટલાક અામાં તંદુરસ્ત ચિહ્નો જુએ છે, પરંતુ હકીકતે તો અા તદ્દન સ્વાદવિહોણું ઊંધિયું જ જોઈ લો, જેમાં મરચું ય નથી અને બીજા તેજાના અને મસાલા ય નથી.
ટૂંકામાં અા લોકો બે ય જગતનું સાંચવવા ઘમસાણ અાદરે છે. વર્ષગાંઠની ઉજવણી સારુ બે ય હાથમાં લાડુ રાખે છે : શનિવારે સાંજે ‘ચીકન પાર્ટી’ની મહેફિલ લગાવે છે અને રવિવારે ‘સત્યનારાયણની કથા’ માંડે છે. અને ભાઈ સાહેબ, કરુણતા તો જુઅો : વ્યક્તિગત ધોરણે સંસ્કૃિતઅોનો ખીચડો જ જાણે કે રંધાતો જોવા પામીએ છીએ. અા લોકો રવિવારે જ મુર્હૂત શોધી કાઢી ત્યાં લગી લગ્ન અને અંતિમક્રિયાને રોકી પાડે છે કેમ કે બજારમાં ખરીદીએ જવાની તેમની વાંશિક જરૂરિયાતો ખોરંભે ન પડે.
અાને કારણે ભગવાનના એજન્ટોની તેમ જ વાંશિક મૂલ્યોના સ્વ-નિયુક્ત સંત્રીઅોની બોલબાલા વધી પડી છે. વળી, તેમનાં ઊંડા ખિસ્સાંને પરવડે તેમ, જોઈએ તેટલા પર્વોની ઉજવણી પણ કરે છે. તેઅો બીજા બારતીયોની જોડાજોડ ગરબા પણ ગાય છે, દુર્ગાપૂજા અને અૉનમ વખતે નાચે પણ છે, તેમ શિવરાત્રીની પૂજાઅર્ચના ય કરે છે અને હોળી પણ પ્રગટાવે છે.
લાંબી દોટે અા તો સાંસ્કૃિતક અંધારામાં ગોથાં ખાવાનો જ ઘાટ છે. અા મહાભયંકર સાંસ્કૃિતક સંકટ છે.
(મૂળ અંગ્રેજી પરથી : વિપુલ કલ્યાણી)
સૌજન્ય : “ઓપિનિયન”, 26 મે 2010; પૃ. 20-21