ચાર મહિના પૂર્વે, ગયા એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે પી.એમ. કેર્સની કાયદેસરતા સામેની રિટ નકારીને આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમ છતાં પ્રશાંત ભૂષણની સંસ્થા સેન્ટર ફેર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને કેટલાક નવા મુદ્દાઓ સાથે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી હતી. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં તેની વિરુદ્ધમાં ચુકાદો આપીને તેના અગાઉના વલણની પુષ્ટિ કરી તેનાથી કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ.
કુદરતી આફ્તો, અકસ્માત, દુર્ઘટના વગેરેમાં દેશવાસીઓને મદદ કરવા ૧૯૪૮થી વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતકોશ અમલમાં છે. વર્તમાન સરકાર પણ અત્યાર સુધી તેનો જ ઉપયોગ કરતી હતી, પરંતુ કોરોના મહામારીના આરંભે જ નવું ફ્ંડ ઊભું કરવામાં આવ્યું. પી.એમ. કેર્સ અર્થાત્ ‘પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન’ નામક આ ફ્ંડનું રજિસ્ટ્રેશન ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ એક જાહેર ધર્માદા ટ્રસ્ટ તરીકે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ઉપરાંત ગૃહ, નાણાં અને સંરક્ષણ મંત્રાલયના કેબિનેટ મંત્રીઓ તેના ટ્રસ્ટ્રીઓ છે. દેશમાં જ્યારે આ પ્રકારનો રાષ્ટ્રીય રાહતકોશ પહેલાંથી જ હોવા છતાં નવાની જરૂર કેમ ઊભી થઈ તે બાબતે ભારે ઊહાપોહ થયો. સ્થાપનાના પાંચ જ દિવસમાં પી.એમ કેર્સને રૂ. ૩૦૭૬.૬૨ કરોડનું માતબર ફ્ંડ મળ્યું અને તેમાં દેશના જાહેર ક્ષેત્રના ૩૮ ઉપક્રમોનો ફળો રૂ. ૨૧૦૫ કરોડ જેટલો મોટો હતો. પી.એમ. કેર્સનો સમાવેશ માહિતી અધિકારના કાયદામાં થતો નથી અને તેનું ઓડિટ ‘કેગ’મારફ્ત કરી શકાતું નથી તેથી તેની ગોપનીયતા અને પારદર્શિતા અંગે સવાલો ઊઠયા.
સર્વોચ્ચ અદાલતે પી.એમ. કેર્સની વૈદ્યતા સામેની રિટ કાઢી નાંખી તે પછી પી.એમ. કેર્સમાં જમા ફ્ંડ એન.ડી.આર.એફ.માં તબદીલ કરવા દાદ માંગવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ ૪૬(૧)માં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફ્ંડ(એન.ડી.આર.એફ.)ની રચનાની જોગવાઈ છે. આ એક સરકારી ફ્ંડ હોવાથી તેમાં થયેલી આવક-જાવકની આર.ટી.આઈ. હેઠળ માહિતી માંગી શકાય છે અને તેનું ઓડિટ પણ ‘કેગ’ કરે છે. આ કારણથી આ ફ્ંડ વધુ વિશ્વસનીય છે. તેના હિસાબોની માહિતી જાહેર કરવી પડે છે અને સરકારી ઓડિટના નિયમો તેને લાગુ પડે છે. તેથી પી.એમ. કેર્સ જેવા અપારદર્શી નિધિ કરતાં એન.ડી.આર.એફ. વધુ યોગ્ય છે. જ્યારે આવી માંગ ઊઠી ત્યારે જ દેશને જાણવા મળ્યું કે પંદર વરસ પહેલાં રચના થયા છતાં કેન્દ્રની યુ.પી.એ. અને એન.ડી.એ. સરકારોએ એન.ડી.આર.એફ.ની કોઈ વિધિવત્ રચના જ કરી નથી! તેને થોડું સરકારી ફ્ંડ મળતું હતું પરંતુ લોકો પાસેથી કોઈ ડોનેશન મળે તેવી વ્યવસ્થા જ સરકારોએ આટલાં વરસોથી ઊભી થવા દીધી નહોતી. હવે છેક જૂન મહિનામાં ભારત સરકારે એન.ડી.આર.એફ.નું બજેટ હેડ માંગ્યું છે અને દાનની પ્રક્રિયાને મંજૂરી આપી છે.
જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ખંડપીઠે તેના પંચોતેર પાનાંના ચુકાદામાં પી.એ.મ કેર્સનાં નાણાં એન.ડી.આર.એફ.માં ટ્રાન્સફર કરવાની માંગણી ફ્ગાવી દીધી છે. અદાલતે કહ્યું છે કે આ બંને ફ્ંડ અલગ છે. પી.એમ. કેર્સ એક સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ છે એટલે તેમાં એકત્ર થયેલી રકમ સરકારી ફ્ંડ એવા એન.ડી.આર.એફ.માં તબદીલ થઈ શકે નહીં. સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટને આર.ટી.આઈ.ના દાયરામાં પણ લાવી શકાય નહીં કે તેનું ‘કેગ’ મારફ્ત ઓડિટ પણ થઈ શકે નહીં. અદાલતના આ ચુકાદાને પી.એમ. કેર્સના તરફ્દારો અને ખુદ સરકાર મોટો વિજય ગણે છે ૧૮મી ઓગસ્ટના રોજ ચુકાદો જાહેર થયો કે તુરત જ કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જાહેર કર્યું હતું કે પી.એ.મ કેર્સમાંથી રૂ. ૨,૦૦૦ કરોડ ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સ માટે, રૂ. ૧,૦૦૦ કરોડ સ્થળાંતરિત કામદારો માટે અને રૂ. ૧૦૦ કરોડ કોવિડ-૧૯ની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે. જો કે રૂ.૩,૧૦૦ કરોડની આ ફાળવણીની વિગતવાર માહિતી આપવામાં આવતી નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પી.એમ. કેર્સ વિરુદ્ધનો સઘળો વિવાદ હવે સમાપ્ત થઈ જશે એમ લાગતું નથી. હા, હવે તેની સામેનો અદાલતી ન્યાયનો માર્ગ કદાચ બંધ થઈ ગયો છે. અદાલત કહે છે, અને તે સાચું પણ છે કે પી.એમ. કેર્સ એક ચેરિટેબલ ટ્રસ્ટ્ર છે અને તેને સરકાર સાથે કોઈ સંબંધ નથી. પરંતુ શું કોઈ ટ્રસ્ટનું સરનામું દિલ્હીના પ્રધાનમંત્રી કાર્યાલયનું હોઈ શકે? આટલો વિશેષાધિકાર કોઈ અન્ય ટ્રસ્ટને મળી શકે ખરો? જો પી.એમ. કેર્સને સરકાર સાથે સંબંધ ન હોત તો તેની રચનાની જાણ કરતી પ્રેસનોટ સરકારી સંસ્થા પ્રેસ ઈન્ફેર્મેશન બ્યૂરો દ્વારા માધ્યમોને મળી શકે ખરી? દેશનાં કેટલાં ટ્રસ્ટોને આવી સગવડો મળે છે? જો પી.એમ. કેર્સમાં કશું છુપાવવા જેવું નથી તો તેની કાર્યપ્રણાલીમાં આટલી ગોપનીયતા શા માટે છે? પી.એમ. કેર્સને જે ઝડપે આવકવેરામાંથી મુક્તિ અને એફ.સી.આર.એ. નંબર મળ્યો છે તે જ દર્શાવે છે કે તેને સરકાર સાથે સીધો સંબંધ છે.
વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતકોશ પણ અપારદર્શી અને ગોપનીય છે પરંતુ જ્યારે ઉત્તરાખંડમાં પૂરથી ભારે તબાહી થઈ ત્યારે જે ખર્ચ થયો તેના હિસાબોના સરકારી ઓડિટનો તેણે સ્વીકાર કર્યો હતો. એન.ડી.આર.એફ. જેવું સંપૂર્ણ પારદર્શી અને જવાબદેહ સરકારી રાષ્ટ્રીય ફ્ંડ દેશમાં ઉપલબ્ધ હોય ત્યારે તેને બાજુ પર મૂકીને નવું પી.એમ. કેર્સ ફ્ંડ ઊભું થાય તે શંકા અને વિવાદ જન્માવે જ. હાલ તો પી.એમ. કેર્સનું ઓડિટ અન્ય ટ્રસ્ટોની જેમ ખાનગીરાહે કરાવવાનું છે પણ ટ્રસ્ટે વિવાદ કે શંકામુક્તિ માટે નહીં પોતાની જવાબદેહિતા અને પારદર્શિતા પુરવાર કરવા માટે કેગના ઓડિટ અને માહિતી અધિકાર કાયદાનો દાયરો સ્વીકારી લેવો જોઈએ કે પછી એન.ડી.આર.એફ.ના હેતુઓમાં સુધારા કરીને તેને મજબૂત કરવું જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 09 સપ્ટેમ્બર 2020
![]()


“જ્યારે મહામારી કે મુશ્કેલી આવે છે ત્યારે એક રાજનીતિક સરકાર બલિનો બકરો શોધવાની કોશિશ કરે છે. જે પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી તેનાથી એ પ્રકારની સંભાવના છે કે આ વિદેશીઓને (દિલ્હીસ્થિત મરકઝના તબલિઘી જમાતીઓને) બલિના બકરા બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સ્થિતિ અને ભારતમાં કોરોના સંક્રમણના તાજા આંકડા દર્શાવે છે કે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવી જોઈતી નહોતી. હવે વિદેશીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાબતે પશ્ચાતાપ કરીને જે પ્રકારની કાર્યવાહી કરી છે, તેનાથી થયેલ નુકસાન ભરપાઈ કરવા કેટલાક સકારાત્મક પગલાં ભરવાનો આ ઉચિત સમય છે.”
હાલના કોરોનાકાળમાં તહેવારો અને ધાર્મિક-સામાજિક મેળાવડા મર્યાદિત હાજરીમાં યોજાય છે ત્યારે આ વરસનો શિક્ષક દિવસ પણ કદાચ બંધ શાળા-કોલેજોના માહોલમાં વિધાર્થીઓની પ્રત્યક્ષ હાજરી વિના મનાવાય એમ બની શકે છે. પણ તેનાથી ગુરુ-શિષ્યના પરસ્પરના પ્રેમ અને આદરમાં ફેર નહીં પડે.
પાંચમી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ૪૦ માઈલ દૂરના ગામ તિરુતાનીમાં ડો.રાધાકૃષ્ણન્નો જન્મ થયો હતો. વડવાઓનું ગામ તો સર્વપલ્લી, જે પછી કુળનામ બની રહ્યું. નિમ્ન મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબના આ બાળકને એમના તહેસીલદાર પિતા ભણાવવાને બદલે મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા. પણ તેઓ ભણીગણીને હિંદુ તત્ત્વજ્ઞાનના મહાન વિદ્વાન અને મુઠ્ઠી ઉંચેરા દાર્શનિક બન્યા! ડો.રાધાકૃષ્ણન્નું લગભગ સઘળું શિક્ષણ ખ્રિસ્તી મિશનરી શાળા કોલેજોમાં થયું અને પછી તેઓ ‘ધી હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ જેવો ગ્રંથ રચી શક્યા તેમાં ખ્રિસ્તી મિશનરી શિક્ષણ સંસ્થાઓના મુક્ત વાતાવરણને યશ અપાય છે, તો મિશનરીશાળાઓમાં હિંદુ ધર્મને ઉતરતા ધર્મ તરીકે ભણાવાતો હતો તેની કિશોર-યુવાન રાધાકૃષ્ણન્ના ચિત્ત પર પડેલી છાપનું પરિણામ પણ માનવામાં આવે છે.
ડો. રાધાકૃષ્ણન્ કોરા વિદ્વાન કે નિરસ શિક્ષક નહોતા. તેઓ વિધાર્થી પ્રિય અધ્યાપક હતા. શું દેશમાં કે શું વિદેશમાં તેઓ હંમેશાં વિધ્યાર્થીઓના પ્રીતિપાત્ર રહ્યા હતા. અઘરો મુદ્દો અને જટિલ વિષય તેઓ સરળતાથી અને રસપૂર્વક વિધાર્થીઓને સમજાવી શકતા હતા. તેમના વર્ગખંડો વિદ્યાર્થીઓથી ચિક્કાર રહેતા, તેનું આ મુખ્ય કારણ હતું. શિક્ષણ અને સમાજ ડો. રાધાકૃષ્ણન્ના જીવન સાથે સતત વણાયેલા રહ્યા. ૮મી ઓકટોબર ૧૯૫૫ના રોજ ઉપરાષ્ટૃપતિ રાધાકૃષ્ણન્ને ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભને દીપાવ્યો હતો, તે પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે, ‘મારા જીવનનાં ચાળીસથી વધારે વરસો હું શિક્ષક રહ્યો છું. અને તમને કહેવા માંગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબી નથી. આપણે તેમને તક જ આપતા નથી. જે એમનો અધિકાર છે. મોટામોટા બંધો બાંધવાનો કોઈ જ અર્થ નથી જો આપણે જે માણસો પેદા કરીશું તે નાના હશે.’